ETV Bharat / state

ગુજરાત ગેસ કંપનીની પાઇપ લાઈનમાં લીકેજ થતા આગ, કાબૂ મેળવાયો

author img

By

Published : Nov 25, 2019, 5:18 PM IST

ગુજરાત ગેસ કંપનીની પાઇપ લાઈનમાં લીકેજ થતા આગ લાગી

સુરત: અમરોલી વિસ્તારમાં ગુજરાત ગેસ કંપનીની પાઇપ લાઈનમાં અચાનક ગેસ લીકેજની ઘટના બનતા આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને મળતા ફાયર ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવની જાણ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને પણ કરવામાં આવી હતી. જ્યાં અધિકારીઓએ સ્થળ પર પહોંચી રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી.

અમરોલીના છાપરાભાઠા ખાતે આવેલા શ્રીનાથજી રેસિડેનસીની પાછળ ગેસ લિકેજની આ ઘટના બની હતી. મનપા સંચાલિત વોટર વર્ક્સની પાછળ ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઈન પસાર થાય છે અને લાઈનમાં ફોલ્ટ આવવાના કારણે ગેસ લીકેજ થયો હતો. મળતી માહિતી મુજબ પાઇપલાઇનમાંથી ગેસ લિકેજ થતા આગ લાગી હોવાનું કારણ સામે આવ્યું હતું.

ગુજરાત ગેસ કંપનીની પાઇપ લાઈનમાં લીકેજ થતા આગ લાગી

આગના ગોટે ગોટા જોતા સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગ અને ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગેસ કંપનીના અધિકારીઓએ તાત્કાલિક ગેસ સપ્લાયની લાઇનને બંધ કરી સમારકામ કામ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ ઉધના રોડ નંબર બે પર ગેસ લીકેજના કારણે આગ લાગી હતી. ત્યારે અમરોલી વિસ્તારમાં પણ ગેસ લિકેજથી આગની ઘટના બની હતી.

Intro:સુરત : અમરોલી વિસ્તારમાં ગુજરાત ગેસ કંપની ની લાઈનમાં અચાનક ગેસ લીકેજ ની ઘટના બનતા આગ ફાટી નીકળી હતી.ઘટનાની જાણકારી સુરત ફાયર વિભાગને મળતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જો કે બનાવની જાણકારી ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને પણ કરવામાં આવી હતી.જ્યાં અધિકારીઓએ સ્થળ પર પોહચી રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી.


Body:અમરોલી ના છાપરાભાઠા ખાતે આવેલ શ્રીનાથજી રેસિડેનસી ની પાછળ ગેસ લિકેજની આ ઘટના બની હતી.મનપા સંચાલિત વોટર વર્ક્સ ની પાછળ ગુજરાત ગેસ કંપનીની લાઈન પસાર થાય છે અને લાઈનમાં ફોલ્ટ આવવાના કારણે ગેસ લીકેજ થયો હતો.જ્યાં ગેડ લિકેજની ઘટના ના કારણે આગ ફાટી નીકળી હતી.આગની જ્વાળાઓ ઊંચે સુધી જોવા મળતા સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગ સને ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને કરવામાં આવી હતી.જ્યાં ફાયરે સૌ પ્રથમ ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવ્યો હતો.જ્યારે ગેસ કંપનીના અધિકારીઓને ગેસ સપ્લાય ની લાઇન બંધ કરી તાત્કાલિક રીપેરીંગ કામ કર્યું હતું.આગ પર કાબુ મેળવતા સ્થાનિક લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ઉધના રોડ નમ્બર બે પર ગેસ લિકેજના કારણે મોટી આગ ફાટી નીકળી હતી.જ્યારે આગની મોટી જ્વાળાઓ જોવા મળતા સ્થાનિક લોકોમાં પણ નાસભાગ મચી ગઇ હતી.Conclusion:જ્યાં આ ઘટના શમી ન હતી ,ત્યાં અમરોલી વિસ્તારમાં ગેસ લિકેજથી આગની ઘટના બની હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.