ETV Bharat / state

પંચમહાલના વેજલપુરમાં દુષ્કર્મની ફરિયાદ, આરોપીની ધરપકડ

author img

By

Published : Jan 30, 2020, 1:04 PM IST

vejalpur
vejalpur

પંચમહાલના વેજલપુર પોલીસ મથકની હદમાં આવેલા ગામમાં એક સગીરાને ભોળવી 2 સંતાનનો પિતા દુષ્કર્મ આચરતો હતો. તેમજ કોઈને ન કહેવાની ધમકી આપતો હતો, પરંતુ સગીરાને બે મહિનાનો ગર્ભ રહી જતાં આ સમગ્ર ઘટના પરથી પડદો ઉઠ્યો હતો. જેની જાણ સગીરાના પરિવારને થતાં તેમને આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે.

પંચમહાલઃ કાલોલ તાલુકામાં આવેલા વેજલપુર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બે સંતનના પિતાએ સગીરા પર દુષ્કર્મ આચરી તેની ગર્ભવતી બનાવી હોવાનું જણાવ્યું છે. હાલ આરોપીની ધરપકડ કરીને તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યાનુસાર, પોતાના ઘર એકલી સુતેલી સગીરા પર દુષ્કર્મ ગુજારી, ત્યાર બાદ સગીરાને કોઈને કઈ જાણ ન કરવાની ધમકી આપી હતી. ડરના કારણે સગીરાએ પણ કોઈને ફરિયાદ ન કરવા જણાવ્યું હતું, પરંતુ સગીરાને બે માસનો ગર્ભ રહી જતાં તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

વેજલપુરમાં દુષ્કર્મ આચનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

આ મામલે વેજલપુર પોલીસ મથકમાં નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ હેઠળનો ગુનો નોંધી સગીરાને મેડિકલ તપાસ માટે મોકલી આપી હતી. તેમજ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા અને થોડા જ સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. જેને જેલભેગો કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Intro:
વિકૃત માનસિકતા ધરાવનાર ને યોગ્ય અને કડક સજા નું કાયમી સમાધાન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી સમાજ માં વિકૃતિઓ ની શરમજનક ઘટનાઓ બનતી જ રહેશે
ફરી એક વાર કંઈક આવીજ ઘટના બનવા પામી છે પંચમહાલ માં જ્યાં કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ મથક ની હદ માં આવેલ એક નાનકડા ગામ માં એક સગીરા ને ભોળવી ને 2 સંતાન નો પિતા દુષ્કર્મ આચરતો હતો અને પાપ ઘડો ફૂટ્યા વગર રહેતો નથી એમ સગીરા ને બે મહિના નો ગર્ભ રહી જતા સમગ્ર ઘટના પર થી પડદો ઉચકાયો અને બહાર આવી નરાધમ ની પાપલીલા બહાર જેમાં સગીરા ની એકલતા નો લાભ લઇ તેના પર ગુજારતો હતો બળાત્કાર અને જ્યારે સગીરા ને 2 મહિના નો ગર્ભ રહી ગયો ત્યારે સમગ્ર મામલો પ્રકાશ માં આવતા સગીરા એ પોતે પોતાનું જીવન ટૂંકાવવા આત્મહત્યા કરવા ની કોશિશ કરી ત્યારે બહાર આવી આ પાપલીલા અને પછી થઈ ફરિયાદ નજીક ના વેજલપુર પોલીસ મથક માં

બે સંતાનો નો પિતા જે ધરાવતો હતો વિકૃત માનસિકતા અને એને પોતે શુ કરી રહ્યો હતો એનું નહોતું ભાન અને એણે નજર બગાડી સગીર વય ની એક બાળકી પર અને તેની સાથે કુકર્મ કરવા ના ઈરાદા થી રાહ જોતા એક દિવસ એકલતા નો લાભ લઇ નરાધમ પોતે પહોંચી ગયો પોતાના ઘર એકલી સુતેલ સગીરા પાસે અને તેને દબોચી ને તેના પર ગુજાર્યો બળાત્કાર અને ત્યાર બાદ સગીરા ને કોઈ ને કઈ જાણ ના કરવા ની ધમકી આપી જતો રહ્યો અને લોકલાજ ના ડર થી સગીરા એ પણ કોઈ ને કઈ ફરિયાદ ના કરી પરંતુ કહેવાય છે કે પાપ તો છાપરે ચઢી ને પોકારે છે એમ સગીરા ને બે માસ નો ગર્ભ રહી ગયો અને આ વાત ની જાણ પરિવાર જનો ને થતા સગીરા એ પોતાને મારી નાખવા આત્મહત્યા ની કોશિશ કરી જોકે સગીરા એ કુકર્મ કરનાર નું નામ દેતા સગીરા ના સ્વજનો ના પગ નીચે થી જમીન સરકી ગઈ સગીરા સાથે પાપ કરનાર નજીક નો સ્વજન હતો અને એ પણ બે સંતાન નો પિતા
આ મામલે વેજલપુર પોલીસ મથક માં નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાત નો ગુન્હો નોંધી સગીરા ને મેડિકલ તપાસ માટે મોકલી આપી અને આરોપી ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા અને થોડા જ સમય માં આરોપી નેઝડપી પાડવા માં પોલીસ ને સફળતા મળી
પોલીસે આરોપી ને જેલ માં ધકેલી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે
બાઈટ:-Body:બાઈટ.એચ .એન kansgaraa
Dysp ગોધરાConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.