ETV Bharat / state

Surat Crime News : સુરતમાં હચમચાવી દેનાર હત્યાની ઘટના CCTV કેમેરામાં થઇ કેદ

author img

By

Published : Feb 9, 2023, 3:57 PM IST

Surat Crime : હજમચાવી દેનાર હત્યાની ઘટના CCTV કેમેરામાં કેદ, મરનાર રીઢા ગુનેહગારનો ખુલાસો
Surat Crime : હજમચાવી દેનાર હત્યાની ઘટના CCTV કેમેરામાં કેદ, મરનાર રીઢા ગુનેહગારનો ખુલાસો

સુરતના વરાછમાં હચમચાવી દેનાર હત્યાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આરોપીઓ યુવકને ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરી નાખે છે અને હત્યાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થવા પામ્યા હતા. જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, મારનાર અને મરનાર બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

સુરતમાં હચમચાવી દેનાર હત્યાની ઘટના CCTV કેમેરામાં કેદ

સુરત : શહેરમાં ફરી એક વખત હજમચાવી દેનાર હત્યાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. વરાછા વિસ્તારમાં અંગત અદાવતમાં એક યુવકની જાહેરમાં હત્યા કરાવી છે. આરોપીઓ યુવકને ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરી નાખે છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં 24 કલાકમાં બે હત્યાના ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાંથી વરાછા વિસ્તારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. જેના CCTV ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ છે. વર્ચસ્વની લડાઈમાં ઝગડો આખરે હત્યા સુધી પહોંચતા વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વરાછા વિસ્તારમાં યુવકનું સરા જાહેર લોહી વહાવ્યું હતું.

શું હતો સમગ્ર મામલો : વરાછા વિસ્તારમાં આવેલી કમલપાર્ક સોસાયટીમાં રહેતા ખુશાલ કોઠારી રાત્રીના સમયે પોતાની બાઇક પર ઉભો હતો. ત્યારે નજીકમાં ઉભેલા એક યુવક તેની પાસે આવ્યો અને ત્યારબાદ અન્ય લોકો પાછળથી આવીને ખુશાલને ચપ્પુના ઘા મારવાનું શરૂ કરતાં ખુશાલ નીચે ઢળી પડ્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. CCTV સ્પષ્ટ જોવા મળે છે કે આરોપીઓ ખુશાલને અનેક ચપ્પુના ઘા મારે છે અને ત્યારબાદ આરોપીઓ ભાગી છૂટ્યા હતા.

આ પણ વાંચો : Bhavnagar Murder Case: પત્નીની હત્યા કરી પતિ ભાગી નીકળ્યો, રસ્તામાં મોતનો ભેટો થયો

મરનાર ગુનેહગાર છે : ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મૃતક ખુશાલ કોઠારી વરાછા વિસ્તારમાં નામચીન આરોપી છે અને અગાઉ લૂંટ, ચોરી, મારામારી અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલ હતો.

આ પણ વાંચો : Rajkot Murder Crime: મકાનનું ભાડું ન દેતા છરી મારી, અઠવાડિયામાં હત્યાનો 3જો કેસ

જેલ હવાલે થયો હતો : ACP પી.કે.પટેલે જણાવ્યું હતું કે, ખુશાલ કોઠારીની હત્યા કરી નાખી હતી, ત્યારે બંને પક્ષે રીઢા ગુનેગાર હોય જેમાં બે આરોપીઓએ ભેગા મળીને અન્ય રીઢા આરોપીની હત્યા કરી નાખી હતી. જે મામલે વરાછા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેને થોડા સમય પહેલા હત્યા કરનાર આરોપીને ચપ્પુ મારીને ઇજા પહોંચાડી હતી અને જેલ હવાલે થયો હતો. ખુશાલ જેલમાંથી છૂટતા જ અંગત અદાવત રાખીને બંને આરોપીઓએ પ્લાન બનાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.