ETV Bharat / state

નવા વર્ષે રંગીલા રાજકોટને મળશે ભેટ, રિંગરોડ ફેઝ 3 અને 4નું કામ પૂર્ણ

author img

By

Published : Dec 30, 2022, 3:19 PM IST

રંગીલા રાજકોટને આવતા વર્ષે રિંગરોડની ભેટ (Rajkot to get Ring road ) મળશે. અહીં રિંગરોડના ફેઝ 3 અને 4 તૈયાર થઈ ગયા છે. ત્યારે જાન્યુઆરીના પહેલા (Rajkot to get Ring road gift from RUDA) જ મહિને તેનું ઉદ્ઘાટન થાય તે પ્રકારની તૈયારી ચાલી રહી છે.

નવા વર્ષે રંગીલા રાજકોટને મળશે ભેટ, રિંગરોડ ફેઝ 3 અને 4નું કામ પૂર્ણ
નવા વર્ષે રંગીલા રાજકોટને મળશે ભેટ, રિંગરોડ ફેઝ 3 અને 4નું કામ પૂર્ણ

રાજકોટ શહેરના લોકોને આવનારા નવા વર્ષે અનેક ગિફ્ટ મળવાની (Rajkot to get Ring road gift from RUDA) છે. તે અંતર્ગત શહેરની ફરતે રિંગરોડ 2 આકાર (Rajkot to get Ring road) પામી રહ્યો છે. તેના ફેઝ 3 અને ફેઝ 4 તૈયાર થઈ ગયા છે. નવા વર્ષમાં રિંગરોડના (Rajkot to get Ring road ) આ બંને તબક્કાની રાજકોટ જિલ્લાને ભેટ મળશે. જાન્યુઆરી 2023માં તેનું લોકાર્પણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (Rajkot Urban Development Authority) દ્વારા આ બંને રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પાંચ હાઈલેવલ બ્રિજ સાથે આ રોડની કામગીરી પૂર્ણ કરાઈ ફેઝ 3માં ગોંડલ રોડથી સીધા ભાવનગર રોડને જોડતો 10.50 કિલોમીટરનો રોડ 35.93 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો છે. કુલ 5 હાઈલેવલ બ્રિજ (High Level Bridge in Rajkot) સાથે આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે ફેઝ 4માં ભાવનગરથી અમદાવાદ રોડને (Bhavnagar to Ahmedabad Road) જોડતો 10.30 કિલોમીટરનો રોડ રૂ. 31.31 કરોડના ખર્ચે બન્યો છે. 2 હાઇલેવલ બ્રિજ (High Level Bridge in Rajkot) સાથે આ રોડની કામગીરી પૂર્ણ થયેલી છે.

RUDA કરી રહી છે કામગીરી આ અંગે RUDAના (Rajkot Urban Development Authority) નાયબ કાર્યપાલક ઈજનેર મુકેશ સોઢાએ જણાવ્યું હતું કે, RUDAના સી.ઈ.ઓ. રાજેશકુમાર ઠુંમરના નિરીક્ષણમાં આ બંને રોડની કામગીરી પૂર્ણ થયેલી છે. તેમ જ સંભવતઃ જાન્યુઆરી મહિનામાં તેનું લોકાર્પણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ બંને રોડની સંયુક્ત લંબાઈ આશરે 21 કિલોમીટર જેટલી થાય છે.

બંને રોડ શરૂ થવાથી શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટશે આ રોડ શરૂ થવાની ગોંડલ રોડથી સીધા માલિયાસણ ગામ પાસે અમદાવાદ રોડ પર નીકળી શકાશે. જે વાહનચાલકો ગોંડલ તરફથી આવે છે અને અમદાવાદ કે ભાવનગર જવા માગે છે. તેમને સિટીમાંથી પસાર નહીં થવું પડે. તેમના માટે 10થી 15 કિલોમીટર જેટલું અંતર ઘટી જશે. આથી ગોંડલ ચોકડી તેમ જ શહેરમાં ટ્રાફિક ઘટશે. તેમ જ બાયસપાસથી જનારા વાહનચાલકોને (Benefits to motorists in Rajkot) પણ ઓછા ટ્રાફિકનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો અમદાવાદના પૂર્વ વિસ્તારને 104 વર્ષે કેમિકલવાળા પાણીથી મળશે રાહત, ખારીકટ કેનાલ પર બનશે નવો રોડ

વાહનચાલકોને ફાયદો તો અમદાવાદ કે પોરબંદર તરફથી આવતા અને ગોંડલ તરફ જવા માગતા વાહનચાલકોને પણ (Benefits to motorists in Rajkot) ફાયદો થશે. આમ આ બંને રોડ શરૂ થવાથી શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને બાયપાસથી પસાર થનારા વાહનચાલકોને પણ ટ્રાફિક નહીં નડે તેમજ અંતર ઘટવાથી પેટ્રોલની બચત થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.