સુરેન્દ્રનગરઃ શહેરના 80 ફૂટ રોડ પર આવેલી નવરંગ સોસાયટીમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. જ્યાં દર શનિવારે સોસાયટી દ્વારા હનુમાન ચાલીસાનું વાંચન કરવામાં આવે છે. પણ હાલમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે.
ત્યારે સોસાયટીના 181 મકાનના રહીશો દ્વારા શનિવારના રોજ પોતાના ઘરે સોશિયલ ડીસ્ટન્સ રાખીને 1થી વધુ વખત પોતાના ઘરમાં જ ડોક્ટર પોલીસ કર્મી અને સફાઈ કામદારોનું સ્વાસ્થ્ય સારુ રહે તે માટે હનુમાન ચાલીસા વાંચીને પ્રાર્થના કરી હતી.