ETV Bharat / state

Rahul Gandhi Case : રાહુલ ગાંધીની સજાને લઈને ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓએ શું કહ્યું જૂઓ

author img

By

Published : Mar 24, 2023, 11:12 AM IST

રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા દોષિત કરાર દેતા રાજકીય ક્ષેત્રમાં હડકંપ મચી ગઈ છે. ત્યારે રાહુલ ગાંધીની સજાને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ શું કહે છે આવો જાણીએ.

Rahul Gandhi Case : રાહુલ ગાંધીની સજાને લઈને ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓએ શું કહ્યું જૂઓ
Rahul Gandhi Case : રાહુલ ગાંધીની સજાને લઈને ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓએ શું કહ્યું જૂઓ

રાહુલ ગાંધીની સજાને લઈને ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓએ શું કહ્યું જૂઓ

સુરત : કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નેતા રાહુલ ગાંધીને નામદાર કોર્ટ દ્વારા દોષિત કરાર કરી તેમને બે વર્ષની સજા ફટકારી છે. જોકે રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. રાહુલ ગાંધીની સજા બાબતે કહ્યું હતું કે, દેશમાં ભ્રષ્ટાચાર, કરપ્શન, કોભાડ થઇ રહ્યા છે. તો એ વાત ખોટી નથી. પરતું ભાજપના કાર્યકર્તાઓએ સજાને લઈને એવું કહ્યું કે, પ્રકારે સજા આપવામાં આવશે તેવો ખ્યાલ હતો નહીં.

કોંગ્રેસના કાર્યકર્તાઓનું શું કહેવું છે : આ બાબતે સુરત કોંગ્રેસના કાર્યકર્તા એવા બાબુ સોલંકીએ જણાવ્યું કે, રાહુલ ગાંધીને સેશન કોર્ટમાં 10:50 મિનિટે હાજર થઈ ગયા હતા. કોઈ દલીલ થાય તેવી શક્યતાઓ તો હતી નઈ એટલે જજમેન્ટ હતું. જેથી જજ દ્વારા તેમને બે વર્ષની સજા સાંભળવામાં આવી છે. ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તમને આ સજા બાબતે કઈ કહેવું છે કે, ત્યારે તેમણે જણાવ્યું કે, આ દેશમાં ભ્રષ્ટાચાર, કરપ્શન, કોભાડ થઇ રહ્યા છે. તો એ વાત ખોટી નથી. એમાં માફી માંગવાનો સવાલ આવતો જ નથી.

ચુકાદોથી અમને અસંતોષ : જેથી ફરિયાદી વકીલે જણાવ્યું કે, 2018માં તેમણે માફી માંગી હતી. સુપ્રીમ કોર્ટમાં એક કેસમાં માફી માંગી હતી. જેથી તેમને માફી નઈ મળી શકે તો અમારા વકીલે કહ્યું કે, અમે માફી માંગવા લેવા જેઉ કઈ છે જ નહીં. તેઓ જવાબદાર સાંસદ છે. રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે, ત્યારે કોર્ટ દ્વારા 30 દિવસ સુધી સજા મોકૂફ રાખવામાં આવી છે.

આ પણ વાંચો : Rahul Gandhi Case : રાહુલ ગાંધીને સજા થતાં ભાવનગરમાં કોંગ્રેસે કર્યું પૂતળા દહન

ભાજપ મહિલા કાર્યકર્તા : આ બાબતે ભાજપના મહિલા કાર્યકર્તા જણાવ્યું કે, આજે રાહુલ ગાંધીને સજા આપવામાં આવી છે. તેઓએ મોદી સમાજ અને મોદી વિરુદ્ધ એટલે કે જે પ્રકારે સજા આપવામાં આવી છે. તે સજા તેમને બરોબર જ આપવામાં આવી છે. જો આવી રીતે જો કોઈ મોદી સમાજ અને હિન્દુત્વનું અપમાન કરશે તો આવી જ રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સજા કરવામાં આવી છે તેનાથી અમે મહિલા મોરચા આવકારદાયક માની રહ્યા છે. આવી જ રીતે જો કોઈ હિન્દુત્વ વિષે બોલશે તો આજ રીતેનું કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ પ્રકારે સજા આપવામાં આવશે તેવો ખ્યાલ હતો નહીં.

આ પણ વાંચો : Rahul Gandhi Case: ગાંધી પર બદનક્ષીનો કેસ કરનારા મોદીએ કહ્યું આ એક સામાજિક આંદોલન છે

ટિપ્પણીઓ કરવી સારી નથી : આ બાબતે ભાજપના કાર્યકર્તા એવા આશુદોષ પટેલે જણાવ્યું કે, નામદાર કોર્ટ દ્વારા રાહુલ ગાંધીએ જે રીતે મોદી સમાજ પર ટિપ્પણીઓ કરી હતી. તે મામલે આજરોજ ચુકાદો આવ્યો છે. IPC કલમ 500 મુજબ તેમને સજા સંભળાવવામાં આવી છે. એ સજાથી અમે ખૂબ જ ખુશ છીએ. કોઈ પણ સમાજ વિષે આ રીતે ટિપ્પણીઓ કરવી તે સારી વાત નથી. એવું મારું માનવું છે. કોર્ટનો જે રીતે સજા આપવામાં આવી છે તેનાથી અમે લોકો ખુશ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.