ETV Bharat / state

પોરબંદરમાં મળી આવેલા નવજાત બાળકના મૃતદેહનો ઉકેલાયો ભેદ

author img

By

Published : Feb 16, 2022, 8:52 AM IST

પોરબંદરમાં મળી આવેલ નવજાત બાળકના મૃતદેહનો ઉકેલાયો ભેદ
પોરબંદરમાં મળી આવેલ નવજાત બાળકના મૃતદેહનો ઉકેલાયો ભેદ

પોરબંદરમાં તારીખ 11 ફેબ્રુઆરીના રોજ એક નવજાત બાળકનો મૃતદેહ (body newborn baby found in Porbandar) મળી આવ્યો હતો. જેનો ગઈકાલે પોરબંદર પોલીસે ભેદ ઉકેલયો હતો.

પોરબંદર: પોરબંદરના કર્લી પુલ નજીક ખાડીમાંથી તારીખ 11 ફેબ્રુઆરીના રોજ એક નવજાત બાળકનો મૃતદેહ (body newborn baby found in Porbandar) મળી આવ્યો હતો. જેનો મંગળવારે પોરબંદર પોલીસે ભેદ ઉકેલાયો હતો.

પોરબંદરમાં મળી આવેલ નવજાત બાળકના મૃતદેહનો ઉકેલાયો ભેદ

આ પણ વાંચો: પુત્રીની આશામાં પુત્ર જન્મ થતા નિષ્ઠુર માતા-પિતાએ નવજાત બાળકને ત્યજી દીધું

જન્મ આપી બે કલાક બાદ બાળક ત્યજી દીધું

પોરબંદરના કર્લી પુલ પાસે ખાડી માંથી 11 ફેબ્રુઆરીના રોજ એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પોરબંદર જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં શહેરની હોસ્પિટલોમાં અને આંગણવાડીમાં તપાસ કરતા પોલીસને સગીરાએ બાળકીને એક હોસ્પિટલમાં જન્મ આપી બે કલાક બાદ ત્યજી દીધેલ હોવાનુ સામે આવ્યું હતું.

આ પણ વાંચો: લોકડાઉનમાં આર્થિક સંકડામણના કારણે દંપતીએ નવજાત બાળકને ત્યજી દીધું, પોલીસે કરી અટકાયત

બાળક કોનું છે તે અંગે પોલીસ કરી રહી છે તપાસ

પોરબંદર DySP જુલી કોઠિયાએ જણાવ્યું હતુ કે, સગીરા પર તેના જ પાડોશીએ અને અન્ય શખ્સ સાથે સંબંધ હોવાથી દુષ્કર્મ કોને આચર્યું અને બાળક કોનું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તપાસ બાદ જ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાશે. ગ્રામ્ય વિસ્તારની સગીરા હોવાથી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાશે. આ ઉપરાંત નવજાત બાળકને પાણીમાં ત્યજી નાખનાર સગીરાના પિતા વિરુદ્ધ પણ ફરીયાદ નોંધવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.