ETV Bharat / state

ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન મહિલાનું મોત, પરિવારે મૃતદેહ સ્વિકારવાનો કર્યો ઈન્કાર

author img

By

Published : Dec 14, 2019, 8:02 AM IST

પંચમહાલ: જિલ્લાની ગોધરા સિવિલ હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન માટે લાવવામાં આવેલી મહિલાનું ઓપરેશન દરમિયાન મોત થયું હતું. જેના કારણે પરિવાર દ્વારા ગોધરા સિવિલના તબીબ પર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઉપરાંત બેદરકારી બદલ તબીબ સામે કાર્યવાહી તથા ન્યાયની માગ કરી હતી.

Godhra Civil Hospital woman's family operation dead, family refuses to accept body
ગોધરા સિવિલ હોસ્પિટલમાં કુટુંબ નિયોજનું ઓપરેશન દરમિયાન મહિલાનું મોત

પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લાની સૌથી મોટી એક માત્ર સરકારી હોસ્પિટલ ગોધરા ખાતે આવેલી છે. ગોધરા સિવિલ હોસ્પીટલમાં આ ત્રણ જિલ્લાના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે શુક્રવારે ગોધરા તાલુકાના છારીયા ગામની આશાવર્કર દ્વારા ગામની જ વિનીતાબેન નાયકને કુટુંબનિયોજનનું ઓપરેશન કરવા માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ તેમના પરિવારને થતાં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો અને તબીબ પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતા. પરિવારનું કહેવું છે કે, આશાવર્કર પરિવારની પરવાનગી વિના મહિલાનું ઓપરેશન કરાવવા માગતા હતા.

ગોધરા સિવિલ હોસ્પિટલમાં કુટુંબ નિયોજના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત, પરિવારે મૃતદેહ સ્વિકારવાનો કર્યો ઈન્કાર

મૃતકના ભાઈએ મીડિયા સાથેની વાત-ચીતમાં કહ્યું કે, મારી બહેનને શુક્રવારે ગોધરા સિવિલ હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન માટે લાવવામાં આવ્યા હતા. જેમાં તેમનું મોત થયું છે. ડૉક્ટરોની બેદરકારીને કારણે જ આ મોત થયું છે. ઓપરેશન માટે તેમના પરિવારજનોને જાણ કર્યા વગર જ ગોધરા ખાતે લાવવામાં આવ્યા હતાં.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જિલ્લા આરોગ્ય અધિકારી સહિતનો સ્ટાફ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, વિનીતાબેનને ઓપરેશન માટે એનેસ્થેસિયા આપવામાં આવ્યા બાદ તેમનું મોત થયું હતું.

મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાનું નક્કી કરી પરિવાર સાથે સમજાવટ કરી આશ્વાશન આપવામાં આવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપ સામે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ મહિલાઓને આ ઓપરેશન અંગેની સંપૂર્ણ સમજ આપવામાં આવે છે અને તેમની મંજૂરી મળ્યા બાદ તેમને ઓપરેશન માટે લાવવામાં આવે છે.

Intro:
ગોધરા સિવિલ હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન માટે લાવવામાં આવેલી મહિલાનું ઓપરેશન દરમિયાન મોત થઇ જતા પરિવારજનો દ્વારા ગોધરા સિવિલના તબીબની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ બેદરકારી બદલ તબીબ સામે કાર્યવાહીની માંગ કરી હતી.


