ETV Bharat / state

Mann Ki Baat : સુરતમાં PM મોદીની 100મી મન કી બાત એક સાથે 10 હજાર લોકો સાંભળશે

author img

By

Published : Apr 24, 2023, 4:31 PM IST

Mann Ki Baat : સુરતમાં PM મોદીની 100મી મન કી બાત એક સાથે 10 હજાર લોકો સાંભળશે
Mann Ki Baat : સુરતમાં PM મોદીની 100મી મન કી બાત એક સાથે 10 હજાર લોકો સાંભળશે

સુરત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક સાથે 10 હજાર લોકો વડાપ્રધાન મોદીની મન કી બાત સાંભળશે. આ કાર્યક્રમમાં નેપાળના હોમ અફેર્સ મિનિસ્ટર પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, PM મોદીની આ 100મી મન કી બાત છે. ત્યારે સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી 'મન કી બાત'નું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100મી 'મન કી બાત' સુરત ખાતે ભવ્ય ઉજવણી

સુરત : 30મી એપ્રિલના રોજ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100મી 'મન કી બાત' સુરત ખાતે ભવ્ય ઉજવણી સાથે સાંભળવામાં આવશે. સુરત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય સેના દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 10,000થી વધુ લોકો એક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનની વાત સાંભળશે. આ કાર્યક્રમમાં નેપાળના હોમ અફેર્સ મિનિસ્ટર પણ હાજર રહેશે કે જેઓ હાલ ભવ્ય રામલલ્લાની મૂર્તિ માટે રામશીલા લઈને ભારત આવ્યા હતા.

શું છે સમગ્ર કાર્યક્રમ : સુરત શહેરમાં 10,000 કરતાં વધુ લોકો એક જ સ્થળેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'મન કી વાત' સાંભળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા સમયથી મનકી વાત માધ્યમથી દેશના લોકો સાથે જોડાય છે, અનેક સામાજિક અને સંવેદનશીલ મુદ્દાઓ પર લોકો સાથે ચર્ચા કરતા હોય છે. 100મી 'મન કી વાત' યાદગાર બનાવવા માટે સુરત ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય સેના દ્વારા બૌદ્ધિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી 100મી 'મન કી બાત'નું આયોજન કરવામાં આવ્યું છે.

ફર્સ્ટ ટાઈમ વોટર્સને સન્માનિત કરાશે : વડાપ્રધાન રેડિયોના માધ્યમથી દેશના લોકોને સાથે 'મન કી બાત' કરતા હોય છે. જ્યારથી તેઓ વડાપ્રધાન બન્યા છે ત્યારથી જ આ કાર્યક્રમના માધ્યમથી દેશના દરેક નાગરિક સાથે તેઓ જોડાય છે. તેઓ દરેક મુદ્દાઓ પર લોકો સાથે વાત કરતા હોય છે. સ્પોર્ટ્સ, અંગદાન પર્યાવરણ સહિતના અનેક મુદ્દાઓ પર તેઓ લોકો સાથે વાત કરતા હોય છે. 'મન કી બાત' ની રાહ લોકો છ દિવસ સુધી જોતા હોય છે. આ લોકપ્રિય કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવા માટે સુરતમાં આયોજન છે. ત્યારે વર્ષ 2024ની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર મતદાતાઓનું સન્માન કરવામાં આવશે. જેથી આ લોકોમાં રાષ્ટ્ર નિર્માણની ભાવના પણ દ્રઢ થાય.

આ પણ વાંચો : Vadodara News : વડોદરાની આ શાળામાં પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમના 99 એપિસોડની એકસાથે ઝલક માણો

કાર્યક્રમ માટે પાસની વ્યવસ્થા : રાષ્ટ્રીય સેનાના પ્રમુખ વિનોદ જૈને જણાવ્યું હતું કે, મન કી બાતની ઉજવણી સુરત ખાતે ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. જેને લઇ સુરતમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમ માટે પાસની વ્યવસ્થા રાખવામાં આવી છે. જેના માટે પડાપડી થઈ રહી છે. ઇન્ડોર સ્ટેડિયમ સ્ટેડિયમની કેપીસીટી 10થી 12 હજાર છે અને આ ઐતિહાસિક ઘટના છે. જે માટે પાસ હોવું ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : PM salutes Snehlata: PMએ અંગોનું દાન કરવા બદલ સ્વર્ગસ્થ સ્નેહલતા ચૌધરીની ભાવનાને કરી સલામ

નેપાલના હોમ અફેર્સ મિનિસ્ટર હાજર રહેશે : સાથે તેઓએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં સાક્ષી બનવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડવાના છે. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, નેપાલના હોમ અફેર્સ મિનિસ્ટર, પ્રખ્યાત ગીતકાર અને કવિ મનોજ મૂંતસીર સહિત અનેક મહેમાનો હાજર રહેશે આ કાર્યક્રમ 30મી એપ્રિલના રોજ યોજાશે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત બૌદ્ધિક કાર્યક્રમ રહેશે. સુરત મીની ભારત તરીકે ઓળખાય છે અને અનેક રાજ્યોના લોકો અહીં રહે છે. આ કાર્યક્રમમાં અલગ અલગ રાજ્યોના લોકો ટ્રેડિશનલ ડ્રેસમાં પણ હાજર રહેશે. જેથી લઘુભારત ઇન્ડોર સ્ટેડિયમમાં જોવા મળશે અને આ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનની વાત પણ સાંભળી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.