ETV Bharat / city

ગણેશ મહોત્સવ 2022 માટે કેટલા પંડાલને મંજૂરી મળી જૂઓ, અમદાવાદીઓ તૈયાર તો પોલીસ સતર્ક

author img

By

Published : Aug 30, 2022, 9:13 PM IST

કોરોનાકાળના બે વર્ષ બાજ હવે લોકોને છૂટથી તહેવારો ઉજવવાની તક મળી છે. ત્યારે સાર્વજનિક તહેવાર એવા ગણેશ મહોત્સવ 2022 માટે અમદાવાદીઓ સજ્જ થઇ ગયાં છે. જેને લઇને અમદાવાદમાં ગણેશ પંડાલો લાગી ગયાં છે. આ વર્ષે અમદાવાદમાં નાનામોટા મળીને 328 ગણેશ પંડાલની મંજૂરી આપી દેવાઇ છે. Ganesh chaturthi 2022 , Ganesh Pandal in Ahmedabad, Ahmedabad Police Alert

ગણેશ મહોત્સવ 2022 માટે કેટલા પંડાલને મંજૂરી મળી જૂઓ, અમદાવાદીઓ તૈયાર તો પોલીસ સતર્ક
ગણેશ મહોત્સવ 2022 માટે કેટલા પંડાલને મંજૂરી મળી જૂઓ, અમદાવાદીઓ તૈયાર તો પોલીસ સતર્ક

અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ ગણેશ ચતુર્થીને લઈને સતર્ક બની છે. શહેરભરમાંથી પોલીસને 328 જેટલા નાના મોટા આયોજકોએ મંજૂરી માંગતા આપી દેવાઈ છે. જ્યારે 19 જેટલી શોભાયાત્રા બે ઝોનમાંથી નીકળવાની છે તેની પણ અરજીઓ પોલીસ પાસે આવી છે.

અમદાવાદમાં નાનામોટા મળીને 328 ગણેશ પંડાલની મંજૂરી આપી દેવાઇ છે

બંદોબસ્તનું બ્રિફિંગ કરી દેવાયું બીજીતરફ ગણેશ ચતુર્થીના બંદોબસ્તને લઈને તમામ પોલીસ અધિકારી અને સ્ટાફને બ્રિફિંગ કરી દેવાયું છે. સાથે જ દરેક ઝોનમાં સુપરવાઇઝરી અધિકારી ડીવાયએસપી પીઆઇ પીએસઆઇ અને સ્ટાફ તહેનાત રહેશે. 3 હજારથી વધુ હોમગાર્ડ તહેનાત રહેશે. તો 10 એસઆરપી કંપની હતી અને 1 કંપની વધુ સ્ટેટ કંટ્રોલ તરફથી આપવામાં આવી છે. ત્યારે શહેર પોલીસે વિસર્જન દરમિયાન લોકોને કેટલીક અપીલ પણ કરી છે.

આ પણ વાંચો ગણપતિ બાપ્પાને ખૂબ જ પસંદ આવશે બોટલ ગાર્ડ મોદક, જાણો રેસીપી...

પોલીસે કરી અપીલ શહેર પોલીસ દ્વારા ગણેશ મહોત્સવને પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે હાલમાં પોલીસ દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે વિસર્જન દરમ્યાન લોકો પોતાનું ધ્યાન રાખે તેમજ કોઈ એવી શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરે. Ganesh chaturthi 2022 , Ganesh Pandal in Ahmedabad, Ahmedabad Police Alert ગણેશ ચતુર્થી 2022 , અમદાવાદમાં ગણેશ પંડાલ , અમદાવાદ પોલીસ એલર્ટ

આ પણ વાંચો શું તમે ક્યારેય પેંડા મોદક ઘરે બનાવ્યા છે,નહીં તો જાણો તેની રેસીપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.