ETV Bharat / state

કોરોના સંક્રમણને કારણે માધવપુરમાં યોજાતો રાષ્ટ્રીય મેળો રદ્દ

author img

By

Published : Apr 22, 2021, 10:35 PM IST

પોરબંદર જિલ્લાના માધવપુર ગામમાં દર વર્ષે કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહના રાષ્ટ્રીય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, પરંતું બે વર્ષથી કોરોનાની મહામારીને ધ્યાને રાખતા આ રાષ્ટ્રીય મેળો બંધ રાખવામાં આવે છે.

કોરોનાના કારણે માધવપુરમાં યોજાતો રાષ્ટ્રીય મેળો રદ
કોરોનાના કારણે માધવપુરમાં યોજાતો રાષ્ટ્રીય મેળો રદ

  • કૃષ્ણ- રુક્ષ્મણી વિવાહનું ઐતિહાસિક સ્થળ એટલે માધવપુર
  • ગત વર્ષે પણ કોરોનાના કારણે રદ કરવામાં આવ્યો હતો મેળો
  • દર વર્ષે રામનવમીથી લઇને 5 દિવસ સુધી મેળાનું આયોજન થાય છે

પોરબંદરઃ માધવપુર ગામમાં દર વર્ષે કૃષ્ણ-રૂક્ષમણી વિવાહના રાષ્ટ્રીય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આ મેળો આ વર્ષે પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેળામાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી લોકો આવતા હોય છે.

કોરોનાના કારણે માધવપુરમાં યોજાતો રાષ્ટ્રીય મેળો રદ
કોરોનાના કારણે માધવપુરમાં યોજાતો રાષ્ટ્રીય મેળો રદ

આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લાનું શામળાજી મંદિર વધુ દસ દિવસ સુધી બંધ રહેશે

માધવપુરમાં રામનવમીથી 5 દિવસીય મેળો યોજાય છે

કૃષ્ણ અને રુક્ષમણીના વિવાહ પ્રસંગનું ઐતિહાસિક સ્થળ એટલે માધવપુર. અહીં ચૈત્ર માસની રામનવમીથી પાંચ દિવસ માટે દર વર્ષે મેળો ભરાય છે. દરિયાકિનારે રમણીય સ્થળ હોવાથી અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ મેળામાં ઉમટી પડે છે. પરંતુ ગત વર્ષે પણ કોરોનાના કારણે આ મેળો રદ્દ કરવામાં આવ્યો હતો અને આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાનો આ મેળો રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાના કારણે માધવપુરમાં યોજાતો રાષ્ટ્રીય મેળો રદ
કોરોનાના કારણે માધવપુરમાં યોજાતો રાષ્ટ્રીય મેળો રદ

આ પણ વાંચોઃ જૂનાગઢમાં કોરોનાના ચાલતા સતત બીજા વર્ષે રામ નવમીની શોભાયાત્રા રદ્દ

ઉત્સવોને નિજમંદિરમાં બંધબારણે પ્રતીકાત્મક રીતે ઉજવવામાં આવશે

માધવરાયજીના મંદિરે આવતા દર્શનાર્થીઓને પણ અપીલ કરવામાં આવી છે કે, કોરોના મહામારીને ધ્યાને રાખી માધવપુર ગામમાં લોકડાઉન હોવાથી આ વખતે તમામ ઉત્સવોને નિજમંદિરમાં બંધબારણે પ્રતિકાત્મક રીતે ઉજવવામાં આવશે. આથી શ્રદ્ધાળુએ આ બાબતની નોંધ લેવી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.