ETV Bharat / jagte-raho

પુત્રીની આશામાં પુત્ર જન્મ થતા નિષ્ઠુર માતા-પિતાએ નવજાત બાળકને ત્યજી દીધું

author img

By

Published : Jan 13, 2020, 7:50 PM IST

parents left his new born boy in cold open place in surat
પુત્રીની આશામાં પુત્ર જન્મ થતા નિષ્ઠુર માતા-પિતાએ નવજાત બાળકને કડકડતી ઠંડીમાં ત્યજી દીધું

સુરત: પુત્રીની આશામાં પુત્ર જન્મ થતા નિષ્ઠુર માતાપિતાએ નવજાત બાળકને કડકડતી ઠંડીમાં ત્યજી દીધું હતું. સુરત પોલિસે માતાપિતાની ધરપકડ કરી છે. અઠવાડિયા અગાઉ આ દંપતીએ પોતાના નવજાત બાળકને નદીના કિનારે કડકડતી ઠંડીમાં ત્યજી દીધું હતું.

સીંગણપોરના વણઝારા વાસ તાપી નદીના કિનારે કડકડતી ઠંડીમાં ઝાડીમાંથી રડતી હાલતમાં એક નવજાત શિશુ મળી આવ્યું હતું. આ બાળકને ત્યજી દેનાર નિષ્ઠુર માતા-પિતાને શોધી કાઢવામાં ચોકબજાર પોલીસને સફળતા મળી છે. ચોક બજાર પોલીસે આ માતાપિતની ધરપકડ કરી હતી.

પુત્રીની આશમાં જન્મેલા નવજાત પુત્રને માતાપિતાએ ત્યજી દિધો

અઠવાડિયા અગાઉ સીંગણપોર ગામના ટેકરા ફળિયામાં વણઝારા વાસમાં ઘોર અંધકારમાં કડકડતી ઠંડી વચ્ચે લોકોને માસૂમના રડવાનો અવાજ સંભળાતા જે દિશામાંથી અવાજ આવતો હતો. તે તરફ જઇ તપાસ કરતા એક દિવસનું તાજુ જન્મેલું માસૂમ બાળક ઝાડી-ઝાંખરામાં ત્યજી દેવાયેલી હાલતમાં જોઇ ચોંકી ગયા હતા. જે બાદ લોકોએ તાત્કાલિક 108 તેમજ પોલીસને જાણ કરી હતી. જેથી 108ની ટીમ આવી પહોંચી હતી. નવજાત શિશુને તુરંત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું હતું. આ ઘટનામાં ચોકબજાર પોલીસે નવજાત શિશુંને ત્યજી દેનાર નિષ્ઠુર માતા-પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

parents left his new born boy in cold open place in surat
પુત્રીની આશમાં જન્મેલા નવજાત પુત્રને માતાપિતાએ ત્યજી દિધો

આ તપાસ દરમિયાન રાત્રે ચોકબજાર પોલીસે માસુમને ત્યજી દેનાર નિષ્ઠુર માતા ગંગાબેન મંગુભાઇ વણઝારા અને ટ્રક ડ્રાઇવર પિતા મંગુભાઇ નરસિંહ વણઝારાની ધરપકડ કરી છે. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનમાં ત્રણેય દિકરા હતા. દંપતીને પુત્રી જન્મશે તેવી આશા હતી, પરંતુ પુત્રનો જન્મ થતા માસુમને ત્યજી દીધું હોવાની કબુલાત કરી રડી પડ્યા હતા.

Intro:સુરત : પુત્રીની આશામાં પુત્ર જન્મ થતા નિષ્ઠુર માતા-પિતા એ નવજાત બાળકને કડકડતી ઠંડીમાં ત્યજી દીધું..સુરત પોલિસે માતા પિતા બંને ની ધરપકડ કરી છે.Body:સીંગણપોરના વણઝારા વાસ તાપી નદીના કિનારે કડકડતી ઠંડીમાં ઝાડીમાંથી રડતી હાલતમાં મળી આવેલા નવજાત શિશુને ત્યજી દેનાર નિષ્ઠુર માતા-પિતાને શોધી કાઢવામાં ચોકબજાર પોલીસે સફળતા મેળવી છે. ચોક બજાર પોલીસે બંનેની ધરપકડ કરી..


Conclusion:અઠવાડિયા અગાઉ સીંગણપોર ગામના ટેકરા ફળિયામાં વણઝારા વાસમાં ઘોર અંધકારમાં કડકડતી ઠંડી વચ્ચે માસુમના રડવાનો અવાજ સંભળાતા જે દિશામાંથી અવાજ આવતો હતો તે તરફ જઇ તપાસ કરતા એક દિવસનું તાજુ જન્મેલું માસુમ બાળક ઝાડી-ઝાંખરામાં ત્યજી દેવાયેલી હાલતમાં જોઇ ચોંકી ગઈ હતા લોકો અને તાત્કાલિક 108 ને જાણ કરી અને પોલીસને પણ જાણ કરી હતી જેથી 108 ની ટિમ આવી પહોંચી હતી અને નવજાત શિશુને તુરંત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. આ ઘટનામાં ચોકબજાર પોલીસે નવજાત શિશુંને ત્યજી દેનાર નિષ્ઠુર માતા-પિતા વિરૃધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.તે દરમિયાનમાં રાત્રે ચોકબજાર પોલીસે માસુમને ત્યજી દેનાર નિષ્ઠુર માતા ગંગાબેન મંગુભાઇ વણઝારા અને ટ્રક ડ્રાઇવર પિતા મંગુભાઇ નરસિંહ વણઝારા ની ધરપકડ કરી છે. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનમાં ત્રણેય બાળક હતા. દંપતિને પુત્રી જન્મશે તેવી આશા હતી પરંતુ બાળક જન્મ થતાં માસુમને ત્યજી દીધું હોવાની કબુલાત કરી ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડયા હતા....

બાઈટ :- પી એલ ચૌધરી ( એસીપી,સુરત પોલીસ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.