ETV Bharat / state

ઉર્દુ શાળાના મુસ્લિમ વિદ્યાર્થીઓએ મૌન પાળી હીરા બાને શ્રદ્ધાંજલિ આપી

author img

By

Published : Dec 30, 2022, 1:36 PM IST

Muslim students paid tribute to Hira Ba
Muslim students paid tribute to Hira Ba

સુરતની ઉર્દુ શાળાના મુસ્લિમ વિદ્યાર્થીઓએ (Muslim students paid tribute to Hira Ba) મૌન પાળી હીરા બાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી (surat Urdu school students paid tribute to Hira Ba) હતી. દરેક વિદ્યાર્થીઓ પોતાના હાથમાં હીરા બાની તસ્વીરને લઈને પ્રાર્થનામાં ઉભા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું (pm modi mother heera ba passed away) છે.

ઉર્દુ શાળાના વિદ્યાર્થીઓએ હીરા બાને શ્રદ્ધાંજલિ આપી

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું 100 વર્ષની વયે નિધન થયું (pm modi mother heera ba passed away) છે. ત્યારે આજે ગાંધીનગરમાં સ્વ.હીરાબા મોદીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અહીં વડાપ્રધાન વડાપ્રધાને માતાને અગ્નિદાહ આપ્યો (The Prime Minister cremated the mother) હતો. દેશભરમાંથી હીરા બાને લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા (Muslim students paid tribute to Hira Ba) છે ત્યારે સુરતમાં સરકારી ઉર્દુ શાળાના મુસ્લિમ વિદ્યાર્થીઓએ મૌન પાળી હીરા બાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી (surat Urdu school students paid tribute to Hira Ba) હતી.

હીરા બાને શ્રદ્ધાંજલિ
હીરા બાને શ્રદ્ધાંજલિ

ઉર્દુ શાળાના મુસ્લિમ વિદ્યાર્થીઓએ આપી હીરાબાને શ્રદ્ધાંજલિ: દેશભરમાંથી નેતાઓ અને લોકો હીરા બાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓએ હીરા બાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સુરતના લીંબાયત સ્થિત કમરૂ નગર ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પક્ષીવિદ ડો. સલીમ અલી ઉર્દૂ પ્રાથમિક શાળા ક્રમાંક 231માં વિદ્યાર્થીઓએ પ્રાર્થના સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાને બે મિનીટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. દરેક વિદ્યાર્થીઓ પોતાના હાથમાં હીરા બાની તસ્વીરને લઈને પ્રાર્થનામાં ઉભા હતા અને ઈશ્વર હીરા બાની આત્માને શાંતિ અર્પે તે માટે પ્રાર્થના કરી શ્રધાંજલિ અર્પણ કરી હતી.

આ પણ વાંચો વ્યક્તિગત કારણોસર કાર્યક્રમમાં રૂબરૂ હાજરી ન આપી શક્યો તે બદલ માફી માંગુ છું: PM

અંતિમ વિધિ કરવામાં આવી હતી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીની તબિયત બગડતાં તેમને યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. ત્યારે આજે વહેલી સવારે 3.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતા હીરાબા મોદીનાં અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ યાત્રામાં જોડાયા હતા. તો ગાંધીનગરના સ્મશાન ગૃહમાં સ્વ. હીરાબા મોદીની અંતિમ વિધિ કરવામાં આવી હતી, જ્યાં વડાપ્રધાને માતાને અગ્નિદાહ આપ્યો હતો.

આ પણ વાંચો સ્વ. હીરાબા મોદીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, PM મોદીએ આપ્યો અગ્નિદાહ

PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ: પીએમ મોદીએ ટ્વિટ કરીને માતા હીરા બાને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ લખ્યું કે, જ્યારે હું તેમને તેમના 100માં જન્મદિવસ પર મળ્યો હતો, ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે શાણપણથી કામ કરો, શાણપણથી જીવો, એટલે કે ડહાપણથી કામ કરો અને પવિત્રતા સાથે જીવન જીવો. માતા હીરાબાના અંતિમ સંસ્કાર બાદ તુરંત PM મોદી દેશસેવામાં જોડાઇ ગયા છે. તેઓ પશ્ચિમ બંગાળના વિકાસકાર્યોના ઉદ્ઘાટનમાં વર્ચ્યુઅલી જોડાઇ ગયા છે. PM મોદીએ વર્ચ્યુઅલી પશ્ચિમ બંગાળને 7800 કરોડની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.