ETV Bharat / state

ગાંધીજીના વિચારોથી પ્રભાવિત પાટણના માલજીભાઈ દેસાઈ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત

author img

By

Published : Jan 26, 2022, 7:53 PM IST

પાટણ જિલ્લાના પ્રખર ગાંધીવાદી નેતા માલજીભાઈ દેસાઈની દેશના સર્વોચ્ચ સન્માન પૈકી પદ્મશ્રી એવોર્ડ (Maljibhai Desai Padma Shri Award) માટે પસંદગી કરવામાં આવી છે, જેને લઈને  બુધવારે સમાજના આગેવાનો તેમના સ્નેહીજનો તેમજ સામાજિક અને સહકારી આગેવાનો શુભેચ્છાઓ પાઠવવા ઉમટી પડ્યા હતા.

ગાંધીજીના વિચારોથી પ્રભાવિત પાટણના માલજીભાઈ દેસાઈ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત
ગાંધીજીના વિચારોથી પ્રભાવિત પાટણના માલજીભાઈ દેસાઈ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત

પાટણ: જિલ્લાના લણવા ગામે સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા માલજીભાઈ દેસાઈ (Patan Maljibhai Desai) નાનપણથી જ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત બન્યા હતા અને તેઓ સેવા દળમાં જોડાઇને સામાજિક કાર્યોની શરૂઆત કરી હતી અને નબળા તેમજ પછાત વર્ગના વિદ્યાર્થીઓને સમાન શિક્ષણ મળી રહે તે માટે આશ્રમ શાળાઓની સ્થાપના કરી હતી. ત્યારે ભારત સરકારે તેમના આ કાર્યની કદર કરીને તેઓને પદ્મશ્રી એવોર્ડ સન્માન (Maljibhai Desai Padma Shri Award) આપવાનો નિર્ણય કર્યો છે, ત્યારે આ બાબતે ગાંધીવાદી માલજીભાઈ દેસાઈએ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોતાને મળનાર પદ્મશ્રી એવોર્ડનો શ્રેય સમગ્ર પાટણ (Patan Padma Shri ) પંથક સહિત ઉત્તર ગુજરાતના લોકોને સમર્પિત કરે છે.

ગાંધીજીના વિચારોથી પ્રભાવિત પાટણના માલજીભાઈ દેસાઈ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત

તમામ પક્ષના લોકોમાં માલજીભાઇ આદરણીય

માલજીભાઇ (Gandhian Maljibhai Desai) દ્વારા પાટણ બનાસકાંઠા મહેસાણા તેમજ ગાંધીનગર જિલ્લામાં અનેક શાળાઓ શરૂ કરી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન કર્યું છે, ગ્રામ્ય ક્ષેત્રે પાયાની વિદ્યાલય જેવી સંસ્થાઓ શરૂ કરી છે. આ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરીને અનેક વિદ્યાર્થીઓ સરકારમાં સારી જગ્યાએ નોકરી કરી રહ્યા છે. ખાદી અને ગ્રામોદ્યોગને ઉત્તેજન આપવામાં તેમનું યોગદાન રહ્યું છે. તેઓ રાજકીય કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા હોવા છતાં તમામ પક્ષના લોકોમાં આદરણીય બની રહ્યા છે.

ગાંધીજીના વિચારોથી પ્રભાવિત પાટણના માલજીભાઈ દેસાઈ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત
ગાંધીજીના વિચારોથી પ્રભાવિત પાટણના માલજીભાઈ દેસાઈ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત

આ પણ વાંચો: પદ્મશ્રી વિજેતા જે.એમ.વ્યાસ: જૂનાગઢથી ગાંધીનગર અને ગાંધીનગરથી પદ્મશ્રી સુધીનો રસ્તો ખૂબ જ કઠિન હતો

કેન્દ્ર સરકારના સાચા વ્યક્તિને એવોર્ડ

સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં કોઈ ગાંધીવાદી રચનાત્મક કાર્યકરની ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદગી થઇ હોય તેવો આ પ્રથમ બનાવ છે, જેની સૌએ કેન્દ્ર સરકારના સાચા વ્યક્તિને એવોર્ડ આપી સન્માનિત કરવાના અભિગમની સરાહના કરી છે.

આ પણ વાંચો: Republic Day 2022: RFC ખાતે ભવ્ય રીતે ત્રિરંગો ફરકાવ્યો, ચેરમેન રામોજી રાવે કર્યું ધ્વજારોહણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.