ETV Bharat / state

ગુજરાતમાં પ્રથમ રાજકોટના દર્દીને એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નાઈ શિફ્ટ કરવામાં આવ્યો

author img

By

Published : May 21, 2022, 4:52 PM IST

ગુજરાતમાં પ્રથમ રાજકોટના દર્દીને એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નાઈ શિફ્ટ કરવામાં આવ્યો
ગુજરાતમાં પ્રથમ રાજકોટના દર્દીને એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નાઈ શિફ્ટ કરવામાં આવ્યો

ગુજરાત સરકાર દ્વારા 108 સેવામાં હવાઈ સેવાને (Air ambulance in Gujarat )સામેલ કરી એર એમ્બ્યુલન્સ શરુ કરવામાં આવી છે. આ સેવાનો લાભ લેનાર પ્રથમ દર્દી રાજકોટમાં સારવાર લઈ રહેલા જય કુમાર મકવાણા કે જેઓ ફેફસાની બીમારીથી પીડાતા હતા. વધુ સારવાર માટે ચેન્નાઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

રાજકોટ: ગુજરાત સરકાર દ્વારા મેડિકલ ઈમરજન્સીમાં (Air ambulance in Gujarat)જરૂરિયાતમંદ દર્દીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર સાથે હોસ્પિટલ સુધી પહોંચાડવા GVK EMRI ના સહયોગથી 108 સેવા કાર્યરત કરવામાં આવી છે. જેનો લાભ અનેક દર્દીઓને અત્યાર સુધીમાં મળ્યો છે. પણ હવે એક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ છે. શહેરમાં ગત મહિને ગુજરાત સરકાર દ્વારા 108 સેવામાં હવાઈ સેવાને સામેલ કરી એર એમ્બ્યુલન્સ શરુ કરવામાં આવી હતી.

એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ - આ સેવાનો લાભ લેનાર પ્રથમ દર્દી રાજકોટમાં (Rajkot Air Ambulance )ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જય કુમાર મકવાણા કે જેઓ ફેફસાની બીમારીથી પીડાતા હતા અને તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. તેઓને વધુ સારવાર માટે ચેન્નાઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ભારતની પ્રથમ એર એમ્બ્યુલન્સ સેવા કર્ણાટકમાં શરૂ કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી એર એમ્બ્યુલન્સ વિશેષતા - રાજકોટ 108ના પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગરના જણાવ્યા મુજબ આ એર એમ્બ્યુલન્સ અમદાવાદથી આવે છે. જ્યારે ખાનગી એમ્બ્યુલન્સ મુંબઈ, દિલ્હી કે ચેન્નઈથી આવે તો તેમનું એરફેર વધી જાય તેમજ સમય પણ વધુ લાગે, જ્યારે અમદાવાદથી આવતી એર એમ્બ્યુલન્સ ખુબ ઝડપી રીતે ગુજરાતમાં કોઈપણ સ્થળે પહોંચી શકે. વળી રાજ્ય સરકાર દ્વારા આ સેવા કાર્યરત હોઈ એરપોર્ટ પર અપ્રુવલ પણ ઝડપથી મળી જાય.

એર એમ્બ્યુલન્સ માં વેન્ટિલેટર સહિતની જરૂરી સુવિધાઓ - 108 સેવા સાથે જોડાયેલી એર એમ્બ્યુલન્સમાં પણ 108 વાનની જેમ સાધન સુવિધાથી સજ્જ હોઈ છે. એર એમ્બ્યુલન્સમાં MBBS ડોક્ટર તેમજ પેરા મેડિકલ સ્ટાફ હાજર હોઈ છે. દર્દીની મેડિકલ હિસ્ટ્રી મુજબ સાધનો અને દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવે છે.

એર એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે પ્રક્રિયા - 108ના મનવીર જણાવે છે કે, આ માટે સૌપ્રથમ 108માં કોલ કરવો પડે છે. કોલ સેન્ટરમાં એર એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેવા માટે માહિતી આપવી પડે છે. દર્દી હવાઈ મુસાફરી માટે ફિટ છે, તે સર્ટિફિકેટ ડોક્ટર્સ દ્વારા આપવામાં આવે પછી જ આ સેવાનો લાભ મેળવી શકે છે. આ સેવાનો લાભ મેળવવા માટે દર્દીને એરપોર્ટથી એરપોર્ટનો ચાર્જ ચૂકવવો પડે છે. એરપોર્ટ સુધી પહોંચવા માટે 108 વાનની નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ હોવાનું ડાંગર જણાવે છે.

આ પણ વાંચોઃ દર્દીઓને ઈમરજન્સીમાં સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્નારા એર એમ્બ્યુલન્સ કરાશે શરૂ

એર એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ રાજકોટથી - ગુજરાત સરકાર દ્વારા 108 હવાઈ સેવા શરૂ કરતા આવનાર સમયમાં ઈમરજન્સીમાં દેશના કોઈપણ છેડે કલાકોમાં દર્દીએ સલામત રીતે સ્થળાંતરિત કરી શકાશે, જેનો પ્રારંભ રાજકોટના દર્દીથી થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.