ETV Bharat / state

સુરતમાં નવરાત્રીના પર્વને લઇને મનપા દ્વારા પોલીસ ફરિયાદની ચીમકી, જાણો શું કહ્યું

author img

By

Published : Oct 14, 2020, 3:58 PM IST

If garba will organized in society then action will taken
If garba will organized in society then action will taken

રાજ્ય સરકારના દિશા નિર્દેશ બાદ શેરી ગરબાના આયોજનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મર્યાદિત સંખ્યા વચ્ચે માત્ર માતાજીની આરતી કરવા અંગેની છૂટછાટ આપવામાં આવી છે. જોકે, તે દરમ્યાન જો શેરી ગરબાના આયોજનો કરવામાં આવશે અને નીતિ - નિયમોનું ભંગ કરવામાં આવશે તો પોલીસ ફરિયાદ કરવાની ચીમકી પાલિકા દ્વારા ઉચ્ચારી આવી છે. પાલિકા દ્વારા 5500 જેટલી સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરી સાથે મિટિંગ કરવામાં આવી હતી. જો ગરબા થશે તો નોટિસ આપવામાં આવશે.

સુરત : મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના આદેશ બાદ શેરી ગરબાના આયોજનોને લઈ 5500થી વધુ સોસાયટીઓના પ્રમુખ અને સેક્રેટરીઓ સાથે મિટિંગો યોજી હતીજેમાં જણાવવામાં આવ્યું હતું કે, જો ગરબા થશે તો નોટિસ આપવામાં આવશે. રાજ્ય સરકારે આપેલા દિશા નિર્દેશ મુજબ શેરી ગરબાના આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ માતાજીની આરતી અને પૂજા કરવા માટેની નીતિ નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવી છે. જોકે, લોકોનો જમાવડો થાય તેવા કાર્યક્રમોના ન કરવા માટેની સૂચના પાલિકા દ્વારા આપવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા આ માટે દરેક ઝોનમાં એક ટીમ બનાવવામાં આવી છે. જે ટીમો દ્વારા સુરતના અલગ-અલગ સોસાયટીઓમાં થતા કાર્યક્રમો પર બાઝ નજર રાખવામાં આવશે. એટલું જ નહીં પરંતુ જો નીતિ - નિયમોનો ભંગ કરવામાં આવશે તો પ્રથમ સમજાવટ બાદ શક્ય હશે તો પોલીસ ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પાલિકા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, તેઓ ઘરમાં રહીને જ માતાજીની આરતી અને પૂજા કરી નવરાત્રીના પર્વની ઉજવણી કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.