ETV Bharat / state

Covid Care Center in Patan : પાટણ કલેકટર કચેરી ખાતે કોવિડ કોલ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું

author img

By

Published : Jan 14, 2022, 3:19 PM IST

રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસ ખૂબ ચિંતાજનક આંકડાઓ સામે આવી રહ્યા છે. ત્યારે પાટણ કલેકટર કચેરી ખાતે કોવિડ કેર કોલ સેન્ટર(Covid Care Center in Patan) શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ કોવિડ કેર કોલ સેન્ટરની મુલાકાત લઈ તેની કામગીરી નિહાળવા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Covid Care Center in Patan : પાટણ કલેકટર કચેરી ખાતે કોવિડ કોલ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું
Covid Care Center in Patan : પાટણ કલેકટર કચેરી ખાતે કોવિડ કોલ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું

ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ સંક્રમણની સ્થિતિ જાણવા તેમજ ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને મૂંઝવતા આરોગ્યલક્ષી પ્રશ્નોના ઉકેલ માટે પાટણ કલેક્ટર કચેરી ખાતે કોવિડ કેર કોલ સેન્ટર શરૂ (Covid Care Center in Patan) કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ કોવિડ કેર કોલ સેન્ટરની (Covid Call Care Center at Patan Collectorate) મુલાકાત લઈ તેની કામગીરી નિહાળવા સાથે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

કોરોનાની ગાઈડ પાલન કરવામાં સુચન કરવામાં આવે છે

પાટણ કલેકટર કચેરી ખાતે કોવિડ કોલ કેર સેન્ટર કાર્યરત

કલેક્ટર કચેરીની (Patan Collectorate) ડિઝાસ્ટર શાખા ખાતે શરૂ કરવામાં આવેલા કોવિડ કોલ સેન્ટર પરથી જિલ્લાના તમામ ગામોમાં કોવિડના કેસની સ્થિતિ જાણવા ગામના સરપંચોને ફોન કરવામાં આવે છે. સાથે જ ગામમાં બહારગામ કે શહેરમાંથી આવતા લોકોની આરોગ્ય વિભાગને જાણ કરવા જણાવવામાં આવે છે. ગ્રામ્યજનો માસ્કનો ઉપયોગ કરે અને સલામત અંતર જાળવે તેવી વ્યવસ્થા ગોઠવવા તેમજ લગ્ન અને મૃત્યુ જેવા સામાજીક પ્રસંગોએ પણ રાજ્ય સરકારની જોગવાઈઓનું સુચારૂ પાલન (Corona Guide Line in Patan) કરે તેવા પ્રયાસો કરવા અપીલ કરવામાં આવી રહી છે.

ગામડાઓના સરંપચોને અપીલ કરવામાં આવી રહી છે

આ ઉપરાંત ગામના કોઈપણ નાગરિકને શરદી, ખાંસી કે તાવ જેવા લક્ષણો જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્ર (Patan Health Center) ખાતે તપાસ કરાવી દવાઓ, કોવિડ ટેસ્ટ,અથવા કોઈ સંક્રમિત થાય તો ઘરમાં જુદા જ રહે અને આરોગ્ય વિભાગની સુચનાનું પાલન કરે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે સરપંચોને અપીલ કરવામાં આવી રહી છે. ઉપરાંત ગામમાં જ્યારે આરોગ્ય વિભાગની ટીમ હાઉસ-ટુ-હાઉસ સરવે કરવા આવે ત્યારે ગ્રામજનો તરફથી સહકાર મળી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.

કોરોનાથી મૂંઝવતા પ્રશ્નો માટે કેન્દ્ર પર સંપર્ક કરવો

સવારના 08 વાગ્યાથી રાત્રિના 08 વાગ્યા સુધી કોવિડ કેર કોલ સેન્ટર પર કોરોનાને લગતા આરોગ્યલક્ષી પ્રશ્નોનોના (Corona Helpline Number in Patan) નિરાકરણ માટે સબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામૂહિક આરોગ્ય કેન્દ્રના સંપર્ક નંબરો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

કયા નંબર પર કરશો સંપર્ક?

ક્રમતાલુકોટેલિફોન નં
1પાટણ, સરસ્વતી, ચાણસ્મા02766-233303
2સિદ્ધપુર02766-232240
3સમી, હારીજ, શંખેશ્વર02766-220460
4રાધનપુર, સાંતલપુર02766-224830
5તમામ તાલુકા1077

આ પણ વાંચોઃ Municipality Bribery Case: રાધનપુર નગરપાલિકાના 2 એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા, લાંચિયા અધિકારીઓમાં ફફડાટ

આ પણ વાંચોઃ Corona In Gujarat: 14થી 16 જાન્યુઆરી સુધી ઈમરજન્સી સેવાઓને છોડીને તમામ વિભાગમાં રજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.