ETV Bharat / state

Veraval Doctor Suicide: ડો. ચગ આત્મહત્યા કેસમાં પોલીસની કામગીરીથી લોહાણા સમાજ નારાજ, કલેક્ટરને આપ્યું આવેદન

author img

By

Published : Feb 21, 2023, 5:45 PM IST

વેરાવળના ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસ મામલે રાજકોટમાં લોહાણા સમાજમાં રોષ જોવા મળ્યો હતો. સમાજે આ મામલે ઝડપથી કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.

Veraval Doctor Suicide: ડો. ચગ આત્મહત્યા કેસમાં પોલીસની કામગીરીથી લોહાણા સમાજ નારાજ, કલેક્ટરને આપ્યું આવેદન
Veraval Doctor Suicide: ડો. ચગ આત્મહત્યા કેસમાં પોલીસની કામગીરીથી લોહાણા સમાજ નારાજ, કલેક્ટરને આપ્યું આવેદન

લોહાણા મહાજને આપ્યું આવેદનપત્ર

રાજકોટઃ તાજેતરમાં વેરાવળના નામાંકિત ડોક્ટર અને લોહાણા સમાજના અગ્રણી એવા ડો. અતુલ ચગે આત્મહત્યા કરતા ચકચાર મચી હતી. ત્યારે હવે આ મામલે રાજકીય નેતાઓ પર પણ અનેક આક્ષેપો થઈ રહ્યા છે. જોકે, હજી સુધી પોલીસે આ મામલે FIR પણ નથી નોંધી. આવા આક્ષેપ સાથે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોહાણા સમાજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમ જ આ મામલે આખરી કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

આ પણ વાંચોઃ Veraval Crime : વેરાવળના નામાંકિત તબીબનો આપઘાત, ઘટનાસ્થળેથી મળી સુસાઈડ નોટ

લોહાણા મહાજને આપ્યું આવેદનપત્રઃ રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા આવેલા રાજકોટ લોહાણા મહાજનના સેક્રેટરી ડો. હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રઘુવંશી સમાજ મોટી સંખ્યામાં રાજકોટ કલેકટર કચેરી ખાતે ઉમટી પડ્યો છે. જ્યારે ડોક્ટર ચગ આત્મહત્યા કેસમાં બનાવના આટલા દિવસો વિતી ગયા છે. તેમ છતાં પણ હજુ સુધી આ મામલે FIR લેવામાં નથી આવી. આના કારણે હજી પણ સમાજને અન્યાય થઈ રહ્યો છે. આ કેસમાં તમામ પૂરાવા રજૂ કર્યા તેમ છતાં પણ એક ડોક્ટર દરજ્જાના વ્યક્તિને અન્યાય થતો હોવાથી આ બાબત રઘુવંશી સમાજ શાખી નહીં લે. અમારો સમાજ સરકાર સાથે રહ્યો છે અને સરકારને અમારી વિનંતી છે કે, વહેલામાં વહેલી તકે આ મામલે ન્યાયિક તપાસ થાય અને કરી કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચોઃ Junagadh Crime: વેરાવળ ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા મામલે અન્ય ડોક્ટરે રાજેશ ચુડાસમા પર સાધ્યું નિશાન

કેસમાં યોગ્ય ન્યાયિક તપાસ થાય તેવી માગઃ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ આ પ્રકારની ઘટનાને લઈને સમગ્ર રઘુવંશી સમાજ અને તબીબી જગત પણ દુઃખની લાગણી અનુભવી રહ્યો છે. કારણ કે, ડોક્ટર એમાં પણ ચગ સાહેબ જેમણે પોતાનું જીવન દર્દીઓને સમર્પિત કર્યું હતું. જ્યારે ડોક્ટર ચગની માત્ર વેરાવળ પંથકમાં જ નહીં, પરંતુ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ખૂબ જ નામના હતી. ડોક્ટર કક્ષાના વ્યક્તિ મામલે પણ FIR લેવામાં ન આવી હોવાથી તે ખૂબ જ દુઃખની બાબત છે. ખરેખર આ મામલે ન્યાયિક તપાસ કરવામાં આવે તે અંગે અમે સરકારને વિનંતી કરીએ છીએ.

સ્યુસાઈડ નોટમાં 2 નામના ઉલ્લેખઃ આપને જણાવી દઈએ કે, વેરાવળમાં ઘણા વર્ષોથી તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા ડોક્ટર અતુલ ચગની હોસ્પિટલ વેરાવળ એસ.ટી ડેપો ખાતે હતી. તેમણે આ જ હોસ્પિટલમાં આત્મહત્યા કરી હતી. સાથે જ તેમણે પોતાની સ્યુસાઈડ નોટમાં નારણભાઈ અને રાજેશભાઈ ચુડાસમાના નામનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, આ બંનેના કારણે હું આત્મહત્યા કરી રહ્યો છું. ત્યારે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.