ETV Bharat / state

ગણેશ વિસર્જનની પવિત્રતા જાળવવા કૃત્રિમ તળાવમાં પવિત્ર જળનો ઉમેરો

author img

By

Published : Aug 31, 2022, 4:54 PM IST

ગણેશ વિસર્જનની પવિત્રતા જાળવવા કૃત્રિમ તળાવમાં પવિત્ર જળનો ઉમેરો
ગણેશ વિસર્જનની પવિત્રતા જાળવવા કૃત્રિમ તળાવમાં પવિત્ર જળનો ઉમેરો

ગણેશ ચતુર્થીના તહેવારની ઉત્સાહ સાથે ધામધૂમ પૂર્વક ઉજવવાની શરૂઆત થઈ છે. વડોદરામાં ગોત્રી વિસ્તારમાં કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જનની પૂર્વ તૈયારી અને પવિત્રતા જાળવવાના ભાગરૂપે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. આ કૃત્રિમ તળાવમાં ગંગા, જમના અને નર્મદાના પવિત્ર જળનો ઉમેરો કરવામાં આવ્યો છે.Ganesh Chaturthi 2022, Ganesh Visarjan in, Ganesha Visarjan in artificial lake Vadodara

વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવની શરૂઆત(Ganesh Chaturthi 2022)થઈ છે. વિવિધ મંડળો તથા શહેરિજનો દ્વારા ગણેશજીની સ્થાપના પોતાના ઘર તથા પંડાલોમાં કરવામાં આવતી હોય છે. શહેરના ગોત્રી વિસ્તારમાં કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જનની (Ganesh Visarjan in Vadodara )પૂર્વ તૈયારી અને પવિત્રતા જાળવવાના ભાગરૂપે ગંગા, જમના અને નર્મદા મૈયાના પવિત્ર જળનો(Ganesha Visarjan in artificial lake) ઉમેરો કરવામાં આવ્યો હતો.

કૃત્રિમ તળાવ

આ પણ વાંચો ડાયમંડ જડિત ગણપતિ, સુરતમાં પચાસ હજારથી વધુની કિંમતની ગણેશજીની પ્રતિમા

પવિત્ર જળનો ઉમેરો ગણેશજીની મૂર્તિનુ વિવિધ કૃત્રિમ તળાવો તથા નદીઓમાં વિસર્જન કરવામાં આવતું હોય છે. તેના ભાગરૂપે શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં આવેલ ત્રિવેણી ગરબા ગ્રાઉન્ડ ખાતે ગણેશ વિસર્જન માટે વોર્ડ 10ના નગર સેવક નીતિન દોંગા દ્વારા બનાવેલ કુત્રિમ તળાવમાં પવિત્ર એવી ગંગા, યમુના તથા નર્મદા નદીના જળને મિશ્રીત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો ગણેશ મહોત્સવ 2022 માટે કેટલા પંડાલને મંજૂરી મળી જૂઓ, અમદાવાદીઓ તૈયાર તો પોલીસ સતર્ક

મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં 4 ફૂટ સુધીની પ્લાસ્ટર ઓફ પેરીસ તથા માટીની મૂર્તિઓનુ વિસર્જન વગર રજિસ્ટ્રેશને કરવા દેવામાં આવશે તેવું નગર સેવક નીતિન દોંગાએ જણાવ્યુ હતુ. આ પ્રસંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સ્થાયી સમિતિ અધ્યક્ષ સાંસદ શહેર પ્રમુખ ધારાસભ્યો પ્રદેશ મહામંત્રી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.