પંચમહાલ,દાહોદ અને મહીસાગર જીલ્લાની સૌથી મોટી એક માત્ર સરકારી હોસ્પિટલ ગોધરા ખાતે આવેલી છે , ગોધરા સિવિલ હોસ્પીટલમાં આ ત્રણ જીલ્લાના મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે ગઈકાલે ગોધરા તાલુકાના છારીયા ગામની આશાવર્કર બેન દ્વારા ગામની જ વિનીતાબેન નાયકને કુટુંબનિયોજનનું ઓપરેશન કરવા માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી , ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે વિનીતાબેનનું ઓપરેશન દરમિયાન જ મોત નિપજ્યું હતું , જેની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી અને ઓપરેશન કરનાર તબીબ સામે આક્ષેપ લગાવ્યા હતા અને તે તબીબની બેદરકારીથી જ મહિલાનું મોત થયું હોવાનું તેમજ આશા વર્કર દ્વારા મૃતક મહિલાને તેના પરિવારના કોઈ પણ જાણ કર્યા વગર જ ઓપરેશન માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાંઆવી હોવાનો પણ આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવ્યો હતો.

બાઈટ ૧ : દીપક ચૌધરી , મૃતકનો ભાઈ

મારી બહેનને ગઈકાલે ગોધરા સિવિલ હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન માટે લાવવામાં આવ્યા હતા , જે ઓપરેશન દરમિયાન તેમનું મોત થયું છે, ડોક્ટરની બેદરકારીને લઈને જ આ મોત થયું છે . ઓપરેશન માટે તેમના પરિવારજનો ને જાણ કર્યા વગર જ ગોધરા ખાતે લાવવામાં આવ્યા હતા .

મામલાની ગંભીરતાને ધ્યાને લઈને જીલ્લા આરોગ્ય અધિકારી સહિતનો સ્ટાફ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલાની તપાસ આરંભી હતી , જેમાં ગઈકાલે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ૩૦ જેટલી મહિલાઓને કુટુંબ નિયોજનના ઓપરેશન માટે લાવવામાં આવ્યા હતા અને જે પૈકીની આ વિનીતા બેનને ઓપરેશન માટે એનેસ્થેસિયા આપવામાં આવ્યા બાદ તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહનું પેનલ પીએમ કરાવવાનું નક્કી કરી પરિવારજનો સાથે સમજાવટ કરી આશ્વાશન આપવામાં આવ્યું હતું કે પીએમ રીપોર્ટના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરિવારજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપ સામે જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે તમામ મહિલાઓને આ ઓપરેશન અંગેની સંપૂર્ણ સમજ તેને અને તેના પરિજનોને આપવામાં આવે જ છે અને તેમની મજુરી મળેથી જ ગોધરા ખાતે સિવિલ હોસ્પીટલમાં ઓપરેશન માટે લાવવામાં આવે છે .



બાઈટ ૨ : એસ કે મોઢ , જીલ્લા આરોગ્ય અધિકારી પંચમહાલ

ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે કુટુંબ નિયોજનના ઓપરેશન માટે ૩૦ મહિલાઓને લાવવામાં આવી હતી જે પૈકીની ૧૭ નંબરની મહિલા વિના બહેનને ઓપરેશન માટે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ તે મૃત હોવાનું માલુમ પડ્યું હતું જે બાબતે મહિલાનું પીએમ કરવવામાં આવનાર છે , જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય , મહિલાઓને આ ઓપરેશન બાબતની યોગ્ય માહિતી અને જાણકારી આપવામાં આવ્યા બાદ જ તેમને ગોધરા ખાતે લાવવામાં આવે છે .

: મહિલાના મોત પાછળ કોની બેદરકારી છે અને મહિલાનું મોત કેમ થયું છે તે પી એમ રીપોર્ટ આવ્યા બાદ જ જણાય તેમ છે , ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારના કરવામાં આવતા ઓપરેશનો માં ભૂતકાળમાં પણ લાપરવાહી રાખવામાં આવતી હોવાના અનેક બનાવો બન્યા છે ત્યારે આ પ્રકારના બનાવો ન બને તે માટે ઓપરેશન પહેલા મેડીકલ સ્યાન્સના નિયમો પ્રમાણે સારવાર અથવા તો પગલા ભર્યા બાદ ઓપરેશન કરવામાં આવે તે ખુબ જરૂરી બન્યું છે .

Body:કંદર્પ પંડ્યા
ગોધરા .પંચમહાલ
બાઈટ મેનેજ કરેલ છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.