ETV Bharat / state

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 232 લોકોનું સ્ક્રિનિંગ, 188 લોકોના ટેસ્ટિંગ થયું: 4 પોઝિટિવ

author img

By

Published : Nov 26, 2020, 6:48 PM IST

રાજકોટ શહેરના દરેક નાગરિક સુધી પહોંચીને કોરોના અંગેનું ચેકઅપ કરી કોરોના સંક્રમણ ચેઈન તોડવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા કામગીરી કરી રહી છે. આ શાખા દ્વારા આજે આરટીઓ ઓફિસ પાસે આવેલા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને યાર્ડમાં મજૂરી કામ કરાતા શ્રમિકોનું સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને તેમની દુકાનમાં કામગીરી કરાતા મજૂરો તેમ જ યાર્ડમાં મજૂરી કામગીરી કરાતા શ્રમિકોનું રાજકોટ મહા નગરપાલિકા દ્વારા સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ કરી કોરોના સામે વહેલું નિદાન મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજે 232 લોકોનું સ્ક્રિનિંગ, 188 લોકોના ટેસ્ટિંગ થયું: 4 પોઝિટિવ
રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજે 232 લોકોનું સ્ક્રિનિંગ, 188 લોકોના ટેસ્ટિંગ થયું: 4 પોઝિટિવ

  • રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા મજૂરોનો કોરોના ટેસ્ટ કરાયો
  • રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ કર્યો કોરોના ટેસ્ટ
  • રાજકોટમાં કોરોનાની ચેઈન તોડવા આરોગ્ય શાખાની કામગીરી
  • 232 લોકોનું સ્ક્રિનિંગ, 188નું ટેસ્ટિંગ થયું, 4 કોરોના પોઝિટિવ

રાજકોટઃ આજના કેમ્પમાં કુલ 232 લોકોના સ્ક્રિનિંગ અને 188 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, જેમાંથી 4 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને મનપાની ટીમ દ્વારા હોમ કવોરન્ટાઈન કરવામાં આવશે તેમજ હેલ્થ ચેકઅપ બાદ 228 લોકોને હેલ્થ કાર્ડ પણ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. માર્કેટિંગ યાર્ડ ખાતે નિયમિત લોકો પોતાની સામગ્રી લેવા જતા હોય છે. શાકભાજી તેમ જ કરિયાણાના વેપારીઓનું તેમ જ મજૂરી કામ કરાતા શ્રમિકોનું હેલ્થ ચેકઅપ કરવાથી કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવી શકાય છે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજે 232 લોકોનું સ્ક્રિનિંગ, 188 લોકોના ટેસ્ટિંગ થયું: 4 પોઝિટિવ
રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજે 232 લોકોનું સ્ક્રિનિંગ, 188 લોકોના ટેસ્ટિંગ થયું: 4 પોઝિટિવ
હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા રાજકોટની જનતાને એક અપીલ કરવામાં આવે છે કે, લોકો પોતાની ખરીદી કરતી વખતે જે ધંધાર્થી પાસે હેલ્થ કાર્ડ હોય તેમની પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના દરેક ધંધાર્થીનું હેલ્થ ચેકઅપ કરી તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યું છે. હાલમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું, વારંવાર હાથ સાફ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ જરૂરી છે. શક્ય તેટલું એક બીજાના સંપર્કમાં આવવાનું ટાળવું એ પણ ખુબ જરૂરી છે. તંત્રની કામગીરી સાથે લોકોનો પણ સહયોગ જરૂરી છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજે 232 લોકોનું સ્ક્રિનિંગ, 188 લોકોના ટેસ્ટિંગ થયું: 4 પોઝિટિવ
રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજે 232 લોકોનું સ્ક્રિનિંગ, 188 લોકોના ટેસ્ટિંગ થયું: 4 પોઝિટિવ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.