ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં પાણીની ટાંકીમાં પડી જવાથી સગા ભાઈ-બહેનના મોત

author img

By

Published : Jun 17, 2019, 12:05 PM IST

સુરેન્દ્રનગર: શહેરમાં આવેલા રણજીતનગર સોસાયટીમાં એક 7 વર્ષની બાળકી તેમજ એક 5 વર્ષના બાળકનું બંધ મકાનમાં પાણીની ટાંકીમાં પડી જતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બે સગા ભાઈ-બહેન જાગૃતિ અને નીતિન તેમના દાદા-દાદી પાસે રહેતા હતા.

સુરેન્દ્રનગરમાં પાણીની ટાંકીમાં પડી જવાથી સગા ભાઈ-બહેનના થયા મોત

રવિવારે બંને ભાઈ-બહેન બપોરના સમયે બંધ મકાનમાં રમવા ગયા હતા. તે દરમિયાન રમત રમતા બંને ભાઈ-બહેન પાણીની ટાંકીમાં પડી જતી ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. ત્યારબાદ તેમના દાદા-દાદીએ 2 કલાકથી છોકરી ઘરે પરત ન ફરતા તપાસ શરૂ કરી હતી.

સુરેન્દ્રનગરમાં પાણીની ટાંકીમાં પડી જવાથી સગા ભાઈ-બહેનના થયા મોત

ત્યારબાદ બાજુમાં આવેલા બંધ મકાનમાં પાણીની ટાંકીમાંથી બંને બાળકોની લાશ મળી હતી. પોલીસ તેમજ 108ને જાણ કરતા 108 ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. બંને બાળકોના મૃતદેહોને ગાંધી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર નવા 80 ફુટ રોડ પર આવેલ રણજીતનગર સોસાયટીમાં બે બાળકો પાણીની ટાંકીમાં પડી જવાથી મોત નિપજયા
સુરેન્દ્રનગર રણજીતનગર સોસાયટીમાં બે સગા ભાઈ બહેન જાગૃતિ વિજયભાઈ ગોહિલ ઉં વર્ષ 7 અને નીતિન વિજયભાઈ ગોહિલ ઉ વર્ષ 5 જેઓના માબાપ ગુજરી ગયેલ અને તેના દાદી દાદા પાસે રહેતા હતા રવિવારે બપોરના સમયે રમવા ગયા હતા ત્યારે બંધ મકાનમાં પાણીની ટાંકીમાં બંને ભાઈ બહેન રમતા રમતા પડી જતા ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું દાદા અને દાદી 2 કલાક થી ઘરે છોકરા પરત ન ફરતા શોધખોળ શરૂ કરી હતી બાજુમાં બંધ મકાનમાં પાણી ટાંકીમા બંને બાળકોની લાશ મળી હતી પોલીસ અને 108ને જાણ કરાતા 108 ઘટના સ્થળે પહોંચીને તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું બંને બાળકોની લાશ ગાંધી હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવેલા અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાયા છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.