ETV Bharat / state

DGVCL દ્વારા વીજ દરમાં વધારો, યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો ઉદ્યોગોને થશે નુકસાન

author img

By

Published : Jul 29, 2022, 2:30 PM IST

DGVCL દ્વારા વીજ દરમાં વધારો, યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો ઉદ્યોગને તાળા મારવાના વારો આવશે
DGVCL દ્વારા વીજ દરમાં વધારો, યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો ઉદ્યોગને તાળા મારવાના વારો આવશે

DGVCL દ્વારા ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જમાં વધારો કરવામાં આવતા કાપડ ઉદ્યોગ (Surat Textile Industry )સાથે સંકળાયેલા વિવર્સ હાલત કફોડી બની ગઈ છે. છેલ્લા છ માસમાં DGVCL દ્વારા ફ્યુઅલ એડજેસ્ટ મેન્ટ ચાર્જમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો (Power rate hike by DGVCL )છે. હાલ મંદીની પરિસ્થિતિ હોવાના કારણે અને બીજી બાજુ વીજ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલો વધારો તેમની માટે અસહ્ય છે.

સુરત: વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં વીજળીએ મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. DGVCL દ્વારા ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જમાં વધારો કરવામાં આવતા કાપડ ઉદ્યોગ સાથે (Surat Textile Industry ) સંકળાયેલા વિવર્સ હાલત કફોડી બની ગઈ છે. DGVCL દ્વારા છેલ્લા છ માસમાં ફ્યુઅલ એડજેસ્ટ મેન્ટ ચાર્જમાં 0.50 પૈસા જેટલો વધારો(Power rate hike by DGVCL ) કરવામાં આવ્યો છે. ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશનના જણાવ્યા મુજબ છેલ્લા છ માસમાં DGVCL દ્વારા ફ્યુઅલ એડજેસ્ટ મેન્ટ ચાર્જમાં 50 ટકાનો (DGVCL Fuel Adjustment Charge)વધારો કરવામાં આવ્યો છે.

વીજ દરમાં વધારો

DGVCL દ્વારા ફ્યુઅલ એડજેસ્ટ મેન્ટ ચાર્જમાં વધારો - એસોસીએશન તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે હાલ મંદીની પરિસ્થિતિ હોવાના કારણે અને બીજી બાજુ વીજ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલો વધારો તેમની માટે અસહ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસોસિએશન દ્વારા થોડાક દિવસ પહેલા સુરત DGVCLને આ બાબતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ વધારા સામે વિરોધ નોંધાવીએ નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ તાપીની DGVCLનો કર્મચારી 5000ની લાંચ લેતા ઝડપાયો

ડિપોઝિટ અંગેની નોટિસ ફટકારવામાં આવી - મહારાષ્ટ્રમાં વિવિધ ઉદ્યોગને સબસીડી રેડથી વીજળી પૂરી પાડવામાં આવે છે જ્યારે બીજી બાજુ ગુજરાતમાં વીજદર 7.75 પ્રતિ યુનિટ છે અને તેની સામે મહારાષ્ટ્રમાં માત્ર 4.50 પ્રતિ યુનિટ છે. એટલું જ નહીં વીજ કંપનીઓ દ્વારા સમયસર વીજ બીલ ભરતા ગ્રાહકોને સિક્યોરિટી ડિપોઝિટ અંગેની પણ નોટિસ ફટકારવામાં આવી રહી છે.

ઉદ્યોગને તાળા મારવા વખત આવી જશે - હાલ જે પરિસ્થિતિ કાપડ ઉદ્યોગમાં જોવા મળી રહી છે તેમાં આર્થિક સંજોગો અને મંદીને ધ્યાનમાં લેતા વધારો વિવિધ ઉદ્યોગ માટે અસહ્ય છે. આવનાર દિવસોમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પણ એસોસિએશન આવેદનપત્ર આપી રજૂઆત કરશે. એસોસીએશન તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે આ બાબતમાં જો યોગ્ય પગલા લેવામાં નહીં આવશે તો લાખો લોકોને રોજગારી આપતા ઉદ્યોગને તાળા મારવા વખત આવી જશે. આ ઉદ્યોગ ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાંથી ધીરે-ધીરે પલાયન થઇ જશે.

આ પણ વાંચોઃ Power Cut Problem in Surat : ઉદ્યોગો એક દિવસ બંધ રાખવા સરક્યૂલર, બીજીતરફ પ્રધાન કંઇક જૂદું કહે છે

વધારાનો બોજો - એસોસીએશનના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે,જે રીતે ડીજીવીસીએલ દ્વારા વધારો કરવામાં આવ્યો છે ખાસ કરીને ગણતરી કરવા જઈએ તો જે લોકોને 10000 યુનિટનું બિલ આવતું હોય તેમને 5,000 રૂપિયાનો વધારો છે અને જે લોકો 1 લાખ યુનિટ વાપરે છે તેમને 50,000 રૂપિયાનો વધારો છે. વીજ બીલ ભરનારા ઉદ્યોગકારો માટે આ વધારાનો બોજો છે અનાર દિવસોમાં આ અંગે અમે રજૂઆત કરીશુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.