ઉલ્લેખનીય છે કે, સુરતના ગોડાદરા વિસ્તારમાં 3 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરનારાને સુરત કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી અને શુક્રવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આ સજાને યથાવત રાખવામાં આવી છે. 15 ઓક્ટોબર 2018ના રોજ ગુનો કરનારા આરોપી ભાગીને બિહાર જતો રહ્યો હતો. તે બાદમાં પોલીસે આરોપીને બિહારથી ઝડપી લીધો હતો.
-
Gujarat High Court pronounces death penalty for the convict in Surat rape and murder of a three-year-old girl. pic.twitter.com/HKRVkHAlW7
— ANI (@ANI) December 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gujarat High Court pronounces death penalty for the convict in Surat rape and murder of a three-year-old girl. pic.twitter.com/HKRVkHAlW7
— ANI (@ANI) December 27, 2019Gujarat High Court pronounces death penalty for the convict in Surat rape and murder of a three-year-old girl. pic.twitter.com/HKRVkHAlW7
— ANI (@ANI) December 27, 2019
ગુજરાત સરકારે કેસ ઝડપી ચલાવવા તાકીદ કરી હતી. કોર્ટે 35 સાક્ષીઓ, મેડિકલ પુરાવવા, FSL પુરાવા, CCTV ફૂટેજ વગેરેના આધારે ફાંસીની સજા સંભળાવી હતી. 14 ઓકટોબર, 2018ના રોજ ગોડાદરામાં અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી ત્રણ વર્ષીય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો અને માસુમ સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હતી.
જ્યારબાદ હેવાને માસુમ બાળકીના મૃતદેહને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળુ મારી દીધુ હતું. ત્યારબાદ આરોપીએ નાટકીય રીતે બાળકીની પરીવાર સાથે મળી પોલીસ સાથે શોધખોળ હાથ ધરી હતી અને બાદમાં પોતાના વતન બિહાર ભાગી ગયો હતો.