ETV Bharat / state

લવજેહાદ મામલામાં સૌપ્રથમ માતા પિતાએ જ પોતાના સંતાન ઉપર નજર રાખવી: રવિન્દ્ર પુરી મહારાજ

author img

By

Published : Dec 27, 2022, 11:12 AM IST

લવજેહાદ મામલામાં સૌપ્રથમ માતા પિતાએ જ પોતાના સંતાન ઉપર નજર રાખવી:  રવિન્દ્ર પુરી મહારાજ
લવજેહાદ મામલામાં સૌપ્રથમ માતા પિતાએ જ પોતાના સંતાન ઉપર નજર રાખવી: રવિન્દ્ર પુરી મહારાજ

ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિન્દ્ર પૂરી મહારાજ (National President of Bharatiya Akhara Parishad) સુરતના ઉધના સ્થિત અટલ આશ્રમમાં મહેમાન બન્યા હતા. ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિન્દ્ર પૂરી મહારાજે મીડિયા સાથે વાતચીત કરતા લવ જેહાદ, ડ્રગ્સ, અને ભગવારંગને લઈને નિવેદનો આપ્યા હતા. (love jihad)

લવજેહાદ મામલામાં સૌપ્રથમ માતા પિતાએ જ પોતાના સંતાન ઉપર નજર રાખવી: રવિન્દ્ર પુરી મહારાજ

સુરત: રવિન્દ્ર પૂરી મહારાજે કહ્યું કે, સનાતન સંસ્કૃતિની એક પરંપરાઓ રહી છે. ગુજરાત રાજ્યની એક અલગથી પરંપરાઓ રહી છે. આ સંતો અને ભક્તોની ભૂમિ છે. હું 25 વર્ષ બાદ સુરત આવ્યો છું. આ તાપી માતાનો તટ છે. સુરતમાં ઘણા લોકો ભાવુક છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, તમામ રાજ્યના લોકો અહીં રહે છે. અમદાવાદ ખાતે સ્વામિનારાયણ ભગવાને શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. હું એ શતાબ્દી મહોત્સવમાં આવ્યો હતો. ત્યારબાદ અહીંના મારા જે મને આગ્રહ કર્યો કે તમે ઘણા વર્ષોથી સુરત (Rabindra Puri Maharaj at surat) આવ્યા નથી. માતાજીએ આદેશ આપ્યો અને હું સુરત આવી પહોંચ્યો. (love jihad)

આ સંતો અને ભક્તોની ભૂમિ છે: રવિન્દ્ર પૂરી મહારાજે કહ્યું કે, ભારતની જે સંસ્કૃતિઓ રહી છે. ધર્મ આપણા સમાજનું એક એવો ભાગ છેકે,જેની શરૂઆત માતા પિતા થી થાય છે.યુવા પેઢીના સંસ્કારોની કમી બાબતે સમજે વિશેષ ધ્યાન આપવું જોઈએ.તેમાં ખાસ કરીને ધર્મ આચારિયો કા અને જે અધ્યાપકો છે તેમનું વિશેષ ધ્યાન આપવું જોઈએકે, યુવાપેઢીના જે છોકરા છોકરીઓ છે. એ લોકોમાં ચરિત્ર નિર્માણની શિક્ષાઓ હોવી ખૂબ જ જરૂરી છે.જે રાજામાં ચારિત્ર્ય નથી તે રાજ્યનો વિનાશ થતા વાર નથી લાગતો. એજ પ્રકારે સામાન્ય ઘરમાં ચારિત્ર્ય હોવું ખૂબ જરૂરી છે. જે સમાજમાં ચારિત્ર્યવાન લોકો (Ravindrapuri Maharaj Statement on love jihad) રહે છે. તે સમાજમાં સુખ સમૃદ્ધિ લક્ષ્મી, શાંતિ, બધું રહે છે.

