સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ચિંતન સંઘાણી થોડા દિવસ પહેલા બિન સચિવાલયની પરીક્ષા આપી હતી. પરંતુ તેમાં ગેરરીતિ થતાં તેને આઘાત લાગ્યો છે કે, તે પોતાના નિવાસસ્થાને આમરણ અનશન પર બેસી ગયો છે. એક તરફ ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકાર સામે બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિની યોગ્ય તપાસ કરવાની માગણી કરી રહ્યા છે. બીજી બાજુ સુરત ખાતે પણ પરીક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચિંતન સંઘાણીએ માગ કરી છે કે, સરકાર પરીક્ષામા થયેલ ગેરરીતી બાબતે એક SITની રચના કરે અને તેમાં પરીક્ષાર્થીઓ સાથે અધિકારીઓ પણ સામેલ રહે છે.
આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જ્યાં સુધી સરકાર દ્વારા SITની રચના નહીં કરવામાં આવશે ત્યાં સુધી ચિંતન સંઘાણીએ પોતાના નિવાસસ્થાન પર આમરણ અનશન કરવાની નિર્ધારિત કર્યું છે.