ETV Bharat / state

Madhavpur Folk Culture Fair: માધવપુરના મેળામાં શિક્ષકોને બનાવ્યા બસ સુપરવાઇઝર, મોઢવાડીયાએ નોંધાવ્યો વિરોધ

author img

By

Published : Apr 7, 2022, 5:28 PM IST

Updated : Apr 7, 2022, 6:57 PM IST

Madhavpur Folk Culture Fair: માધવપુરના મેળામાં શિક્ષકોને બનાવ્યા બસ સુપરવાઇઝર, મોઢવાડીયાએ નોંધાવ્યો વિરોધ
Madhavpur Folk Culture Fair: માધવપુરના મેળામાં શિક્ષકોને બનાવ્યા બસ સુપરવાઇઝર, મોઢવાડીયાએ નોંધાવ્યો વિરોધ

પોબંદરના માધવપુરમાં મેળો શરૂ થાય તે પૂર્વે (Madhavpur Folk Culture Fair) વિવાદ જોવા મળ્યો છે. 10એપ્રિલે મેળાની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરવામાં આવશે છે. માધવપુર મેળામાં જવા માટે બસના રૂટ નિર્ધારિત કરાયા છે. આ મેળાના આયોજનમાં શિક્ષકોને બસ સુપરવાઇઝરની ફરજો સોપવામાં આવતા રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક સંઘ(akhil bharat shala sangh)પોરબંદરે સરકારના આ નિર્ણયને વિરોધ કર્યો છે.

પોરબંદર: માધવપુરમાં આદી અનાદીકાળથી યોજાતો આવતો લોક સંસ્કૃતીને ઉજાગર કરતો (Madhavpur Folk Culture Fair) મેળો શરૂ થાય તે પૂર્વે જ વિવાદમાં જોવા મળી રહ્યો છે. 10એપ્રિલે મેળાની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind )કરાવવા માટે આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પોરબંદરથી માધવપુર મેળામાં જવા માટે બસના રૂટ નિર્ધારિત કરાયા છે. જેમાં શિક્ષકોને ફરજ આપવામાં આવતા રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક સંઘ (akhil bharat shala sangh)પોરબંદરે સરકારના આ નિર્ણયને વિરોધ કર્યો છે. પોરબંદર જિલ્લાના 22 જેટલા શિક્ષકોને મેળાના બસના રૂટ પર સુપરવાઇઝરની જવાબદારીઓ તાલુકા પંચાયત પોરબંદર દ્વારા સોંપવામાં આવી છે જેને લઇને વિરોધ થઇ રહ્યો હતો.

  • लो करलो बात!

    एक तो पर्पाप्त शिक्षक है नहीं।

    अब शिक्षक बच्चों को पढ़ाने की जगह, माधवपुर मेले में भीड़ जुटाएंगे।

    सरकार का यह आदेश #RTE के विरूद्ध है, तत्काल रद्द करो।

    और लोक मेले को सरकारी मेला मत बनाओ।

    — Arjun Modhwadia (@arjunmodhwadia) April 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે - આ સમગ્ર મામલાને લઈને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ (Former MLA Arjun Modhwadia)પણ ટ્વિટર માધ્યમ થકી રાજ્યમાં શિક્ષકોની ઘટ છે શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં શિક્ષકોને મેળામાં બસની સુપરવાઇઝર જેવી ખૂબ નિમ્ન કહી શકાય તેવી કામગીરી સોંપીને રાજ્યની સરકાર શિક્ષકોનુ અપમાન કરી રહી છે. તેવો આક્ષેપ લગાવીને મેળાનું સરકારી કરણ નહીં કરવા માંગ કરી છે.

આ પણ વાંચોઃ પેગાસીસ સોફ્ટવેર મામલે અર્જુન મોઢવાડીયાએ મોદી સામે તપાસ અને શાહના રાજીનામાની માગ કરી

વહીવટીતંત્રએ શિક્ષકોનું નિમણૂક કરી રદ - અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક સંઘના અધ્યક્ષ લાખા ચુડાવદરા એ જિલ્લા વિકાસ અધિકારી પોરબંદરને પત્ર પાઠવીને શિક્ષણના ભોગે શિક્ષકોની બસમાં સુપરવાઇઝર જેવી નિમણૂકનો આદેશ તાકીદે રદ્દ થાય તેવી માંગ કરી હતી. પ્રમુખ લાખા ચૂંડાવદરા એ RTE એક્ટ મુજબ વિદ્યાર્થી અને શિક્ષણના ગુણોત્તરની જોગવાઈ કરવામાં આવી છે. તે મુજબ શિક્ષકોને આ પ્રકારની અન્ય ફરજો સોંપવામાં આવતા તે જળવાતી નથી જેની અસર વિદ્યાર્થીઓના દૈનિક શિક્ષણ કાર્ય પણ થશે તે પત્ર પાઠવતા આનન ફાનનમાં જિલ્લા વહીવટીતંત્ર પોરબંદર દ્વારા 22 જેટલા શિક્ષકોને સુપરવાઇઝરની નિમણુંક કરવાનો આદેશ કર્યો હતો તેને તાકીદે રદ કરવાની ફરજ પડી છે.
આ પણ વાંચોઃ સરકાર અને તંત્રને વિનંતી છે કે તાયફાઓ છોડી પુરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરે : અર્જુન મોઢવાડિયા

Last Updated :Apr 7, 2022, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.