ETV Bharat / state

Unseasonal Rains In Gujarat: કમોસમી વરસાદની આગાહી, પાટણમાં ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ

author img

By

Published : Dec 27, 2021, 11:06 PM IST

Unseasonal Rains In Gujarat: કમોસમી વરસાદની આગાહી, પાટણમાં ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ
Unseasonal Rains In Gujarat: કમોસમી વરસાદની આગાહી, પાટણમાં ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ

હવામાન વિભાગ (meteorological department gujarat) દ્વારા કમોસમી વરસાદ (Unseasonal Rains In Gujarat)ની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાને લઇને પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી (district agriculture officer patan) દ્વારા ખેડૂતોને પાક અને બિયારણ તેમજ રાસાયણિક ખાતરનું ધ્યાન રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

પાટણ: હવામાન ખાતા (meteorological department gujarat)ની આગાહીને ધ્યાને લઇ પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી (district agriculture officer patan)એ વાદળછાયા વાતાવરણ (Cloudy atmosphere in gujarat) અને કમોસમી વરસાદ (Unseasonal Rains In Gujarat)ને પગલે જિલ્લાના ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ કર્યો છે. હવામાન વિભાગની 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર દરમિયાન વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહીને પગલે પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લાના ખેડૂતોને અગમચેતીના ભાગરૂપે સાવચેતી રાખવા અનુરોધ કરાયો છે.

પાકને સુરક્ષિત જગ્યાએ રાખવા અનુરોધ કર્યો

પાટણ જિલ્લામાં રવિ સીઝનમાં (rabi season in gujarat) 17,9,154 હેકટરમાં વાવેતર થયું છે. જેથી ખેતી પાકો (rabi crops in gujarat)માં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. વીણી કરેલા શાકભાજી (vegetable farming in gujarat) કે કાપણી કરેલા પાક હોય તો વરસાદથી પાક ભીંજાય નહીં તે માટે કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા અનુરોધ કરાયો છે. તો ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા, ફળો શાકભાજીને ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે જ પહોંચાડવા, વધુ પ્રમાણમાં કમોસમી વરસાદ થાય તો નીચાણવાળા ભાગોમાં ઊભા પાકોમાં પાણી ભરાયું હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરવા પણ ખેડૂતોને અનુરોધ કરાયો છે.

વરસાદથી પાક ભીંજાય નહીં તે માટે કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા અનુરોધ કરાયો છે.

રાસાયણિક ખાતર કે બિયારણને સુરક્ષિત ગોડાઉનમાં રાખવું

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (agricultural produce market committee patan )માં અનાજ કે ખેત પેદાશ સુરક્ષિત રાખવા અને અનાજ કે ખેત પેદાશો તાડપત્રીથી ઢાંકીને રાખવા માર્કેટમાં વેચાણ અર્થે લઈ જવાથી ખેતપેદાશોને તાડપત્રીથી ઢાંકીને લઈ જવી તેમજ રાસાયણિક ખાતર કે બિયારણના બગડે નહીં તે રીતે સુરક્ષિત ગોડાઉનમાં રાખવા અનુરોધ કરાયો છે.

આ પણ વાંચો: Patan Corona Positive couple: પાટણ જિલ્લામાં 7 મહિના બાદ કોરોનાનો પગપેસારો, સિદ્ધપુરમાં 2 કેસ નોંધાયા

આ પણ વાંચો: Cases Against Political Agitators: અન્ય સમાજના આંદોલનકારીઓ પર થયેલા કેસો પાછા ખેંચવા પાટણ સાંસદની CMને રજૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.