ETV Bharat / state

GST Hike on Surat Textiles:ચેમ્બર ઓફ કોમર્સ અને ફિઆસ્વીએ ટેક્સટાઇલ પર GST ટેક્સ રેટને પરત ખેંચવા અરજી

author img

By

Published : Dec 3, 2021, 4:37 PM IST

કાપડ અને ગારમેન્ટ ઉપર વધેલા GST ટેકસ રેટને (Increased GST tax on textiles and garments)પાછો ખેંચવા ચેમ્બર તથા ફિઆસ્વી દ્વારા દેશના 28 રાજ્યોના મુખ્યપ્રધાન, નાણાં પ્રધાન અને નાણાં સચિવોને પત્ર લખી કરાવામાં આવી છે.આ નવા પરિપત્રને કારણે ટેકસટાઇલ ઉદ્યોગનો(India's textile market) વિકાસ રૂંધાઈ જવાનું જોખમ ઉભું થયું હોવાને કારણે GST(Goods and Services Tax) કાઉન્સીલમાં ગૃપ ઓફ મિનિસ્ટર્સના તમામ સભ્યોને ચેમ્બર અને ફિઆસ્વી (Chamber of Commerce and Fiasvi)દ્વારા સંયુકતપણે રજૂઆતો કરી તેની આડઅસરો વિશે સમજાવવામાં આવ્યું છે. સાથે જ કેન્દ્ર સરકારના આ પરિપત્રને પાછો લેવા માટે વિનંતિ કરવામાં આવી છે.

GST Hike on Surat Textiles:ચેમ્બર ઓફ કોમર્સ અને ફિઆસ્વીએ ટેક્સટાઇલ પર GST ટેકસ રેટને પરત ખેંચવા અરજી
GST Hike on Surat Textiles:ચેમ્બર ઓફ કોમર્સ અને ફિઆસ્વીએ ટેક્સટાઇલ પર GST ટેકસ રેટને પરત ખેંચવા અરજી

  • કાપડ અને ગારમેન્ટ ઉપર વધેલા GST ટેકસ રેટને પાછો ખેંચવા રજૂઆત
  • GST કારણે માલ ઉપર 21 ટકા સુધીનો ભાવવધારો આવવાની સંભાવના
  • દેશના 28 રાજ્યોના મુખ્યપ્રધાન, નાણાં પ્રધાન અને નાણાં સચિવોને રજૂઆત

સુરત: કાપડ અને ગારમેન્ટ ઉપર વધેલા GST ટેકસ રેટને પાછો ખેંચવા(Increased GST tax on textiles and garments) ચેમ્બર તથા ફિઆસ્વી દ્વારા દેશના 28 રાજ્યોના મુખ્યપ્રધાન, નાણાં પ્રધાન અને નાણાં સચિવોને પત્ર લખી કરાવામાં આવી છે. ફિઆસ્વીએ જણાવ્યું છે કે GST વધવાના કારણે (Increased GST tax on textiles and garments)ગેરરીતિ અને ટેક્સ ચોરી વધશે. રોજગારીની સમસ્યા ઉભી થશે સાથે ચીન વિયતનામ, બાંગ્લાદેશન માધ્યમથી ભારતમાં કાપડ મોકલશે જેના કારણે સ્થાનિક વેપારીઓ ટકી શકશે નહીં.

GST ટેકસ રેટને પાછો ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી

ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ રૂંધાઈ જવાનું જોખમ ઉભું થયું હોવાને કારણે GST કાઉન્સીલમાં ગૃપ ઓફ મિનિસ્ટર્સના( Group of Ministers in the GST Council )તમામ સભ્યોને ચેમ્બર અને ફિઆસ્વી (Chamber of Commerce and Fiasvi)દ્વારા સંયુકતપણે રજૂઆતો કરી તેની આડઅસરો વિશે સમજાવવામાં આવ્યું છે.ચેમ્બર તથા ફિઆસ્વી દ્વારા સંયુકતપણે ભારતના 28 જેટલા રાજ્યોના મુખ્યપ્રધાન, નાણાં પ્રધાન અને નાણાં સચિવોને પત્ર દ્વારા ટેકસટાઇલ વેલ્યુ ચેઇનમાં કાપડ અને ગારમેન્ટ ઉપર વધારેલા GST ટેકસ રેટને પાછો ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી છે.

સરકારના આ પરિપત્રને પાછો લેવા માટે વિનંતિ

ફિઆસ્વી ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી ટેકસટાઇલ ક્ષેત્રના GST ટેકસ રેટમાં ફેરફાર કરાયો છે. જેમાં કાપડ અને ગારમેન્ટ ઉપર પહેલા જીએસટી ટેકસ રેટ 5 ટકા હતો, તેને વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. આ નવા પરિપત્રને કારણે ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ રૂંધાઈ જવાનું જોખમ ઉભું થયું હોવાને કારણે GST કાઉન્સીલમાં ગૃપ ઓફ મિનિસ્ટર્સના તમામ સભ્યોને ચેમ્બર અને ફિઆસ્વી દ્વારા સંયુકતપણે રજૂઆતો કરી તેની આડઅસરો વિશે સમજાવવામાં આવ્યું છે. સાથે જ કેન્દ્ર સરકારના આ પરિપત્રને પાછો લેવા માટે વિનંતિ કરવામાં આવી છે.

