પોરબંદરઃ રઘુવંશી એકતા પોરબંદર"દ્વારા રામનવમીના શુભ અવસર પર સોશિયલ મીડિયા થકી રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. ગત વષૅ રામનવમીના શુભ અવસર પર રઘુવંશી એકતા દ્વારા રંગેચંગે આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે એના કરતાં પણ વધારે સરસ આયોજન કરી શકાય એવી ઈચ્છા હતી. પોરબંદર રઘુવંશી એકતા ગ્રૃપની પરંતુ આજે જ્યારે આખા વિશ્વની સાથે સમગ્ર ભારત પણ કોરોના વાઈરસ જેવી મહામારીનો સામનો કરી રહ્યો છે.
સરકારી ગાઈડ લાઈન હેઠળ કોઈ આયોજન ન કરી શકાયુ પરંતુ રામનવમી નિમિત્તે રઘુવંશી એકતા પોરબંદર દ્વારા રામ ભગવાનની રંગોળી પોતાના ઘરે જ બનાવી તેનો ફોટો વોટ્સએપ દ્વારા મોકલી તેમાંથી સરસ રંગોળી સિલેક્ટ કરવામાં આવશે તથા ઈનામોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો તથા એની સાથે રઘુવંશી એકતાભાઈઓની ટીમ દ્વારા જરૂરીયાત મંદ લોકોને ફુલ ડીશ ભોજન પણ પહોંચાડવામાં આવ્યું હતું. આ આયોજન હિતેષ કારિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.