ETV Bharat / state

મુખ્યમંત્રી બાળ સેવા યોજના (Mukhyamantri Bal Seva Yojana) અંતર્ગત પાટણ જિલ્લાના 22 નિરાધાર બાળકોને રૂપિયા 88000ની સહાય

author img

By

Published : Jul 2, 2021, 12:11 PM IST

પાટણ જિલ્લા સેવા સદન ખાતે મળેલી સ્પોન્સરશિપ એન્ડ ફોસ્ટર કેર એપૃવલ કમીટી દ્વારા કોરોના (corona ) વાયરસ મહામારીમાં માતા-પિતા ગુમાવનાર જિલ્લાના 22 નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના (Mukhyamantri Bal Seva Yojana) અંતર્ગત કુલ રૂપિયા 88,000ની સહાય ચૂકવવામાં આવી હતી. તંત્ર દ્વારા લાભાર્થીને બેક ખાતામાં આ રકમ સીધી ચુકવવામાં આવી હતી.

પાટણ
પાટણ

  • મુખ્યમંત્રી બાળ સેવા યોજના (Mukhyamantri Bal Seva Yojana) અંતર્ગત 22 નિરાધાર બાળકોને રૂપિયા 88,000ની સહાય
  • કોવિડ 19 ની મહામારીમાં માતા પિતા ગુમાવનાર 22 બાળકોને ચૂકવાઈ સહાય
  • વહીવટી તંત્ર દ્વારા લાભાર્થીને બેન્ક ખાતામાં સહાયની રકમ ચૂકવાઈ

પાટણ : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.સી.કાસેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્પોન્સરશિપ એન્ડ ફોસ્ટર કેર એપૃવલ કમીટીમાં માર્ચ 2020 બાદ કોવિડ-19ના કારણે માતા-પિતા ગુમાવનાર બાળકોની મુખ્યમંત્રી બાળ સેવા યોજના (Mukhyamantri Bal Seva Yojana) અંતર્ગત 27 જૂન સુધી મળેલી અરજીઓના અનુસંધાને પાત્રતા ચકાસણી કર્યા બાદ 22 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી હતી.

22 નિરાધાર બાળકોને રૂપિયા 88,000ની સહાય

આ બાળકોને 18 વર્ષની ઉમર સુધી પ્રતિમાસ રૂપિયા 4,000 સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જેમાં માત્ર બે દિવસના ટૂંકાગાળામાં જિલ્લાના 22 નિરાધાર બાળકોને રૂપિયા 88,000ની સહાય ચૂકવવામાં આવી હતી.

આ પણ વાંચો : world sports journalists day: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સના કાર્યનું સન્માન કરવાનો દિવસ એટલે વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ ડે

સહાયની રકમ લાભાર્થીને બેન્ક ખાતામાં સીધે જમા

કોરોના મહામારીને લઈ વહીવટી તંત્ર દ્વારા સહાયની રકમ લાભાર્થીને બેન્ક ખાતામાં સીધે સીધી જમા કરવામાં આવી છે.આ બેઠકમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતન પ્રજાપતિ, ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝના અધિક્ષક તુષાર પ્રજાપતિ, સામાજીક કાર્યકરશ્રી તુષાર પટેલ તથા દક્ષાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Politics of Uttarakhand: ઉત્તરાખંડની રાજનીતિમાં આવી શકે છે ભૂકંપ, રાજ્યને નવા મુખ્યપ્રધાન મળે તેવી શક્યતા


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.