ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ પૂર્વ પ્રદેશ મહામંત્રી સહિત 400 લોકો કેસરીયાં કરી ભાજપમાં જોડાયાં, પાટીલ રહ્યાં હાજર

author img

By

Published : Apr 6, 2022, 4:11 PM IST

Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ પૂર્વ પ્રદેશ મહામંત્રી સહિત 400 લોકો કેસરીયાં કરી ભાજપમાં જોડાયાં, પાટીલ રહ્યાં હાજર
Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ પૂર્વ પ્રદેશ મહામંત્રી સહિત 400 લોકો કેસરીયાં કરી ભાજપમાં જોડાયાં, પાટીલ રહ્યાં હાજર

વિધાનસભા ચૂંટણીઓને લઇ (Gujarat Assembly Election 2022 )સાબરકાંઠા કોંગ્રેસ માટે આજે મોટો સેટ બેક (Sabarkantha Congress Set Back )સર્જાયો છે. હિંમતનગરમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી સહિત 400 લોકો ભાજપમાં (Sabarknatha BJP) જોડાઈ ગયાં છે. આ તકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ (BJP President C R Patil ) હાજર હતાં. આ વાંચો અહેવાલ.

સાબરકાંઠા- હિંમતનગર ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022 ) લઇને ઉત્સાહમાં આવે તેવા સમાચાર છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (BJP President C R Patil ) તેમજ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની (HM Harsh Sanghvi) અધ્યક્ષતામાં એક સાથે 3 કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સભ્યોને આવકારવામાં આવ્યાં હતાં. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી તેમજ પૂર્વ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ સહિત ગોપાલસિંહ રાઠોડ સહિત 400થી વધારે ટેકેદારો,સમર્થકો તેમજ કોંગ્રેસના હોદેદારો (Sabarkantha Congress Set Back ) ભાજપમાં જોડાયા હતાં. આ ઉપરાંત દિવ્યાંગ સંમેલન અને કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું. અહીં ગુજરાત પ્રદેશ પ્રમુખે નિવેદન આપ્યું હતું કે ભાજપ તેના 42માં સ્થાપના દિન (BJP Sthapna Divas 2022) નિમિત્તે આગામી 90 દિવસમાં ગુજરાતમાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે પ્રયાસ હાથ ધરશે તેમ જ ગુજરાતમાં કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કડક હાથે કામ પણ લેવાશે.

વિધાનસભા ચૂંટણીઓને લઇને સાબરકાંઠા ભાજપનું બળ વધ્યું

આ પણ વાંચોઃ Congress Azaadi Gaurav Yatra 2022: ગાંધી આશ્રમથી કોંગ્રેસની 1100 કિમીની ગૌરવ યાત્રાનું થયું પ્રસ્થાન

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાજપમાં જોડાયા - હિંમતનગરના મોદી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી તેમજ પૂર્વ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ સહિત ગોપાલસિંહ રાઠોડ સહિત 400થી વધારે ટેકેદારો,સમર્થકો તેમજ કોંગ્રેસના હોદેદારો ભાજપમાં જોડાયા હતાં. સી.આર.પાટીલના હસ્તે કેસરીયો ધારણ કર્યો હતો. સાથોસાથ 2024 સુધીમાં ભાજપ તેના નક્કી કરેલા મેનિફેસ્ટોના વચનો પૂર્ણ કરશે તેમ પણ જણાવ્યું હતું.

આ કાર્યક્રમો પણ યોજાયાં - ત્યારબાદ હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર ખાતે દિવ્યાંગ સન્માન સંમેલન અંતર્ગત દિવ્યાંગ બાળકોનું સન્માન કરાયું હતું. જોકે વીર પ્રતાપ ફાઉન્ડેશનના તમામ ટેકેદારો ભાજપમાં જોડાયા બાદ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખે નિવેદન (BJP President C R Patil )આપ્યું હતું કે આગામી દિવસમાં ભાજપ તેના 42માં સ્થાપના દિન નિમિત્તે ગુજરાતમાંથી કુપોષણ દૂર કરવાનો ભગીરથ પ્રયાસ કરશે તેમજ ભાજપના તમામ કાર્યકર્તાઓ યથાશક્તિ કુપોષિત બાળકોને દત્તક લઈ વિશેષ મહત્વ આપશે.

સી આર પાટીલને વિદ્યાર્થીનેતા યુવરાજસિંહની ધરપકડ મામલે પૂછાતાં તેમણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા માટે કડક હાથે કામ લેવાશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ BJP Foundation Day : PM મોદીએ કહ્યું – સરકાર રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને કરી રહી છે કામ

એકસાથે 500થી વધારે કાર્યકર્તાઓ તેમજ ટેકેદારોનું ગાબડું - આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની તૈયારીઓ (Gujarat Assembly Election 2022 ) ચાલી રહી છે તેવા સમયે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પટેલના અધ્યક્ષસ્થાને કોંગ્રેસમાં મસમોટુ ગાબડુ (Sabarkantha Congress Set Back ) સર્જાયું છે. જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ સહિત 400થી વધુ લોકોએ કેસરીયો ધારણ કરી લીધો છે. ત્યારે આગામી વિધાનસભામાં કેટલા અંશે સફળતા મળે છે તે પણ મહત્વનું બની રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.