ETV Bharat / state

સુરતમાં કેબીનેટ પ્રધાન આર.સી ફળદુ દ્વારા પોષણ અભિયાન 2020-22નો પ્રારંભ

author img

By

Published : Jan 31, 2020, 8:27 AM IST

સુરતમાં ગુજરાતના બાળકોની કુપોષિસતા દુર થાય અને બાળકો તંદુરસ્ત જન્મે તેવા પ્રયાસથી ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત ગુજરાતના કેબીનેટ પ્રધાન આર.સી ફળદુએ ઓલપાડના મોર ગામે પોષણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

Surat
પોષણ અભિયાન 2020-22

સુરત: જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા 30 જાન્યુઆરીથી 1 નવેમ્બર દરમિયાન પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પોષણ અભિયાનની શરૂઆત ગુજરાતના કેબીનેટ પ્રધાન આર.સી.ફળદુએ ઓલપાડના મોર ગામથી કરાવ્યો હતો. મોર ગામ ખાતે ફળદુએ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને મોરની શાળાની નવી ઈમારતનું ભૂમિપૂજન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં અન્નપ્રાસ વિધિ દરમિયાન ફળદુએ પોતાના હાથે બાળકોનું અન્નપ્રાસ વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, તાલુકા ભાજપ સંગઠન, મામલતદાર સહીત આગેવાનોએ હાજરી આપી હતી.

સુરતમાં પોષણ અભિયાન 2020-22નો પ્રારંભ
આ અભિયાનનો મુખ્ય હેતુ 100 % બાળકોનું રસીકરણ, આંગણવાડીના તમામ ઓછા વજન વાળા બાળકોને લીલા ઝોનમાં લઇ આવવા, કિશોરીઓમાં એનીમિયાના પર્માંનુમાં વાર્ષિક 6 %નો ઘટાડો કરવો, અતિ ગંભીર એનિમિક સગર્ભાનું પ્રમાણ શૂન્ય કરવું, શિશુ મૃત્યુદર 1000 દીઠ 30થી ઘટાડીને 9 સુધી લઇ જવું, માતાના મૃત્યુદર પ્રતિ 1 લાખ પર 87થી ઘટાડીને 49 સુધી લઇ જવાનો છે. આ કાર્યક્રમમાં લોક જાગૃતિ માટે બાળ તંદુરસ્તી હરીફાઈ, વાનગી હરીફાઈ, અને "બીજું પિયર ઘર" જેવી ફિલ્મોનું નિર્દેશન કરવામાં આવ્યું હતું.પરિવહન પ્રધાન હેલ્મેટ અંગે જણાવ્યું હતું કે, નામદાર સુપ્રીમ કોર્ટ અને સરકારમાં આ મેટર ચાલી રહી છે, હેલ્મેટ બાબતમાં સરકરી વકીલ જ વધુ માહિતી આપી શકે તેમ છે. તેથી હેલ્મેટ અંગે તેમને કોઈ પણ પ્રકારની ટીપ્પણી કરવી યોગ્ય નથી તેમ જણાવ્યું હતું.
Intro:ગુજરાતના બાળકો ની કુપોષિસતા દુર થાય અને બાળકો તંદુરસ્ત જન્મે તેવા પ્રયાસથી ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત ગુજરાતના કેબીનેટ મંત્રી આર.સી ફળદુએ ઓલપાડના મોર ગામે પોષણ અભિયાન નો પ્રારંભ કરાવ્યો હતો.









Body: ગુજરાત સરકાર દ્વારા ૩૦ જાન્યુઆરી થી ૧ નવેમ્બર દરમિયાન પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે પોષણ અભિયાનની શરૂઆત ગુજરાતના કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ એ ઓલપાડના મોર ગામ થી કરાવ્યો હતો.મોર ગામ ખાતે મંત્રી ફળદુએ આંગણવાડી કેન્દ્રોની મુલકાત લીધી હતી હતી અને મોરની શાળાની નવી ઈમારતનું ભૂમિપૂજન કરાવ્યું હતું.આ કાર્યક્રમમાં અન્નપ્રાસ વિધિ દરમિયાન મંત્રી ફળદુએ પોતાના હાથે બાળકોનું અન્નપ્રાસ વિધિ કરી હતી.આ કાર્યક્રમમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ,તાલુકા ભાજપ સંગઠન,મામલતદાર સહીત આગેવાનોએ હાજરી આપી હતી.

આ અભિયાનનો મુખ્ય હેતુ ૧૦૦ % બાળકોનું રસીકરણ,આગણવાડીના તમામ ઓછા વજન વાળા બાળકોને લીલા ઝોનમાં લાવવા,કિસ,કિશોરીઓમાં એનીમિયાના પર્માંનુંમાં વાર્ષિક ૬ % નો ઘટાડો કરવો,અતિ ગંભીર એનિમિક સગ્ર્ભોનું પ્રમાણ શૂન્ય કરવું,શિશુ મૃત્યુદર ૧૦૦૦ દીઠ ૩૦ થી ઘટાડીને ૯ સુધી લઇ જવું,માતાના મૃત્યુદર પ્રતિ ૧૦૦૦૦૦ પર ૮૭ થી ઘટાડીને ૪૯ સુધી લઇ જવાનો છે.આ કાર્યક્રમમાં લોક જાગૃતિ માટે બાળ તંદુરસ્તી હરીફાઈ,વાનગી હરીફાઈ,અને "બીજું પિયર ઘર" જેવી ફિલ્મોનું નિર્દેશન કરવામાં આવ્યું હતું.

Conclusion: પરિવહન મંત્રીને હેલ્મેટ અંગે જણાવ્યું હતું કે નામદાર સુપ્રીમ કોર્ટ અને સરકારમાં આ મેટર ચાલી રહી છે,હેલ્મેટ બાબતમાં સરકરી વકીલ જ વધુ માહિતી આપી શકે તેમ છે તેથી હેલ્મેટ અંગે તેમને કોઈ પણ પ્રકારની ટીપ્પણી કરવી યોગ્ય નથી તેમ જણાવ્યું હતું.

બાઈટ- આર.સી.ફળદુ_કેબીનેટ મંત્રી ગુજરાત કૃષિ અને ગ્રામ્યવિકાસ મંત્રી


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.