ETV Bharat / state

કૉંગ્રેસના પાટીલને ભાજપના સંઘવીનો જવાબ, કહ્યું ચૂંટણી આવે એટલે લોકોની આસ્થા પર થાય છે હુમલો

author img

By

Published : Oct 21, 2022, 1:41 PM IST

Updated : Oct 21, 2022, 2:03 PM IST

સુરતમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (harsh sanghvi home minister) કૉંગ્રેસ નેતા શિવરાજ પાટીલને (congress leader shivraj patil) વળતો જવાબ આપ્યો હતો. કૉંગી નેતા શિવરાજ પાટીલે ભગવાન શ્રીકૃષ્ણ અંગે વિવાદાસ્પદ નિવેદન (Controversial statement on Lord Krishna) આપતા તેમની સામે વિરોધનો સૂર ઊઠ્યો છે.

Etv Bharatકૉંગ્રેસના પાટીલને ભાજપના સંઘવીનો જવાબ, કહ્યું ચૂંટણી આવે એટલે દેશની તમામ તાકાત ગુજરાતની આસ્થાને ઠેસ પહોંચાડે છે
Etv Bharatકૉંગ્રેસના પાટીલને ભાજપના સંઘવીનો જવાબ, કહ્યું ચૂંટણી આવે એટલે દેશની તમામ તાકાત ગુજરાતની આસ્થાને ઠેસ પહોંચાડે છે

સુરત કૉંગ્રેસના નેતા શિવરાજ પાટિલે ભગવાન શ્રીકૃષ્ણ (Controversial statement on Lord Krishna) અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનના કારણે કૉંગ્રેસ ફરી એક વાર વિવાદમાં ફસાઈ છે. તેમના આ નિવેદન અંગે ચારે તરફ તેમની ટીકા થઈ રહી છે. ત્યારે હવે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરત ખાતે કૉંગી નેતાના વિવાદાસ્પદ નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કૉંગી નેતા શિવરાજ પાટીલે (congress leader shivraj patil) શ્રીકૃષ્ણના ભક્તોની લાગણની (Controversial statement on Lord Krishna) ઠેસ પહોંચાડી છે.

વડીલ આવું નિવેદન આવે તે અતિ નિંદનીય

ભગવાનના ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું ગૃહ રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે, પહેલા ભગવાન શ્રીરામના ભક્તોનું અને હવે મહાભારતને અલગ અલગ વિષય સાથે જોડવું યોગ્ય નથી. દરેક નેતાએ લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણના ભક્તોની લાગણીઓને (Controversial statement on Lord Krishna) ઠેસ પહોંચાડવાનું કામ થયું છે તેને ખરેખર હું વખોડી કાઢું છું. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે. ત્યારે દેશની તમામ તાકાત ગુજરાતના નાગરિકોની આસ્થાને ઠેસ પહોંચાડે છે.

વડીલ આવું નિવેદન આવે તે અતિ નિંદનીય ગૃહ રાજ્યપ્રધાને ઉમેર્યું હતું કે, એક વડીલ (congress leader shivraj patil) આ પ્રકારનું નિવેદન આપે તે અતિ નિંદનીય બાબત છે. દેશમાં વિકાસની રાજનીતિ થઈ (Gujarat Political News) રહી હોય ત્યારે આ પ્રકારે સમાજને અલગ કરતા નિવેદન અપાય તે તપાસનો વિષય છે.પહેલા આપના નેતા અને હવે કોંગ્રેસના નેતાએ નિવેદન આપ્યું છે..આ નિવેદન નથી. એ તેમની વિચારધારા છે એ વિચારધારાને ઓળખવાનો સમય આવી ગયો.

પુસ્તક વિમોચનમાં વિવાદાસ્પદ નિવેદન કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટીલના (congress leader shivraj patil) વિવાદાસ્પદ નિવેદન અંગે ભાજપે કૉંગ્રેસને આડેહાથ લીધી હતી. સાથે જ તેમની પર વોટ બેન્કની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ લોકસભા અધ્યક્ષ એવા શિવરાજ પાટીલ મોહસીના કિડવાઈના જીવનચરિત્રના પુસ્તત વિમોચન પ્રસંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

Last Updated : Oct 21, 2022, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.