ETV Bharat / state

મહેશ સવાણીના સૂર બદલાયા, ભાજપનો ખેસ પહેરીને ભાજપની સભામાં ઉપસ્થિત રહ્યા

author img

By

Published : Nov 26, 2022, 1:52 PM IST

મહેશ સવાણીના સૂર બદલાયા, ભાજપનો ખેસ પહેરીને ભાજપની સભામાં ઉપસ્થિત રહ્યા
મહેશ સવાણીના સૂર બદલાયા, ભાજપનો ખેસ પહેરીને ભાજપની સભામાં ઉપસ્થિત રહ્યા

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા મહેશ સવાણી હવે ભાજપના સમર્થનમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. સુરતમાં કતારગામ વિસ્તારમાં (Katargam area in Surat) કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલાની સભા (Gujarat Assembly Election 2022) યોજાઈ હતી.મહેશ સવાણી ભાજપનો ખેસ પહેરીને સભા આવ્યા હતા. તેમણે જણાવ્યું કે સારા માણસોનો સપોર્ટ કરવો સૌની જવાબદારી છે.

સુરત આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) પૂર્વ નેતા મહેશ સવાણી (Former AAP leader Mahesh Sawani) ભાજપનો ખેસ પહેરીને ભાજપની સભામાં ઉપસ્થિત રહેતા રાજકારણ ગરમાયું છે. તેઓએ રાજકારણનો માણસ નથી તેમ કહી આપ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તે સમયે પણ અચાનક રાજીનામું મહેશ સવાણીનું પડ્તા એક પાર્ટી અને તેમના સમર્થકોને ઝટકો લાગ્યો હતો. અને હવે તો તેમના નિવેદનમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. ભાજપની સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું કે સારા માણસોનો સપોર્ટ કરવો સૌની જવાબદારી છે.

મહેશ સવાણીના સૂર બદલાયા, ભાજપનો ખેસ પહેરીને ભાજપની સભામાં ઉપસ્થિત રહ્યા

રાજકીય પક્ષો પ્રચારમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાને મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો પ્રચારમાં જોતરાઈ ગયા છે. પોત પોતાના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓ, અને સભાઓ યોજાઈ રહી છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલાની સભા યોજાઈ હતી. આ સભામાં ભાજપના નેતાઓ તો હતા જ પરંતુ આપના પૂર્વ નેતા મહેશ સવાણી મહેશ સવાણી ભાજપનો ખેસ પહેરીને સ્ટેજ પર બેઠા હતા. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ માટે ટીપણી કરનાર મહેશ સવાણી જો કે આપ પાર્ટીમાં જઈને ભાજપ પર આકરા પ્રહાર કરનારા મહેશ સવાણીના સુર બદલાયા હતા. હવે તેઓ ભાજપને સમર્થન આપવા માટે લોકોને અપીલ કરી હતી. વડાપ્રધાન મોદી તારીખ 27 નવેમ્બરે સુરત આવી રહ્યા છે. ત્યારે આ સભામાં મહેશ સવાણીએ તો જાણે સુર અને તાલ બન્ને બદલાયા હોય તેવું જોવા મળ્યું હતું. કેમ કે પ્રધાનમંત્રી આવવાના છે અને લોકોને પધારવા મહેશ સવાણીએ અપીલ કરી હતી.

આમ આદમી પાર્ટીને અલવિદા વીનુંભાઈ અમારા પરિવારના સભ્ય છે. મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ તેઓએ સાત મહિના બાદ આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધું હતું. તે સમયે તેમણે જણાવ્યું હતું કે હું રાજકારણનો માણસ નથી. તેમ કહી આપ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. વીનું મોરડિયા પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. વીનુંભાઈ અમારા પરિવારના સભ્ય છે. એટલે સારા માણસો અને સારા વ્યક્તિનો પ્રચાર કરવો જોઈએ. કોઈ પણ સારા વ્યક્તિને નાત જાતના ભેદભાવ ભૂલીને સારા વ્યક્તિને જો ટીકીટ મળતી હોય તો તેઓને જીતાડવાની આપના સૌની ફરજ બનતી હોય છે. જેથી હું તેઓના સમર્થન આવ્યો છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.