ETV Bharat / state

સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા વિધવા તથા પેન્શનરોને ઘર બેઠા અપાઇ સહાય

author img

By

Published : Apr 4, 2020, 8:33 PM IST

સમગ્ર ગુજરાતમાં સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા વિધવા તેમજ પેન્શનરોને ઘર બેઠા નિયત કરેલી રકમ મળી રહે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા વિધવા તેમજ પેન્શનરોને ઘર બેઠા સહાય આપવામાં આવી રહી છે.

સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા વિધવા તથા પેન્શનરોને ઘર બેઠા અપાઇ સહાય
સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા વિધવા તથા પેન્શનરોને ઘર બેઠા અપાઇ સહાય

સાબરકાંઠાઃ જિલ્લામાં કોરોના વાયરસના સંક્ર્મણને અટકાવવાના વહીવટી તંત્ર દ્વારા અનેક સરાહનિય પગલા લેવાઇ રહ્યા છે. જિલ્લામાં ગંગા સ્વરૂપ યોજનાની લાભાર્થી બહેનોને હાલની સ્થિતિમાં ઘરની બહાર પૈસા ઉપાડવા ન જવુ પડે તે માટે સાબરકાંઠા જિલ્લાની પોસ્ટ ઓફીસ દ્વારા વિધવા બહેનોને ઘરે બેઠા તેમની સહાયની રકમ ચૂકવવામાં આવી રહી છે.

લોકોને લોકડાઉનને પગલે ઘરે રહેવા સતત અપીલ કરવામાં આવી રહી છે. સાથે તેમને ઘરે બેઠા તમામ જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ પૂરી પાડવાની ખાત્રી આપવામાં આવી રહી છે. આ ખાત્રી માત્ર શાબ્દીક નહી વાસ્તવિક છે. જિલ્લા પોસ્ટ ઓફિસ દ્વારા ગંગા સ્વરૂપ વિધવા બહેનો તેમજ પેન્શનરોને ઘરે-ઘરે જઇ તેમની સહાય ચુકવવામાં આવી રહી છે.

લોકડાઉનને પગલે વાહન વ્યવહાર બંધ હોવાથી જરૂરીયાતમંદ અને અસહાય લોકોને પોતાની જીવન જરૂરીયાતો માટે કોઇ તકલીફ ન પડે તેનુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જેમાં પોસ્ટ ઓફીસના કર્મચારી દ્વારા હાલની સ્થિતિમાં સામાનની સારી સેવા કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.