ETV Bharat / state

VNSGU employees protest : કર્મચારીઓને આગામી 16 તારીખે છૂટા કરવામાં આવશે જેને લઈને કર્મચારીઓ દ્વારા વિરોધ

author img

By

Published : Feb 14, 2022, 2:54 PM IST

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં( Veer Narmad South Gujarat University )વર્ષોથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા તમામ કર્મચારીઓને (Veer Narmad University employees protest )નોટિસ આપ્યા વગર આગામી 16 તારીખે છૂટા કરવામાં આવશે. તમામ કર્મચારીઓને આ બાબતની કોઈ પણ હજી સુધી નોટિસ પણ આપવામાં આવી નથી. આગામી 16 તારીખે છૂટા કરી દેશે જેને લઈને આજે યુનિવર્સિટીના 400થી વધુ કર્મચારીઓ દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી રહ્યો છે.

VNSGU employees protest : કર્મચારીઓને આગામી 16 તારીખે છૂટા કરવામાં આવશે જેને લઈને કર્મચારીઓ દ્વારા વિરોધ
VNSGU employees protest : કર્મચારીઓને આગામી 16 તારીખે છૂટા કરવામાં આવશે જેને લઈને કર્મચારીઓ દ્વારા વિરોધ

સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના 15 થી 20 વર્ષોથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ (Contract base employee at Veer Narmad University )કરી રહેલા કર્મચારીઓને યુનિવર્સિટી(VNSGU) માંથી છૂટા કરવાનો કરાર થઈ જતા આજરોજ 400થી વધુ કર્મચારીઓ યુનિવર્સિટીના મેન બિલ્ડીંગની બહાર સ્ટ્રાઈક ઉપર બેસી કુલપતિ દ્વારા કરવામાં આવેલા તાનાશાહી વિરોધ દર્શાવી રહ્યા છે. જેને લઈને અમારા તમામ કર્મચારીઓને આ બાબતની કોઈ પણ હજી સુધી નોટિસ (Veer Narmad University employees protest )પણ આપવામાં આવી નથી અને આગામી 16 તારીખે છૂટા કરી દેશે જેને લઈને આજે યુનિવર્સિટીના 400થી વધુ કર્મચારીઓ દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી રહ્યો છે.

કર્મચારીઓ દ્વારા વિરોધ

40, 45,50 વર્ષના લોકોને બહાર કોણ નોકરી આપશે

હું છેલ્લા પાંચ વર્ષથી યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગમાં કાઉન્સિલર એન્ડ ક્લાર્ક તરીકે ફરજ નિભાવું છું. યુનિવર્સિટીના સિન્ડિકેટમાં એક ઠરાવ પસાર કર્યો છે. જેમાં આગામી 16 તારીખે તમામ કરાર આધારિત કર્મચારીઓને છુટા કરવામાં આવશે. આ બાબતે અમે સ્ટ્રાઈક અને આંદોલનની વાત કરી ત્યારે કુલપતિએ તાત્કાલીક મીટિંગ બોલાવી તેમણે અમને એમ જણાવ્યું કે અમે તમને 15 દિવસ માટે છુટા કરીશું અને ત્યાર પછી નવા ફોર્મ ભરી નવી ભરતી કરીશું. અને 15 દિવસ માટે છૂટા કરવામાં આવે અને અમારો પગાર માત્ર 15 હજાર જેટલો આવી રહ્યો છે. 15,000 સામે મોંઘવારી સામે કઈ રીતે લડી શકવાના. અમારું આવવા-જવાનો પેટ્રોલ 100 રૂપિયાનો થઇ ગયો છે. અન્ય ચીજવસ્તુઓ મોંઘી છે ઘર કેવી રીતે ચલાવવું. અમારુ પરિવાર આ નોકરી ઉપર નિર્ભર છે. અમને તાત્કાલિક છુટા કરવામાં આવશે તો અમને કોણ રાખશે. અમારી ઉંમર પણ જતી રહી છે. ગણપતિ યુનિવર્સિટીના ઘણા એવા કર્મચારીઓ છે જેઓ 15 થી 20 વર્ષ સુધી કામ કરી રહ્યા છે તેવા કર્મચારીઓને પણ છૂટા કરી દેવામાં આવશે. યુનિવર્સિટીમાં તેમણે પોતાની જિંદગી વિતાવી છે. બહાર એમને કોઈ નોકરી મળવાની નથી અને ફરીથી નવા ફોર્મ ભરશે તો એ લોકો નું શું થશે? એમને તો ઉંમરના કારણે બહાર કાઢી નાખશે. 40, 45, 50 વર્ષના લોકોને બહાર કોણ નોકરી આપશે. યુનિવર્સિટી અમારી સામે જે જે પણ કાર્યવાહી કરી રહી છે તે વસ્તુ ખોટી છે. જેને લઈને અમે લોકો આજે વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચઃ જામનગરમાં ડોક્ટર્સની હડતાળનો ત્રીજો દિવસ, રામધૂન બોલાવી કર્યો વિરોધ

Ph.D થયેલા છે તેઓને પણ છુટા કરવામાં આવશે

અમે બધા કર્મચારીઓ જયારે ભારતી થયાં ત્યારે જ અમારી એક્ષામ અને ઇન્ટરવ્યૂ લઇ લેવામાં આવ્યો હતો. હવે ફરી પછી લેવામાં આવશે આ ખોટું છે. ઘણા એવા લોકો છે જેઓ Ph.D થયેલા છે. તેઓને પણ છુટા કરવામાં આવશે. અમને બધાને યુનિવર્સિટીનું કેટલા વર્ષનો અનુભવ છે તો અમને કેમ નહિ. પરંતુ અમને ખબર નઈ હતી કે આગળ જતા અમને છુટા કરી દેવામાં આવશે. સરકાર આમરી પાસે રોજગારી છીનવી રહી છે.

આ વર્ષે છૂટા કરવાનો કરાર થઈ ગયો

હું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ 2004 થી કામ કરી રહ્યો છું. અને દર વર્ષે અમારું કોંટ્રાક્ટ રીન્યુ કરવામાં આવે છે. પરંતુ અમને આ વર્ષે છૂટા કરવાનો કરાર થઇ ગયો છે. અમે અમારી જવાબદારી સમજીને કામ કરી રહ્યા છે. પરંતુ આવી મોંઘવારીમાં અમને 15 થી 16 પગાર આપવામાં આવી રહ્યો છે. આવી મોંઘવારીમાં અમને ચાલતું નથી પરિવાર ચલાવવાનું હોય. હવે યુનિવર્સિટી અમને વચ્ચે છુટા કરી દેવાની વાત કરી રહી છે. મારા જેવા 400થી વધુ કર્મચારીઓ હશે જેઓ વર્ષોથી કોન્ટ્રાક્ટબેઝ ઉપર કામ કરી રહ્યા છે. અમે રાતદિવસ જોતા નથી પોતાની જવાબદારી સમજીને કામ કરીએ છીએ. કોઈ વાર અમે યુનિવર્સિટીની કોઈ વાર પરીક્ષા અટકવા દીધી નથી.
આ પણ વાંચઃ સુરતમાં સિમ્મેર હોસ્પિટલના ડૉક્ટરો NEET PG 2021ની કાઉન્સિલિંગની તારીખ લંબાવાના કારણે સ્ટ્રાઇક ઉપર ઉતર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.