ETV Bharat / state

રાજકોટમાં આવતા વર્ષે જન્માષ્ટમીનો મેળો ન્યુ 150 ફૂટ રિંગરોડ પર યોજવાની તજવીજ

author img

By

Published : Sep 1, 2019, 10:40 AM IST

રાજકોટઃ રાજકોટમાં દર વર્ષે જન્માષ્ટમીનો લોકમેળો યોજાય છે. ત્યારે આ વર્ષે પણ તંત્ર દ્વારા ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ દિવસમાં અંદાજીત 11 લાખ જેટલા લોકો ઉમટી પડ્યા હતા. રાજકોટના લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાના કારણે રેસકોર્સનું ગ્રાઉન્ડ નાનું પડતું હોય તેવુ લાગી રહ્યું છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા સીએમ રૂપાણીને આવતા વર્ષે સાતમ આઠમનો મેળો રાજકોટની ભાગોળે ન્યુ 150 ફૂટ રિંગરોડ પર યોજવાની માગ કરી છે

lokmelo

મહાનગરપાલિકાના સત્તાધીશોનું કહેવું છે કે રાજકોટમાં લોકમેળામાં હજારોની જનમેદની ઉમટે છે. આ પાંચ દિવસ શહેરમાં તહેવારોના માહોલ દરમિયાન ટ્રાફિકની સમસ્યા પણ વધતી જાય છે. જ્યારે ન્યુ 150 ફૂટ રિંગરોડની આસપાસ વિશાળ ગ્રાઉન્ડ છે અને રસ્તાઓ પણ સારા હોવાના કારણે શહેરીજનો ટ્રાફિક વગર લોકમેળાનો આનંદ માણી શકે, જેને લઈને સીએમ રૂપાણીને રજુઆત કરવામાં આવી છે.

રાજકોટમાં આવતા વર્ષે જન્માષ્ટમીનો મેળો ન્યુ 150 ફૂટ રિંગરોડ પર યોજવાની તજવીજ

ત્યારે જો બધું વ્યવસ્થિત રહ્યું તો આગામી વર્ષે સાતમ આઠમનો મેળો રાજકોટના નવા 150 ફૂટ રિંગરોડ પર યોજાશે.

Intro:Approved By Assignment Desk

રાજકોટમાં આવતા વર્ષે જન્માષ્ટમીનો મેળો ન્યુ 150 રિંગરોડ પર યોજવાની તજવીજ

રાજકોટઃ રાજકોટમાં દર વર્ષે જન્માષ્ટમીનો લોકમેળો યોજાય છે. જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો હોય છે. ત્યારે આ વર્ષે પણ તંત્ર દ્વારા ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ દિવસમાં અંદાજીત 11 લાખ જેટલા લોકો ઉમટી પડ્યા હતા. રાજકોટના લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાના કારણે રેસકોર્સનું ગ્રાઉન્ડ નાનું પડતું હોય તે ઉ લાગી રહ્યું છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા સીએમ રૂપાણીને આવતા વર્ષે સાતમ આઠમનો મેળો રાજકોટની ભાગોળે નવા 150 ફૂટ રિંગરોડ 2 પર યોજવાની માંગ કરી છે. મનપાના સત્તાધીશોનું કહેવું છે કે મેળામાં હજારોની જનમેદની ઉમટી પડે છે. આ સાથે જ પાંચ દિવસમાં શહેરમાં તહેવારોના માહોલ દરમિયાન ટ્રાફિકની સમસ્યા પણ વધી જાય છે. જ્યારે ન્યુ 150 ફૂટ રિંગરોડની આસપાસ વિશાલ ગ્રાઉન્ડ છે અને રસ્તાઓ પણ સારો હોવાના કારણે શહેરીજનો ખુલ્લા અને ટ્રાફિક વગર લોકમેળાનો આનંદ માણી શકે, જેને લઈને સીએમ રૂપાણીને રજુઆત કરવામાં આવી છે. ત્યારે જો બધું વ્યવસ્થિત રહ્યું તો આગામી વર્ષે સાતમ આઠમનો મેળો રાજકોટના નવા 150 ફૂટ રિંગરોડ પર યોજાશે

બાઈટ- ઉદય કાનગડ, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, રાજકોટ મનપા


Body:Approved By Assignment Desk


Conclusion:Approved By Assignment Desk
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.