ETV Bharat / state

સુરત: આ ગામમાં પ્રાણવાયુ જ બન્યું જીવલેણ, 100થી વધુ લોકોને કેન્સર

author img

By

Published : Nov 19, 2019, 6:56 PM IST

સુરત: માત્ર દિલ્હી જ નહીં પરંતુ, સમગ્ર વિશ્વ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સુરત નજીક આવેલા પલસાણા વિસ્તારમાં પણ હવા અને પાણીનું પ્રદુષણ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. પલસાણા પાસે આવેલા બલેશ્વર ગામમાં પ્રદુષણ એટલી હદે વધી ગયું છે કે, ગામ લોકો કેન્સર જેવી જીવલેણ બીમારીના શિકાર બની રહ્યા છે. ગામના મોટાભાગના ઘરોમાં એક વ્યક્તિ કેન્સર સામે લડી રહ્યો છે. બલેશ્વર ગામમાં 100થી વધુ લોકો કેન્સરની બીમારીનો ભોગ બન્યા છે.

સુરત

શહેરમાં હવાનું પ્રદુષણ એટલી હદે વધી ગયું છે કે, લોકો ગળા, લીવર તેમજ મહિલાઓ બ્રેસ્ટ કેન્સરના દર્દી બની રહ્યા છે. પ્રદુષણ અટકાવવા માટે પ્રશાસન કોઇ નક્કર કામગીરી કરે તેવી સમયની માગ છે. પલસાણા વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ દ્વારા હવામાં બેફામ રીતે ઝેરી વાયુ છોડવામાં આવી રહ્યું છે. લોકોની વારંવાર રજૂઆતો સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ગામ લોકો ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડમાં પ્રદુષણ એકમો સામે કાર્યવાહી કરવાની માગણી છેલ્લા 5 વર્ષોથી કરી રહ્યા છે.

સુરતના એક ગામમાં પ્રાણવાયુ જ બન્યું જીવલેણ

પર્યાવરણ અને પ્રજાને ગંભીર નુકશાન પહોંચાડનાર આવા તત્વો સામે કડક પગલાં લેવામાં પ્રશાસન સરેઆમ નિષ્ફળ પુરવાર થઇ રહ્યું છે. લોકો કમોતે મરી રહ્યા છે, ત્યારે પ્રજાનો અવાજ જીપીસીબી અને સરકારના બહેરા કાન સુધી પહોંચી રહ્યો નથી. બલેશ્વર ગામના લોકો ભૂતકાળમાં આંદોલન પણ કરી ચુક્યા છે. છતાં કેમિકલયુક્ત હવા અને પાણીથી તેમને છુટકારો મળ્યો નથી. લંચિયા અધિકારીઓ ક્યારે પ્રજા લક્ષી કામ કરશે તે જોવું રહ્યું..

Intro:સુરત : માત્ર દિલ્હી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પ્રદૂષણની સમસ્યા નો સામનો કરી રહ્યું છે. સુરત નજીક આવેલા પલસાણા વિસ્તારમાં પણ હવા અને પાણી નું પ્રદુષણ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. પલસાણા પાસે આવેલા બલેશ્વર ગામમાં પ્રદુષણ એટલી હદે વધી ગયું છે કે ગામલોકો કેન્સર જેવી જીવલેણ બીમારીના શિકાર બની રહ્યા છે.

Body:સુરત જિલ્લાના પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ..કે જ્યાં લોકો જીવલેણ કેન્સરની બીમારી થી પીડાય રહ્યા છે. ગામના મોટાભાગના ઘરોમાં એક વ્યક્તિ કેન્સર સામે લડી રહ્યો છે. મોટાભાગના લોકો ગળા નું અને લીવરના કેન્સરનો ભોગ બની રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બલેશ્વર ગામમાં 100 થી વધુ લોકો કેન્સરની બીમારીનો ભોગ બન્યા છે.

બલેશ્વર ગામા રહેતા લોકો કેન્સર નો ભોગ બની રહ્યા છે ત્યારે લગભગ દરેક પરિવાર આર્થિક પાયમળીની ગર્તામાં ધકેલાય રહ્યા છે. કેન્સરના દર્દીના ઈલાજ માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આ ગામવાસીઓ લાખોના ખર્ચ બાદ પરિવારનું ગુજરાન કરવું પણ અઘરું પડી રહ્યું છે.

