ETV Bharat / state

World Blood Donor Day : સુરતના ઘનશ્યામભાઈએ 11 વર્ષ બ્લડ કેમ્પ યોજીને 17 હજાર લોહીની બોટલો બ્લડ બેન્કને અપાવી

author img

By

Published : Jun 14, 2021, 12:05 AM IST

14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ (World Blood Donor Day) છે, ત્યારે 93 વખત રક્તદાન કરેલા સુરતના ઘનશ્યામ વસાણીએ ગરમીના સમયમાં લોહીની અછત શહેરમાં ન સર્જાય એ માટે NGO બનાવીને 11 વર્ષમાં અનેક બ્લડ ડોનેશન કેમ્પ (Blood Donation Camp) યોજી 17,000 જેટલી લોહીની બોટલો આઠ જેટલી બ્લડ બેન્ક (Blood bank)ને અપાવી છે.

Donating blood 93 times
Donating blood 93 times

  • 14 જૂન World Blood Donor Day
  • 93 વખત રક્તદાન કરી લોકોની જિંદગી બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું
  • 17,000 જેટલી લોહીની બોટલો આઠ જેટલી બ્લડ બેન્કને આપી

સુરત : 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ (World Blood Donor Day) છે. કોઈવાર દર્દી લોહીની અછતના કારણે પોતાનો જીવ ગુમાવે છે પણ સમાજમાં એવા પણ લોકો છે, જે માનવતાના ધોરણે સ્વૈચ્છીક રક્તદાન (Blood Donation) કરતા હોય છે. સુરતના ઘનશ્યામ વસાણીએ 93 વખત રક્તદાન કરી લોકોની જિંદગી બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. એટલું જ નહીં ગરમીના સમયમાં લોહીની અછત શહેરમાં ન સર્જાય એ માટે NGO બનાવીને 11 વર્ષમાં અનેક બ્લડ ડોનેશન કેમ્પ (Blood Donation Camp) યોજી 17,000 જેટલી લોહીની બોટલો આઠ જેટલી બ્લડ બેન્ક (Blood bank)ને આપી છે.

સુરતના ઘનશ્યામભાઈ 11 વર્ષ બ્લડ કેમ્પો યોજી 17 હજાર લોહીની બોટલો બ્લડ બેન્કને અપાવી

NGOના માધ્યમથી અલગ-અલગ બ્લડ કેમ્પનું આયોજન શહેરમાં કરવામાં આવે છે

ઘનશ્યામ વસાણી બિરલાએ જણાવ્યું હતું કે, મેં મારા જીવનમાં લોહી આપવાની શરૂઆત 26 વર્ષથી કરી હતી. આજે મને 55 વર્ષ 1લી એપ્રિલે થયા ત્યાં સુધીમાં મેં 93 વખત બ્લડ ડોનેશન (Blood Donation) કર્યું છે. સુરતમાં લગભગ આઠ બ્લડ બેન્કો છે. આ તમામ બ્લડ બેન્કો (Blood bank)ને બ્લડ ડોનેશન કેમ્પ યોજીને 17 હજાર કરતા પણ વધારે બોટલો મારા દ્વારા અપાઈ છે. દસ વર્ષ પહેલા વિચાર આવ્યો કે, ઉનાળામાં બ્લડની જરૂરિયાત વધારે હોય છે, ત્યારે મેં સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન નામની NGOની શરૂઆત કરી. આ NGOના માધ્યમથી અલગ-અલગ બ્લડ કેમ્પનું આયોજન શહેરમાં કરવામાં આવે છે. જેથી જરૂરિયાતમંદ દર્દીને સમયસર લોહી મળી શકે.

અડધી રાત્રે પણ લોહી આપવા તૈયાર છું : ઘનશ્યામ વસાણી બિરલા

ઘનશ્યામ વસાણી બિરલાએ વધુમાં જણાવ્યું હતું કે, કોલેજ સમયથી મને લાગતું હતું કે, જો મારા શરીરનું લોહી બીજાને નવજીવન આપી શકતું હોય તો આના જેવું પુણ્યનું કામ બીજું ક્યુ હોઈ શકે ? ત્યારથી મેં નક્કી કર્યું છે કે જ્યારે પણ મારા લોહીની બીજાને જરૂરિયાત ઉભી થાય તો હું અડધી રાત્રે પણ લોહી આપવા તૈયાર છું. મારી ઈચ્છા 100નો આંકડો પાર કરવાની છે.

આ પણ વાંચો : સુરતની યુવતીએ પોતાના 18મા જન્મદિનની ઉજવણી રક્તદાન શિબિર યોજી કરી

દર વર્ષે સુરતમાં 110000 બોટલની જરૂરિયાત

ઘનશ્યામભાઈએ જણાવ્યું કે, દર વર્ષે સુરતમાં 110000 બોટલની જરૂરિયાત હોય છે. જેની સામે માત્ર 90000થી 95000 જેટલી જ બોટલ આવે છે. હું લોકોને અપીલ કરું છું કે, જન્મ દિવસ હોય કે લગ્ન પ્રસંગ અથવા તો કોઈના બેસણામાં પણ રક્તદાન કેમ્પ (Blood Donation Camp)નું આયોજન કરવું જોઈએ. જેને કારણે સમાજમાં એક અલગ મેસેજ જશે. વિજ્ઞાને જેટલી પણ પ્રગતિ કરી હોય, પરંતુ માણસને જે રક્તની જરૂરિયાત હોય છે તે માણસ જ પૂરી કરી શકે છે. રક્તદાનએ મહાદાન છે. રક્તદાનએ જ જીવનદાન છે.

આ પણ વાંચો : અમદાવાદ જિલ્લામાં યોજાયો ભવ્ય રક્તદાન કેમ્પ

લોકોએ પોતાની ફરજ સમજીને રક્તદાન કરવું જોઈએ

આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, હું જ્યારે વિદ્યાર્થી હતો, ત્યારથી જ આ પ્રવૃત્તિ કરતો આવ્યો છું. જ્યારે હું વિદ્યાર્થી હતો ત્યારે રક્તદાન અંગે લોકો વિચારતા હતા કે લોહી આપવાથી કમજોરી આવી જાય છે. મને પહેલી એપ્રિલે 55 વર્ષ થઇ ગયા છે અને 93 વખત બ્લડ આપીને તમારી સામે ઉભો છું અને સશક્ત સાથે સુખી છું. લોકોએ આ ફરજ સમજીને રક્તદાન કરવું જોઈએ. દેશ રાજ્ય કે શહેરમાં કોઇપણ વ્યક્તિ લોહીની અછતના કારણે મૃત્યુ ન પામે એ જ પ્રાર્થના છે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.