ETV Bharat / state

Rajkot Crime News: રાજકોટમાં બાળકોના ઝગડામાં નાના ભાઈએ મોટા ભાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો

author img

By

Published : Jun 25, 2023, 5:19 PM IST

રાજકોટના કુવાડવા ધરમપરમાં શેરીમાં ચાલતા ઝઘડાની અંદર નાના ભાઈએ મોટા ભાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે. મૃત્યુ પામેલા મૃતકની ડેડબોડીને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી અને આ બનાવમાં પૂછપરછ પણ શરૂ કરી હતી.

in-a-fight-between-children-the-younger-brother-stabbed-the-elder-brother-to-death-at-rajkot
in-a-fight-between-children-the-younger-brother-stabbed-the-elder-brother-to-death-at-rajkot

નાના ભાઈએ મોટા ભાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો

રાજકોટ: કુવાડવાના ધરમપરા વિસ્તારની અંદર ચાલતા ઝઘડામાં નાના ભાઈને ગુસ્સો આવતા મોટા ભાઈની હત્યા કરી દેવામાં આવી છે. જેમાં નાના ભાઈને સમજાવી ઘરમાં ખેંચી લાવવામાં આવતા મોટા ભાઈ પર ગુસ્સો આવી જતા મોટા ભાઈને છરીનો ઘા ઝીંકી નાના ભાઈએ હત્યા કરી નાખી છે. સમગ્ર પરિવાર ગમગીન બની ગયો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ ફરિયાદ દાખલ: ઝગડા ચાલતો હતો ત્યારે ફળિયામાં લાવવામાં આવ્યા બાદ નાના ભાઈએ માતાને પણ ધક્કો દઈ પછાડી દેવાતા આવતા મોટાભાઈએ માતા સાથે આવું ન કરાય તેમ કહેતા નાના ભાઇએ જીવલેણ હુમલો કર્યો હતો. નાના ભાઈએ મોટા ભાઈને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર બાબતે ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

કેવી રીતે બની ઘટના?: બનાવમાં નાનો ભાઈ ગામના અમુક બાળકો સાથે ઝઘડો કરતો હોવાથી મોટો ભાઈ અને તેમની માતા ઝઘડો કરી રહેલા બાળકને ઝગડો રોકવા અંદર ખેંચી જતા બાળકને ગુસ્સો આવ્યો હતો. મોટા ભાઈ અને માતા સાથે પણ ઝઘડો કરવા લાગ્યો હતો. જેમાં માતાને ધક્કો મારી પછાડી દેતા મોટાભાઈએ ઠપકો આપતા નાનો ભાઈ ગુસ્સે ભરાયો હતો અને છરીના ઘા ઝીંકી મોટાભાઈને મોતને ઘાટ ઉતારી દીધો છે. બનાવ બાદ પરિવારજનોએ રાજકોટ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃત્યુ પામેલા મૃતકની ડેડબોડીને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી અને આ બનાવમાં પૂછતા જ પણ શરૂ કરી હતી.

પોલીસ તપાસ શરૂ: ફરિયાદી અને મૃતકની માતા કંકુબેનના મોટા દીકરા સંજયને પોતાના જ સગીર ભાઈએ ગામના અન્ય છોકરાઓ સાથે ઝઘડો થતો હતો. મોટાભાઈએ અને માતાએ સમજાવવાની કોશિશ કરતા નાના ભાઈએ મોટાભાઈને છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે. તેથી હાલ સમગ્ર બાબતે પોલીસ દ્વારા વધુ પૂછતા અને તપાસ શરૂ કરવામાં આવી છે.

  1. Ghazipur News : અંસારીના સહયોગી અમિત રાયની ધરપકડ, સમર્થકો છોડાવવા માટે પોલીસ સ્ટેશનમાં કર્યો હંગામો
  2. Ahmedabad Crime : છૂટાછેડા માટે ત્રાસ આપતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો , ભાજપ વોર્ડ પ્રમુખ દિયર સહિત સાસરિયાનો ત્રાસ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.