ગામલોકોને જણાવ્યા પ્રમાણે ગામમાં હવા પાણી નું પ્રદુષણ એટલી હદે વધી ગયું છે કે લોકો ગલા અને લીવર તેમજ મહિલાઓ બ્રેસ્ટ કેન્સરના દર્દી બની રહ્યા છે. પ્રદુષણ અટકાવવા માટે પ્રશાસન કૈક નક્કર કામગીરી કરે તે જ સમય ની માંગ છે.પાલસનના બલેશ્વર ગામમાં વધી રહેલા પ્રદુષણને કારણે લોકોના જીવ જોખમમાં મુકાય રહ્યા છે ત્યારે જીપીસીબી ની કામગીરી શંકાના ડાયરામાં આવી રહી છે. લોકોની વારંવારની રજૂઆતો સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

બલેશ્વરમાં 100 કરતા વધુ લોકો જીવલેણ કેન્સરનો ભોગ બન્યા છે ત્યારે કેટલાક લોકો પોતાના સ્વજનોને કેન્સરમાં ગુમાવ્યા બાદ હજી પણ શોક માંથી બહાર આવી શક્યા નથી.બલેશ્વર ગામના લોકો કેન્સર જેવી જીવલેણ બીમારીનો ભોગ બની રહ્યા છે ત્યારે ગામલોકો આજુબાજુના વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે ખાસ કરીને કેમિકલ વેસ્ટનો નાશ કરવા માટે બનવવામાં આવેલી ફેક્ટરી પર લોકો દોષારોપણ કરી રહ્યા છે. ગામલોકોનું માનીએ તો આ ફેક્ટરી દ્વારા ઝેરી કેમિકલ ટ્રીટમેન્ટ કર્યા વગર જ ખુલ્લામાં છોડી દેવામાં આવે છે અને ઝેરી કેમિકલના લીધે પાણી અને હવા એટલી હદે પ્રદુષિત થઈ રહી છે કે લોકોનું શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ જાય છે..

ગામલોકો ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડમાં પ્રદુષણ ઓકતા એકમો સામે કાર્યવાહી કરવાની માંગણી છેલ્લા 5 વર્ષોથી કરી રહ્યા છે પરંતુ ગામવાસીઓ વેદના પ્રશાસન ના કાન સુધી પહોંચી રહી નથી. 30 કરતા વધુ લોકોએ કેન્સર સામેના જંગ માં જીવ ગુમાવ્યો છે અને હજી પણ લોકોના માથે કેન્સરનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે સરકારની આંખ ક્યારે ખુલસેએ જોવું રહ્યું...

પલસાણા વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ દ્વારા હવામાં બેફામ રીતે ઝેરી વાયુ છોડવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈને તમને ખ્યાલ આવી જશે કે ફેક્ટરીઓની ચીમની માંથી નીકળતા આ ધુમાળામાં કેટલું કેમિકલ હશે.. ચીમણીઓ માંથી કાળો ધુમાડો નીકળી રહ્યો છે અને હવાને પ્રદુષિત કરી રહ્યો છે. સાંજના સમયે જ વિઝીબિલિટીની આ હાલત છે તો મધરાતે કેવા હાલ થતા હશે તે સમજી શકાય છે. અમારા પ્રતિનિધીએ પલસાણા હાઇવે પાસે જઈને પરિસ્થિતિનો તાગ મેલવાની કોશિશ કરી હતી..

આ તો થઈ પલસાણા તાલુકામાં આવેલી ફેક્ટરીઓ દ્વારા હવામાં ઝેરી વાયુ છોડીને કરવામાં આવી રહેલા હવા પ્રદૂષણની વાત તો હવે ઇકો ટેક્ષટાઇલ્સ પાર્કમાં આવેલી ફેકતરીઓ અને ખાસ કરીને કેમિકલ વેસ્ટ ને ટ્રીટમેન્ટ કરતી ફેક્ટરી દ્વારા કરવામાં આવી રહેલા પાણી પ્રદૂષણની તપાસ કરવામાં જ્યારે ખાડી કિનારે પહોંચીએ તો ત્યાંના દ્રશ્યો જોઈને દંગ રહી ગયા હતા. ફેક્ટરી દ્વારા અંકલેશ્વર અને વાપી જીઆઇડીસીની કેમિકલ ફેક્ટરીના ઝેરી કેમિકલ વેસ્ટને ટ્રીટમેન્ટ આપી પર્યાવરણને નુકશાન નહીં થાય તેની કાળજી રાખવાની છે તે જ ઝેરી પાણી ખાડી માં છોડી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય કે બિનદાસ્તપણે ઝેરી કેમિકલયુક્ત પાણીને ટ્રીટ કર્યા વગર જ ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે.

Conclusion:પર્યાવરણને અને પ્રજાને ગંભીર નુકશાન પહોંચાડનાર આવા તત્વો સામે કડક પગલાં લેવામાં પ્રશાસન સરેઆમ નિષ્ફળ પુરવાર થઇ રહ્યું છે. લોકો કમોતે મરી રહ્યા છે ત્યારે પ્રજાનો અવાજ જીપીસીબી અને સરકારના બહેરા કાન સુધી પહોંચી રહ્યો નથી. બલેશ્વર ગામના લોકો ભૂતકાળમાં આંદોલન પણ કરી ચુક્યા છે. છતાં કેમિકલયુક્ત હવા અને પાણી થી તેમને છુટકારો મળ્યો નથી. લંચિયા અધિકારીઓ ક્યારે પ્રજા લક્ષી કામ કરશે તે જોવું રહ્યું..

બાઈટ : બીસમિલા પઠાણ

બાઈટ.. ચંદા બેન પટેલ, સ્થાનિક

બાઈટ... યુસુફ ભાઈ, સરપંચ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.