ETV Bharat / state

વડોદરામાંં ગણેશ વિસર્જનને લઇને ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થા

author img

By

Published : Sep 9, 2022, 5:16 PM IST

વડોદરામાંં ગણેશ વિસર્જનને લઇને ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થા
વડોદરામાંં ગણેશ વિસર્જનને લઇને ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થા

વડોદરા શહેરમાં ગણેશ વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઈલોરાપાર્ક ઇન્દ્રપ્રસ્થ સંકુલમાં કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 600થી વધુ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. Anant Chaturdarshi 2022, Indraprastha Yuva Mandal in Vadodara, Ganesh Visarjan 2022

વડોદરા શહેરના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઈલોરાપાર્ક ઇન્દ્રપ્રસ્થ સંકુલમાં કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં 600થી વધુ જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન( Ganesh Visarjan 2022 )કરવામાં આવ્યું છે. આજના દિવસે અનંત ચતુર્દશી (Anant Chaturdarshi 2022)માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. પૂજા માટે 12 કાઉન્ટર, 5 મહારાજ, 11 વાહનો ઘરે ઘરે શ્રીજીને લેવા જાય છે અને આ કૃત્રિમ કુંડમાં વિસર્જન બાદ ઘરે પરત નિઃશુલ્ક મુકવા જાય છે.

ગણેશ વિસર્જન

1600 કિલોથી વધુ ફુલહાર એકત્ર ફુલહાર કલેકશન માટે કંપોઝ મશીન મુકવામાં આવ્યું છે. જેમાં આજદિન સુધી 1600 કિલોથી વધુ ફુલહાર એકત્રિત કરી ખાતર બનાવવા આવેલ છે. શ્રીજીના વિશર્જન માટે (Ganesh Visarjan)આવનાર ભક્તોને કોઈ તકલીફ ના પડે અને શ્રીજીનું વિસર્જન સ્વચ્છ પાણીમાં થાય તે માટેની તમામ તૈયારી કરવામાં આવી હતી. ગત બુધવારે રાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલએ ઇન્દ્રપ્રસ્થ મંડળની(Indraprastha Yuva Mandal in Vadodara) મુલાકાત લઇ કૃત્રિમ કુંડ અને મંડળની પ્રવૃત્તિ જોઈ અભિનંદન પાઠવ્યા હતા.

જર્મન કુંડમાં 600થી વધુ વિસર્જન સામાન્ય રીતે બાપ્પાની પ્રતિમાઓના વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા પુરી પાડવામાં આવતી હોય છે. ત્યારે રાજ્યનો એકમાત્ર વડોદરામાં ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા ધાર્મિક વિધિ સાથે બપ્પાના વિસર્જનની સેવા આપવામાં આવે છે. મંડળ દ્વારા વિસ્તારના ગણેશ ભક્તો પોતાની પ્રતિમાનું વિધિવાર વિસર્જન કરી શકે તેના માટે જર્મનીથી પાણી ભરી શકાય તેવો કુંડ લાવવામાં આવ્યો છે. જેમાં બાપ્પાની પ્રતિમાઓનું સંપૂર્ણ ધાર્મિકતા સાથે બાપ્પાની પ્રતિમા વિસર્જનની નિશુલ્ક સેવા આપવામાં આવે છે.

બે ગજરાજ દ્વારા પાણીથી અભિષેક કરાયો ઇન્દ્રપ્રસ્થના શ્રીજીના વિસર્જન સમયે બે ગજરાજ દ્વારા સૌપ્રથમ ફુલહાર ચડાવવામાં આવ્યા હતા. બાદમાં શ્રીજીની પ્રતિમા પર ગજરાજ દ્વારા પાણી દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બપ્પાને જર્મન કુંડમાં વિસર્જન કરી પર્યાવરણ બચાવવા માટેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ યુવક મંડળ દ્વારા છેલ્લા 8 વર્ષથી આયોજન કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.