ભારતીય તટ રક્ષક દળના એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, શનિવારે ઇન્ટરનેશનલ 'કોસ્ટલ ક્લીનપ ડે' નિમિત્તે પોરબંદરના દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. જેમાં પોરબંદર વહીવટીતંત્ર અને નગરપાલિકાનો પણ સહયોગ મળ્યો છે. પોરબંદરની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો અને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.
આ ઉપરાંત પ્લાસ્ટિક નાબૂદી અભિયાન ચાલી રહ્યું છે ત્યારે લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અપીલ કરાઈ હતી. વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ચોપાટી અને અન્ય જાહેર સ્થળો પર કચરો ન ફેંકવા અને ગંદકી ન કરવા લોકોને અપીલ કરી હતી.