ETV Bharat / state

સાબરકાંઠામાં બનતો આયુર્વેદ મલમ ઓસ્ટ્રેલિયા સુધી પહોચ્યો, જાણો શું ખાસ વાત છે આ મલમમાં...

author img

By

Published : Jun 15, 2022, 6:44 PM IST

સાબરકાંઠામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ગરીબી નીચે જીવતા લોકો માટે મિશન મંગલમ(Mission Mangalam) હેઠળ સખી મંડળની રચના કરવામાં આવી છે. જેમાં લોકો પાસે આયુર્વેદિક પ્રોડક્ટ(Ayurvedic herbal product) બનાવીને એક મહિનામાં લોકો વધુ સારી તેવી તક ઉભી કરી છે.

સાબરકાંઠામાં બનતો આયુર્વેદ મલમ ઓસ્ટ્રેલિયા સુધી પંહોચ્યો, શું ખાસ વાત છે આ મલમમાં, જાણો
સાબરકાંઠામાં બનતો આયુર્વેદ મલમ ઓસ્ટ્રેલિયા સુધી પંહોચ્યો, શું ખાસ વાત છે આ મલમમાં, જાણો

સાબરકાંઠા: શહેરી અને ગ્રામીણ ગરીબ કુટુંબોને(Rural poor families) એક જૂથ અને સંગઠિત બની સ્વરોજગારીની દિશામાં આગળ વધે અને આર્થિક રીતે ઉન્નત બને તે માટે મિશન મંગલમ હેઠળ સખી મંડળોની રચના કરવામાં આવે છે. આવું જ એક સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર(Himmatnagar in Sabarkantha district) તાલુકાના અગિયોલનું સેવા સખી મંડળ છે. જે આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ(Ayurvedic herbal product) બનાવીને એક મહિમાં રુપિયા 50,000થી વધુની કમાણી કરે છે.

માલીશ તેલ છેક ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશો પણ જાય છે -
માલીશ તેલ છેક ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશો પણ જાય છે -

આ પણ વાંચો: પાલનપુરની એક યુવાન દીકરીએ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા શરૂ કર્યું અનોખું અભિયાન

પ્રાચીન ઔષધીઓમાંથી કેમિકલ વગરની પ્રોડક્ટ - આ મંડળના પ્રમુખ શિલ્પાબહેન ગોહિલ જણાવે છે કે, અત્યારના આધુનિક યુગમાં બજારમાં મળતા હેલ્થ તેમજ સુંદરતા વધારવાના કેમિકલ પ્રોડક્ટનું વેચાણ(Sales of chemical products) થાય છે. જે આપણા સ્વાસ્થ્યને અને શરીરને નુકસાનકારક બને છે. આ સાથે પૈસાનું પણ નુકસાન થાય છે. અમારી સેવા સખી મંડળની બહેનો(Ladies of Sakhi Mandal) દ્વારા પ્રાચીન ઔષધીઓમાંથી કેમિકલ વગરની પ્રોડક્ટ(Chemical free product) ઉત્પાદિત કરી વેચાણ માટે મુકે છે. જે બિલકુલ આડ અસર કરતી નથી અને ઘરમાં નાના-મોટા સભ્યો માટે આ આયુર્વેદિક પ્રોડક્ટ ફાયદાયક સાબિત થાય છે.

વિવિધ પ્રોડક્ટો સખી મંડળ દ્વારા બનાવવામાં આવે છે - અમારા સખી મંડળમાં અમે 20 બહેનો છીએ. અમારી સેવા સખી મંડળની બહેનો જાતે આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ બનાવીને વેચાણ કરીએ છીએ. અમારા મંડળ દ્વારા 17 જેટલી હર્બલ પ્રોડક્ટો બનાવવામાં આવે છે. જેમાં ગિરનારી આયુર્વેદિક માલીશ તેલ(Girnari Ayurvedic massage oil), ગિરનારી દીપ આયુર્વેદિક દંતમંજન, ગિરનારી સંજીવની આયુર્વેદિક ચુર્ણ, ગિરનારી હરસ મુક્ત ચુરણ, ગિરનારી એલોવેરા જેલ, ગુલાબ જળ, ગિરનારી પગ વાઢીયા મલમ, ગિરનારી ફેસપેક પાવડર, વેટ પ્લસ ચૂર્ણ, હર્બલ શેમ્પુ, ડાયાબિટીસ માટે નિત્યમ કંટ્રોલ ચૂર્ણ, પથરી-ગો આયુર્વેદિક ચૂર્ણ, કોલ્ડ ક્રીમ, હેર ઓઇલ જેવી વિવિધ પ્રોડક્ટો અમારા સખી મંડળ દ્વારા બનાવવામાં આવે છે.

મંડળના પ્રમુખ શિલ્પાબહેન ગોહિલ
મંડળના પ્રમુખ શિલ્પાબહેન ગોહિલ

આ પણ વાંચો: રાજ્યમાં રોજગારી-સ્વરોજગારી વધે તે માટે MSMEને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે : સૌરભ પટેલ

સખી મંડળમાં દરેકની આવક 500 રૂપિયા જેટલી છે - શિલ્પાબહેન વધુમાં જણાવે છે કે, અમે છેલ્લા 12 વર્ષથી આયુર્વેદિક પ્રોડક્ટનું વેચાણ કરીએ છીએ. જેમાં અત્યાર સુધી વર્ષે રૂપિયા 12થી 13 લાખનું ટનઓવર બહેનો દ્વારા કરવામાં આવ્યું છે. સખી મંડળમાં દરેક બહેન દિવસના 400થી 500 જેટલા રૂપિયા કમાય છે.

માલીશ તેલ છેક ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશો પણ જાય છે - સેવા સખી મંડળની વિવિધ હર્બલ પ્રોડક્ટ પૈકી ગિરનારી આયુર્વેદિક માલીસ તેલનું ખુબ જ વેચાણ થાય છે. આ માલીશ તેલ છેક ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશો પણ જાય છે. આ તેલથી કમર-માથાનું દર્દ, સંધિવા, વા ધૂંટળ પીઠ કડતર, સ્નાયુ પગની એડી સાયટીકા, ગરદન પગ મચકોડ, સોજા, પગના તળિયા, બળતરા-ખસ, ખરજવું, ધાધર, ખંજવાળ, શરદી , ઉધરસ, કફ જેવા દુઃખ દૂર કરે છે. આ માલીશ તેલની અસરકારતાના કારણે કોરોના સમય દરમિયાન સેવા સખી મંડળ દ્વારા માલીસ તેલનું 4 લાખ જેટલું વેચાણ કરવામાં આવ્યુ હતુ.

મહિલા આર્થિક વિકાસ દ્વારા બેસ્ટ સેલરનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે - સેવા સખી મંડળ(Seva Sakhi Mandal) સાથે બીજા 5 સખી મંડળની બહેનો દ્વારા આવા આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવે છે. આ આયુર્વેદિક પ્રોડક્ટ ફક્ત જિલ્લામાં જ નહીં પરંતુ આખા ગુજરાત રાજ્ય તથા વિદેશમાં પણ માંગ છે. સેવા સખી મંડળને વર્ષ 2022માં મુખ્યમંત્રી અને મહિલા આર્થિક વિકાસ દ્વારા બેસ્ટ સેલરનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.