ડ્રગ્સને લઈને આપ્યું નિવેદન: આજની જે યુવા પેઢીઓ છે. જે પ્રકારે નશાની તરફ દોડી રહ્યા છે. ગુજરાતમાં ઘણા સમય થી જે રીતે ડ્રગ્સ પકડાય રહ્યું છે તે ખૂબ ચિંતાનો વિષય છે. કારણકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક સંદેશ રહ્યો છે કે, ગુજરાતને તેમણે વિકસિત રાજ્ય બનાવ્યું છે. પરંતુ આજની જે પરિસ્થિતિઓ છે, તે ખૂબ જ ચિંતાજનક છે. રાજ્યના ગૃહપ્રધાને ગત પત્રકાર સંમેલનમાં કહ્યું હતું કે, સમુદ્રના માર્ગે ડ્રગ્સ ભારતમાં આવી રહ્યા છે. એ માટે ભારત અને રાજ્ય સરકાર અને નાગરિકોએ સતર્ક રહેવું જોઈએ. નશો આપણા સમાજને અંદરથી જ ખોખલો કરી રહ્યું છે. નશાની પ્રવૃત્તિઓ વધાવવા માટે લોકો જવાબદાર છે. શાસન અને પ્રશાસનને એ લોકો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે. આ કાર્યમાં સાધુ સંતોની જરૂર પડશે તો અમે તૈયાર છીએ.

લવજેહાદ ને લઇ આપ્યા નિવેદન: લવજેહાદની (Ravindrapuri Maharaj Statement on love jihad) જે ઘટનાઓ સમાજમાં ઘટીત થઈ રહી છે.એમાં આપણે આપણા સંતાનો ઉપર પણ કંટ્રોલ રાખવું જરૂરી છે. માનવું છે સમાજમાં માતા પિતાની પહેલી કમી છે. જો આ રીતે ઘટનાઓ ઘટીત થતી હોય તો માતાપિતા તેમને સમય આપી રહ્યા નથી. નવયુવા છોકરા અને છોકરીઓને શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે.પરંતુ માતા-પિતાના સાનિધ્ય અને આશીર્વાદ પણ ખૂબ જરૂરી હોય છે. અને અન્ય ધર્મના લોકો આનો ફાયદો ઉચકી રહ્યા છે.

ભાગવાને લઈને આપ્યું નિવેદન: ભગવા એ ભગવાન સૂર્યદેવનું કલર છે. સુધી વિશ્વમાં સૂર્ય છે ત્યાં સુધી ભગવો રંગ રહેશે. એમાં સારા અને ખરાબ લોકો આવતા રહે છે. ભગવાને લઈ કટ્ટરવાદ ની ભાવના છેતો એ ખોટો ગલત સંદેશ છે. કારણ કે સૂર્ય એક સમાન રીતે બધાને પ્રકાશ આપે છે. એટલે ભગવા પ્રત્યે જે લોકો દ્વેષવાહ રાખે છે. એ લોકો દોષીત છે. પરંતુ ભગવા ધારણ કરનાર જે સંતો છે. તેમણે પણ પોતાના ચારિત્રોમાં સુધાર રાખો જરૂરી છે. સમાજમાં સારો સંદેશ આપી શકે.

ફિલ્મોનું પરીક્ષણ કરવું જરુરી: ભારત સરકાર જે સેન્સર બોર્ડ (Sensor board) છે. તેઓ આ પ્રકારના ફિલ્મો ઉપર ત્રણ થી ચાર વખત તેનું પરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. દુરદર્શન અને ફિલ્મોના માધ્યમથી એવા ચારિત્ર્યનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે બાળકોના ભવિષ્ય ઉપર ખોટી અસરો થઈ શકે છે. તો મારી ફિલ્મ બનાવનાર નિર્માતાઓને વિનંતી છેકે, આવા ચારિત્રનું નિર્માણ ન કરવામાં આવે કારણ કે 6 થી 14 વર્ષના બાળકોના બુદ્ધિ ઉપર આની અસર થાય છે અને જ્યારે પણ આવું બતાવવામાં આવે છે. ત્યારે અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે. અને એની માટે અમે એક પરિપત્ર પણ જાહેર કર્યો છેકે, ભારત સરકાર જે સેન્સર બોર્ડ છે.તેઓ આ પ્રકારના ફિલ્મો ઉપર ત્રણ થી ચાર વખત તેનું પરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. અને જે તે ધર્મના જોડે આ વિશે ચર્ચાઓ કરવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ જ તેની આગળની કાર્યવાહી કરવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.