ETV Bharat / state

ભગવાન સ્વામિનારાયણે આપેલા પાઘડી શ્રીફળ સુરતમાં આજે પણ સચવાયેલા, દર વર્ષે ભાઈબીજના દિવસે ભક્તો કરે છે દર્શન

author img

By

Published : Oct 27, 2022, 1:08 PM IST

સુરતમાં વિક્રમ સંવત્ 1881માં ભગવાન સ્વામિનારાયણે (Paghadi of lord swaminarayan in surat) પારસી કોટવાળ અરદેશરને પાઘડી અને શ્રીફળ આપ્યા હતા. ત્યારે દર વર્ષે ભાઈબીજના દિવસે ભક્તો આ પાઘડી અને શ્રીફળના દર્શનાર્થે દૂરદૂરથી આવે છે. અહીંના પારસી પરિવારે આજે પણ તેને સાચવીને રાખ્યા છે. ત્યારે આવો જાણીએ શું છે તેની વિશેષતા.

ભગવાન સ્વામિનારાયણે આપેલા પાઘડી શ્રીફળ સુરતમાં આજે પણ સચવાયેલા, દર વર્ષે ભાઈબીજના દિવસે ભક્તો કરે છે દર્શન
ભગવાન સ્વામિનારાયણે આપેલા પાઘડી શ્રીફળ સુરતમાં આજે પણ સચવાયેલા, દર વર્ષે ભાઈબીજના દિવસે ભક્તો કરે છે દર્શન

સુરત આજે ભાઈબીજનો પવિત્ર તહેવાર છે. ત્યારે આ દિવસે સુરતમાં દૂરદૂરથી ભક્તો (swaminarayan devotees ) દર્શનાર્થે આવે છે. આ ભક્તો ભગવાનના નહીં પણ ભગવાન સ્વામિનારાયણે (Paghadi of lord swaminarayan in surat) આપેલી પાઘડી અને શ્રીફળના દર્શન માટે આવે છે. શહેરમાં વિક્રમ સંવત 1881માં ભગવાન સ્વામિનારાયણ (lord swaminarayan) આવ્યા હતા. તે સમયે ભગવાને પારસી કોટવાળ અરદેશરને ભગવાન સ્વામિનારાયણે પાઘડી અને શ્રીફળ આપ્યા હતા, જે 198 વર્ષે આજે પણ પારસી પરિવારે (Surat Parsi Family) સાચવીને રાખ્યાં છે.

198 વર્ષે પણ પાઘડી શ્રીફળ સચવાયેલું દ્રશ્યોમાં તમે જે પાઘડી જોઈ છે. તે 194 વર્ષ જૂની છે. તેની પાછળ પણ એક ધાર્મિક આસ્થા છુપાયેલી છે. જી હાં, આ પાઘડી કોઈ સામાન્ય નહીં, પણ સદીઓ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને ધારણ કરી હતી તે છે. 198 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાન સુરત (lord swaminarayan) આવ્યા હતા. ત્યારે તે સમયના કોટવાળ તરીકે કાર્ય કરતા અરદેશરને ભેટ આપી હતી. ત્યારથી આ પાઘડીને સુરતમાં આજ દિન સુધી સેવા કરી સાચવામાં આવી છે, જે છેલ્લા 100 વર્ષથી ભાઈબીજના દિવસે જ આ પાઘ દર્શન કરવામાં આવે છે.

દૂરદૂરથી ભક્તો આવે છે દર્શન કરવા

ભક્તો ધન્યતા અનુભવે છે આ દર્શન કરી ભક્તોને (swaminarayan devotees) ધન્યતા અનુભવે છે. વર્ષમાં વખત એક જ દિવસે ભાઈબીજના દિવસે આ પાઘના દર્શન કરવામાં આવે છે.આ પાઘના દર્શન માટે લોકો દુર-દૂર આવે છે.Conclusion:આ પાઘડી આપણી પાસે 198 વર્ષથી છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન (Paghadi of lord swaminarayan in surat) સુરત ભ્રમણ કરવા માટે આવ્યા હતા. ત્યારે સુરતમાં અરદેશર કોતવા મારા જે વડવા હતા, પરંતુ કોટવા એમની અટક હતી. તે સમયના તેઓ સુરત શહેરના કમિશનર હતા અને તે સમયે લોકોને તેમના ઉપર ખૂબ જ ગર્વ હતો. તેઓ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત (swaminarayan devotees ) હતા.

સ્વામિનારાયણ ભગવાને પાઘ અને શ્રીફળ બંને ભેટ સ્વરૂપે આપી હતી આ અંગે પેઢી વારસ સેજાદ વાડિયાએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાન જ્યારે સુરત આવ્યા હતા. ત્યારે આ કોટવાલ સાહેબએ ભગવાનની સેવાચાકરી કરી હતી. ત્યારે તેમને જતા પહેલા મનમાં એવું હતું કે, ભગવાન (lord swaminarayan) મને કઈ આપતાં જાય અને જ્યારે ભગવાન સુરત ભ્રમણ કરી જવાના હતા ત્યારે તેના એક રાત પહેલા અરદેશર કોતવાના સ્વામિનારાયણ ભગવાન સપનામાં આવી આશીર્વાદ આપ્યા હતા. જ્યારે જતા હતા. તે પહેલાં સ્વામિનારાયણ ભગવાને (lord swaminarayan) પાઘ અને શ્રીફળ બંને ભેટ સ્વરૂપે આપી હતી. જ્યાં સુધી તેઓ રહ્યા ત્યાં સુધી આ પાઘડી અને શ્રીફળ સાચવવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેમના સુપુત્ર જહાંગીરજીને ત્યાં આ પાઘડી અને શ્રીફળની સેવા ચાકરી કરવામાં આવી, પરંતુ જહાંગીર જઈને કોઈ સંતાન નહતું. તો તેમના પત્નીએ આ પાઘડી અને શ્રીફળને પોતાના પરિવારમાં રાખી સેવા ચાકરી કરી હતી.

100 વર્ષથી ભાઈબીજના દિવસે થાય છે દર્શન વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના મૃત્યુ બાદ તે પાઘડી અને શ્રીફળ મોસાળ પક્ષમાં આવી એટલે કે, અમારે ત્યાં વાડિયા પરિવારમાં આવી જ્યારથી પાઘડી અને શ્રીફળ આપવામાં આવી છે. ત્યારથી આજ દિન સુધી આ સાતમી પેઢી છે અને આ પાઘડી અને શ્રીફળ આપ્યાને 198 વર્ષ થયા છે. તથા 100 વર્ષથી ભાઈબીજના દિવસે જ આ પાઘડી અને શ્રીફળના લોકોને દર્શન કરવામાં આવે છે અને આ પાઘડી અને શ્રીફળ ભાઈબીજના દિવસે જ સ્વામિનારાયણ ભગવાને (lord swaminarayan) કોતવાને આપી હતી. એટલે આપણે આજ દિવસે દર્શન કરાવવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.