ETV Bharat / state

Hardik letter to Naresh Patel:  હાર્દિકના આમંત્રણ મુદ્દે નરેશ પટેલે ચોખ્ખું કહ્યું કે ખોડલધામ ક્યારેય રાજકીય મંચ નહીં બને

author img

By

Published : Mar 8, 2022, 4:31 PM IST

Updated : Mar 8, 2022, 5:16 PM IST

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે હાર્દિક પટેલના(Khodaldham chairman Naresh Patel)પત્ર વિશે નિવેદન પણ આપ્યું હતું. મને કોઈ આમંત્રણ મળ્યું નથી. પત્રની જાણ મને હજુ હમણા જ થઈ છે. આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિ કન્વીનર ધાર્મિક માલવીયાએ જણાવ્યું કે પત્ર લખવું હાર્દિક પટેલ અથવા કોંગ્રેસ પક્ષ સાથે તેમની વાત થઇ હોય તો વ્યક્તિગત બાબત છે.

Hardik letter to Narshe Patel: ખોડલધામ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહિ બનેઃ નરેશ પટેલ
Hardik letter to Narshe Patel: ખોડલધામ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહિ બનેઃ નરેશ પટેલ

રાજકોટ/સુરત: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ખોડલધામના દર્શન( Khodaldham chairman Naresh Patel)કરવા આવી પહોંચ્યા હતાં. હાર્દિક પટેલના પત્ર વિશે નિવેદન(Hardik Patel letter to Narshe Patel) પણ આપ્યું હતું. મને કોઈ આમંત્રણ મળ્યું નથી. નરેશ પટેલ હાર્દિક પટેલના આ પત્રને લઈને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, પત્રની જાણ મને હજુ હમણાં જ થઈ છે. હાર્દિકભાઈ સાથે વાત કરવાની બાકી છે. પત્રનું માધ્યમ મને ખબર નથી. વાત થાય પછી જ હું પત્ર અંગે કહી શકું. જ્યારે કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની વાત છે ત્યારે ખોડલધામ(Jetpur Khodaldham)ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહિ બને.

હાર્દિક પેટલનો નરશે પટેલને પત્ર

નરેશ પટેલ જે પાર્ટીમાં જાય તે પાર્ટીને ફાયદો

રાજકારણમાં જોડાવું તે મારો અંગત નિર્ણય હશે. ચૂંટણી નજીક હોય અને ત્યારે રાજકારણમાં(Gujarat Assembly Election 2022) જોડવાનો યોગ્ય સમય બાબતે કોઈ સ્પષ્ટતા નહી સમય આવે યોગ્ય નિણર્ય કરશે. નરેશ પટેલે કોંગ્રેસની મુખ્યપ્રધાન તરીકેની વાતને લઈને કહ્યું કે લોકોએ જે બોલવું હોય તે બોલી શકે અને મારા પાસે આવી કોઈ વાત આવી નથી. બીજી બાજુ ભાજપ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે, હાર્દિક પટેલને કોંગ્રેસમાં યોગ્ય સ્થાન નહીં મળતું હોવાના કારણે તેઓ નરેશ પટેલનો સહારો માંગી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસના સૂત્રો એવું કહી રહ્યાં છે કે નરેશ પટેલ જે પાર્ટીમાં જાય તે પાર્ટીને ફાયદો થઈ શકે એમ છે.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પત્ર લખી રાજનીતિમાં જોડાવા અપીલ કરી છે જેને લઇ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિ કન્વીનર (Convener of Surat Pass)ધાર્મિક માલવીયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, પત્ર લખવું હાર્દિક પટેલ અથવા જો કોંગ્રેસ પક્ષ સાથે તેમની વાત થઇ હોય તો વ્યક્તિગત બાબત છે એવી જ રીતે રાજકારણમાં આવવું કે નહીં એ નરેશ પટેલનું વ્યક્તિગત બાબત હશે.

આ પણ વાંચોઃ પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચાય તે સારી બાબત: નરેશ પટેલ

પત્ર નથી રાજકારણમાં આવવા આમંત્રણ આપ્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સમાજને(Patidar movement in Gujarat) પોતાની તરફ કરવા માટેની કવાયત દરેક પક્ષ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નેતા હાર્દિક પટેલે પાટીદાર સમાજના આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલને ખુલ્લો પત્ર નથી રાજકારણમાં આવવા આમંત્રણ આપ્યું છે. હાર્દિક પટેલે નરેશ પટેલે જણાવ્યું છે કે 'પાટીદાર સમાજના હજારો યુવાનો સરકારની કાનાભાઈનો ભોગ બન્યા છે હું આપને રાજકીય જીવન માં જોડાવા માટે કોંગ્રેસના કાર્યકર તરીકે પત્ર લખીને અપીલ કરી રહ્યો છું.

તો અમે સરકારનો જાહેર આભાર માનીશું

હાર્દિકના પત્રને લઇને પાટીદાર આંદોલન સમિતિએ પણ પ્રતિક્રિયા આપી છે. સુરતથી પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું છે કે રાજકારણમાં જોડાવું તે નરેશ પટેલનો અંગત નિર્ણય છે. હાર્દિક પટેલે જે લખ્યું છે એ વ્યક્તિગત નિર્ણય છે. વિધાનસભા ચૂંટણી પહેલા યોગ્ય પ્લેટફોર્મ પર નરેશ પટેલ જાહેરાત કરશે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા પણ તેમને પક્ષમાં જોડાવા માટે કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ પણ તેમને મળી ચૂક્યા છે. નરેશ પટેલ પોતે નિર્ણય લેશે કયા પક્ષમાં જવું છે. આંદોલન સમયે પાટીદાર યુવાનો સામે જે કેસ થયા હતા જો સરકાર આ તમામ કેસો પાછા કહે તો અમે સરકારનો જાહેર આભાર માનીશું.

આ પણ વાંચોઃ Khodal Dham Patotsav: પાટણ વાસીઓને ખોડલ ધામ પાટોત્સવમાં સહભાગી થવા નરેશ પટેલનુ આમંત્રણ

Last Updated : Mar 8, 2022, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.