ETV Bharat / state

Surat AAP: આપ કા ક્યા હોગા? કુલ 26માંથી 10 કોર્પોરેટરે ભાજપમાં જોડાઈ ગયા

author img

By

Published : Apr 15, 2023, 10:24 AM IST

Updated : Apr 15, 2023, 11:53 AM IST

Surat AAP : ફરી આપને ઝટકો, આમ આદમી છોડવા પાછળનું કારણ કોર્પોરેટરોએ જણાવ્યું
Surat AAP : ફરી આપને ઝટકો, આમ આદમી છોડવા પાછળનું કારણ કોર્પોરેટરોએ જણાવ્યું

સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા ઝાંઝમેરાના હસ્તે ભાજપનો કેસ અને ટોપી પહેરાવવામાં આવી છે. કોર્પોરેટરોનું કહેવું છે કે, વિકાસમાં સહયોગ કરવા ભાજપમાં જોડાયા છીએ. તો બીજી તરફ કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટી છોડવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું.

10 કોર્પોરેટરો ભાજપમાં જોડાતા સુરત આમ આદમી પાર્ટીને લાગ્યો ઝટકો

સુરત : શહેરના 10 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. તમામ જોડાયેલા કોર્પોરેટરોને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના હસ્તે ભાજપનો કેસ અને ટોપી પહેરાવવામાં આવી છે. ત્યારે હવે આપના ક્યાં ક્યાં કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે જોઈએ.

ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર : ઋતા ખેની વોર્ડ નંબર 3ના મહિલા નગર સેવક, ભાવના સોલંકી વોર્ડ નંબર 2 ના મહિલા નગર સેવક, જોતી લાઠીયા વોર્ડ નંબર 8ના મહિલા નગરસેવક, નિરાલી પટેલ વોર્ડ નંબર 5 ના મહિલા નગર સેવક, વિપુલ મોવલીયા વોર્ડ નંબર 16 ના નગરસેવક, અશોક ધામી વોર્ડ નંબર 5ના નગરસેવક, ધર્મેન્દ્ર વાવલીયા વોર્ડ નંબર 4ના નગરસેવક, સ્વાતિ કાયાડા વોર્ડ નંબર 17ના મહિલા નગરસેવક, કિરણ ખોખણી વોર્ડ નંબર 5ના નગરસેવક અને. ઘનશ્યામ મકવાણા વોર્ડ નંબર 4ના નગરસેવક ભાજપમાં જોડાયા છે.

હર્ષ સંધવીએ શું કહ્યું : સુરત શહેરના આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે આ બાબતે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે,જે પ્રકારે ગુજરાત રાજ્યની પ્રગતિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સૌ નાગરિકોને એક સિક્કાને બે પ્યાલો અને સૌ નાગરિકોને એક સત્તાનો નહિ પરંતુ એક પરિવારનું નાતો છે. ટીમ ગુજરાત તરીકે ગુજરાતના નાગરિકો છેલ્લા વર્ષોથી વિકાસને અવિરત રીતે આગળ વધાવી રહી છે.

સહયોગ કરવા જોડાયા : વધુમાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના અનેક કોર્પોરેટરો ભૂતકાળમાં જે પ્રકારે દિશા નિર્દેશ છે. જે નીતિરીતિ રહી છે. જે ક્યાંને ક્યાં ગુજરાતના ગુજરાતીઓને બદનામ કરવાનો એક પણ મોકો આમ આદમી પાર્ટી દ્વારા છોડવામાં આવ્યો નથી. આજે આમ આદમી પાર્ટીના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને એના સિવાયના અનેક ઉમેદવારો કોર્પોરેશનમાં રહેલા તેવા અનેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ગુજરાતની જનતા અને આપણા ગુજરાતના વિકાસમાં અવિરત રીતે સહયોગ કરવા માટે ભાજપમાં જોડાયા છે.

10 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા
10 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા

ભાજપ સંયુક્ત પરિવાર વધતું પક્ષ : વધુમાં જણાવ્યું કે, એક ટીમ તરીકે જ્યારે આ સુરતના વિકાસમાં વધુને વધુ લોકો જોડાવા માંગતા હોય તો તેવા લોકોનું પાર્ટીમાં હંમેશા સ્વાગત કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી સંયુક્ત પરિવાર તરીકે આગળ વધતું પક્ષ છે. આજે જે લોકો સુરતના વિકાસને ઝડપથી આગળ વધવા માંગતા હોય તેવા સૌ સભ્ય જયારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તો એ સુરત શહેરના અનેક એવા ચૂંટાયેલા વિસ્તારોમાંથી આવે છે. એ વિસ્તારના વિકાસને વધારેને વધારે ઝડપથી આગળ વધારવા માટે સક્ષમ હોય તો ક્યાંકને ક્યાંક આમ આદમી પાર્ટીની નીતિ જે નીતિ છે. એના પોતાના વિસ્તારની અંદર વિકાસમાં આગળ વધાવા માટે સક્ષમ ન હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આવા જનતાના સાચા સેવકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

આ પણ વાંચો : Gujarat Aap : જ્ઞાન સેતુ પ્રોજેક્ટ પર આમ આદમી પાર્ટીના પ્રહાર, વિરોધ શા માટે તે જાણો

જોડાયા કોર્પોરેટર શું કહ્યું : આ બાબતે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર જેઓ ભાજપમાં જોડાયા છે. એવા નિરાલી પટેલે જણાવ્યું કે, મારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા પાછળનું કારણ આમ આદમી પાર્ટીમાં કસેને કસે અમારી સાથે અન્યાય થઈ રહ્યો હતો. અમારા વિસ્તારમાં વિકાસની વાતોને લઈને જ્યારે રજૂઆત કરવામાં આવતી હતી, ત્યારે અમારી વાતો સાંભળવામાં આવતી નઈ હતી. અમને વિચાર આવ્યો કે, અમે આ રીતે કઈ રીતે અમારા વોર્ડમાં કામ કરી શકીએ. જેથી અમને ખૂબ જ તકલીફ પડી રહી હતી. જેથી હું આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છું.

આ પણ વાંચો : Karnataka assembly election 2023: ભાજપે ગુજરાતની તર્જ પર કર્ણાટકમાં ટીમ તૈનાત

ભાજપમાં જોડાવા પાછળનું કારણ : આ બાબતે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 17ના કોર્પોરેટર જેઓ ભાજપમાં જોડાયા છે એવા સ્વાતિ કાયડાએ જણાવ્યું કે, હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છું. કારણ કે, અમારે લોકહિતમાં સારામાં કાર્ય કરવાનું છે. મને જે લોકોએ મત આપ્યો છે એ લોકોનો મારે વિશ્વાસ જીતવાનું છે. આમ આદમી પાર્ટીમાં કોઈ પ્રકારે યોગ્ય કામ કરવામાં આવતું નથી. અમારી વાતો સાંભળવામાં આવતી નઈ હોય તો અમારે તે પાર્ટીમાં રહેવાનો કોઈ અર્થ નથી. જેથી અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ.

Last Updated :Apr 15, 2023, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.