GST ટેક્સ રેટને પરત ખેંચવા અરજી

બીજા નંબરનું સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર

રજૂઆતોના મુદ્દાઓમાં મુખ્યત્વે જણાવવામાં આવ્યું છે કે, આ જીએસટી ટેકસ વધારાની અસર સૌથી વધુ પાવર લુમ સેકટર ઉપર પડવાની સંભાવના છે અને સાથે સાથે આ ક્ષેત્ર કે જે ભારતમાં બીજા નંબરનું સૌથી વધુ રોજગારી( India is a global textile sector )આપતું ક્ષેત્ર છે. આશરે 14 કરોડ લોકોને સીધી કે આડકતરી રોજગારી આપતું આ ક્ષેત્ર કે જેમાં 70 ટકાથી પણ વધુ લોકો ગ્રામિણ અર્થ વ્યવસ્થાનો આધાર હોવાથી આ GST ટેકસ માળખામાં બદલાવવાને કારણે ભારતની 40 કરોડ જેટલી વસતિ પ્રભાવિત થવાની સંભાવના છે.

23 થી 25 લાખ લોકોને રોજગારી ગુમાવવાનો વારો

ભારતનું ટેકસટાઇલ માર્કેટ ખાસ કરીને અંતિમ ગ્રાહકો માટેનું માર્કેટ પ્રાઇઝ ઇલાસ્ટીક છે. જેનો મતલબ એવો થાય છે કે જેમ ભાવ વધે તેમ માંગ ઘટે તથા માંગ ઘટે એટલે ઉત્પાદન પણ ઘટે. જે અંતર્ગત નાણાં મંત્રાલય દ્વારા હાલમાં સુધારેલા GST(Goods and Services Tax) માળખાને કારણે ગ્રાહક સુધી પહોંચતા માલ ઉપર 21 ટકા સુધીનો ભાવવધારો આવવાની સંભાવના છે. જેના કારણે માંગમાં 5 ટકાથી 10 ટકા સુધીનો ઘટાડો પણ થાય તો આખા ભારતમાં લગભગ 23 થી 25 લાખ લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવી શકે છે, તથા આશરે 4 કરોડ લોકોના જીવન નિર્વાહનો પ્રશ્ન ઉભો થઇ શકે છે. સાથે જ દેશનો આર્થિક વિકાસ રુંધાઇ શકે છે. બેરોજગારીને કારણે લોકો રસ્તા ઉપર ઉતરી આવીને કાયદો હાથ લઇ શકે છે. જેથી દેશની શાંતિ ડહોળાઈ શકે છે.

વૈશ્વિક સ્તરે ટેકસટાઇલ ક્ષેત્રે ભારતની સ્પર્ધાત્મકતા ઘટી શકે

ભારત દ્વારા સાફટા અને આશિયાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરેલા છે. આથી જો સ્થાનિક કપડું મોંઘુ થાય તો બાંગ્લાદેશ, શ્રીલંકા, વિયેતનામ, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા અને નેપાલથી કાપડની આયાત વધી જશે. જેથી કરીને ભારતે ટેકસટાઇલમાં વિવિંગ અને ગારમેન્ટ ક્ષેત્રે ઊંચા પાયા ઉપર કરેલું રોકાણ એળે જવાની સંભાવના છે, જે વૈશ્વિક સ્તરે આપણી સ્પર્ધાત્મકતા ઘટાડશે.

સરકારનો ટેકસ રેવન્યુનો હેતુ ફલીત થતો નથી

ભૂતકાળમાં હંમેશા એવા અનુભવ થયા છે કે જે કોઈપણ માલ સામાન ઉપર ઊંચો ટેકસ જ્યારે પણ લગાવવામાં આવે છે. ત્યારે વેપારીઓ દ્વારા ટેકસ ચોરી કરવામાં આવે છે. જેના કારણે સરકારનો ટેકસ રેવન્યુનો હેતુ ફલીત થતો નથી. આ તમામ પાસાઓને ધ્યાનમાં લઈને ટેકસટાઇલ ઉદ્યોગને બચાવવા હેતુ ચેમ્બર તથા ફિઆસ્વી દ્વારા સંયુકતપણે ભારતના 28 જેટલા રાજ્યોના મુખ્યપ્રધાન, નાણાં પ્રધાન અને નાણાં સચિવોને રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંંચોઃ CBSE controversy: ધોરણ 12ના પેપરમાં ગુજરાતના 2002ના રમખાણ અંગે પ્રશ્ન પૂછાતા CBSEએ માફી માગી
આ પણ વાંંચોઃ Gujarat Congress New President જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા CLP, સત્તાવાર આજે કરશે જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.