મોટે ભાગે દર વર્ષેઉનાળામાંપાણીની વિકટ સમસ્યા સર્જાતી હોય છે. પરંતુ આ વર્ષેપાણીની સમસ્યા સર્જાય તેપૂર્વે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા મુખ્યપ્રધાનવિજયભાઈ રૂપાણી તેમજ રાજ્ય સરકારને રજુઆત કરાતા ત્રંબાથી ગોંડલ તાલુકાના શેમળી ગામની નદી સુધી સૌની યોજના ફેજ ત્રણ ની પાઇપ લાઇન ફિટ કરવામાં છે.જેથીતેના મારફતે નર્મદાના નીર ગોંડલ વેરી તળાવે પહોંચતા હવે લોકોને પાણીનો સમસ્યાનો સામનો નહી કરવો પડે.
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે'નર્મદાના નીર વેરી તળાવે પહોંચતા ઇતિહાસ સર્જવા જઈ રહ્યો છે અને આ અંગે સર્વેને તાકીદ કરવામાં આવે છે કે, અરડોઈથી ગોંડલ વેરી તળાવ વિસ્તાર દરમિયાનજો કોઈપણ દ્વારા પાણી ચોરી કરવામાં આવશે તો તેવા શખ્સો વિરુદ્ધ ફોજદારી રહે કડક કાર્યવાહી કરવામાં આવશે.પાણી પુરવઠા બોર્ડ, પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા પાણી ચોરી અંગે સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. ગોંડલના વેરી તળાવમાં નર્મદાના નીરનું આગમન થતાં આગામી દિવસોમાં જ વેરી તળાવ ઓવરફ્લો થનાર છે.જે પાણી આશાપુરા ડેમ, સેતુબંધ ડેમમાં ઓવરફ્લો થઈ ગોંડલી નદીમાં વહેતુ થશે.તેમજ વેરી તળાવથી ગોંડલી નદીમાંથીપાણી ચોરી અંગે જયરાજસિંહ જાડેજાએ કડક પગાલ લેવા કહ્યું છે.કોઈ પણ ભોગે પાણી ચોરોને સાંખી લેવામાં આવશે નહીં તેવો હુંકાર પણ કર્યો હતો.'