ETV Bharat / state

Surat News : સુરતમાં પાલિકાના ટ્રકે વૃદ્ધને અડફેટે લેતા બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

author img

By

Published : Jul 13, 2023, 4:39 PM IST

Surat News : સુરતમાં પાલિકાના ટ્રકે વૃદ્ધને અડફેટે લેતા બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
Surat News : સુરતમાં પાલિકાના ટ્રકે વૃદ્ધને અડફેટે લેતા બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરતની તેરે નામ ચોકડી નજીક પાલિકાના ટ્રકે એક વૃદ્ધને અડફેટે લીધા છે. ટ્રકે એક વૃદ્ધને અડફેટે લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે વૃદ્ધને મૃત કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. તો બીજી તરફ પોલીસ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

સુરતમાં પાલિકાના ટ્રકે વૃદ્ધને અડફેટે લેતા બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરત : શહેરમાં પાલિકાના ટ્રકે સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. શહેરાના પાંડેસરા વિસ્તારમાં આવેલા હરીઓમ નગરમાં રહેતા 50 વર્ષીય રમાશંકર હરિલાલ ગૌતમ જેઓ સંચાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ગઈકાલે સવારે નાઈટ પાળી કરી સવારે ઘરે પરત ફરતા હતા, ત્યારે તેરે નામ ચોકડી નજીક પાલિકાના ટ્રકે તેમને અડફેટે લીધા હતા. જેથી તેઓ ઇજાગ્રસ્ત થાય હતા. તેઓને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.

પાછળના ટાયરમાં સાઇકલ સવાર : મૃત્યુ નિપજ્યાંની જાણ થતા જ પરિવાર હોસ્પિટલ દોડી આવ્યું હતું અને શોકમાં ગરકાવ થઇ ગયું હતું. તો બીજી બાજુ પાંડેસરા પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી. ટ્રકના પાછળના ટાયરમાં સાઇકલ સવાર રમાશંકર આવી જાય જતાં સ્થાનીકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. હાલ આ મામલે પાંડેસરા પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આસપાસ લાગેલા CCTVના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ ઘટના ગઈકાલે સવારે 7:15 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામનાર રમાશંકર હરિલાલ ગૌતમ જેઓ 50 વર્ષના હતા. તેઓ સંચાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ગઈકાલે સવારે નાઈટ પાળી કરી સવારે ઘરે પરત ફરતા હતા, ત્યારે તેરે નામ ચોકડી નજીક પાલિકાના ટ્રકે તેમને અડફેટે લીધા હતા. જેથી તેઓ ઇજાગ્રસ્ત થાય હતા. તેઓને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. - હીરા જાડેજા (કોન્સ્ટેબલ, પાંડેસરા પોલીસ સ્ટેશન)

પિતાની છત્રછાયા ગુમાવી : વધુમાં જણાવ્યું કે, તો બીજી બાજુ આ મામલે નવી સિવિલ પોલીસ ચોકીથી પરિવારને જાણ કરવામાં આવી હતી. અમે ત્યાં પહોંચ્યા એટલે પરિવાર પણ ત્યાં પહોંચી ગયું હતું. તેમના પરિવારમાં પત્ની, બે દીકરા અને ચાર દીકરીઓ છે. તેઓ પોતાના પિતાની છત્રછાયા ગુમાવતા શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

  1. Ahmedabad Crime: બેફામ દોડતા ડમ્પરે 13 વર્ષના સગીરને લીધો અડફેટે, ટોળાએ ટ્રકને આગ ચાંપી
  2. Surat News : સુરતમાં ટુ વ્હીલરને રખડતા ઢોરે દંપતિને અડફેટે લીધું, ઘટના સીસીટીવીમાં કેદ
  3. Vadodara Accident: વડોદરામાં ટ્રકની અડફેટે યુવકનું મોત, બેફામ ચાલતા વાહન ચાલકો પર નિયંત્રણ ક્યારે?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.