ETV Bharat / state

ગોધરા ખાતે પ્લાસ્ટિકના ઉદ્યોગકારોએ તંત્રને આપ્યું આવેદનપત્ર

author img

By

Published : Sep 23, 2019, 5:46 PM IST

પંચમહાલ: ગોધરા ખાતે ફેડરેશન ઓફ પંચમહાલ ઇન્ડસ્ટ્રિઝ દ્રારા જિલ્લા નાયબ કલેકટરને સિગંલ યુઝ પ્લાસ્ટિક ૫૧ કેરી બેગના માઇક્રોનના ઉપયોગને લઇને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટિકના ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ અને કામદારો પણ હાજર રહ્યાં હતાં.

ગોધરા ખાતે પ્લાસ્ટિક ઉદ્યોગના સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ તંત્રને આપ્યુ આવેદનપત્ર

ગોધરાની સરકારી સેવા સદન ખાતે જિલ્લાભરમાંથી પ્લાસ્ટિકના ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને કામદારો હાજર રહ્યા હતા. તમામે સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈને આવેદન પત્ર પાઠવ્યું હતું. જિલ્લા નાયબ કલેકટર એમ.એલ. નલવાયાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવામાં આવ્યું હતું કે, સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના પરિપત્ર મુજબ ૫૧ માઇક્રોનથી વધુ જાડાઈ ધરાવતી પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધિત યાદીમાં સમાવિષ્ટ નથી.

ગોધરા ખાતે પ્લાસ્ટિક ઉદ્યોગના સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ તંત્રને આપ્યુ આવેદનપત્ર

અયોગ્ય અર્થઘટનને કારણે પાલિકાતંત્ર દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવાની જાહેરાતને લઇને વેપારી વર્ગ મુશ્કેલીમાં મૂકાયો છે. તંત્ર દ્રારા વેસ્ટ કલેકશનની પધ્ધતિ અપનાવામાં આવે તો સમસ્યાનું ઘણા અંશે નિરાકરણ શકય છે. ડેરી દ્રારા થતું દૂધ પેકીંગ તેમજ ખાદ્ય પદાર્થો અને તૈલી પદાર્થોનું પેકિંગ પ્લાસ્ટિક બેગમાં થાય છે. જેનું રિ-સાયકલિંગ શકય નથી.

વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, તેના કારણે ૬૦૦ જેટલા એકમો બંધ થશે. તેમજ ૧૦,૦૦૦ કામદારો બેકાર થશે. મશીનરી ઊદ્યોગ, ટ્રાન્સપોર્ટ અને એન્સિલરી ઉદ્યોગને વિપરીત અસર થશે. આ ઉદ્યોગોની લોન ભરવી એ પ્રશ્ન સર્જાશે તેમજ વેપારીઓ સાથે પેમેન્ટ લેવા માટે કટોકટી સર્જાશે. જેવા અનેક મુદ્દાઓ લેખિત આવેદનપત્રમાં જણાવામાં આવ્યા હતા.



Intro: આજે ગોધરા ખાતે ફેડરેશન ઓફ પંચમહાલ ઇન્ડસ્ટ્રિઝ દ્રારા જીલ્લા નાયબ કલેકટરને સિગંલ યુઝ પ્લાસ્ટિક ૫૧ કેરી બેગના માઇક્રોનના જાડાઇના ઉપયોગને લઇને આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ.જેમા પ્લાસ્ટિકના ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ અને કામદારો પણ હાજર રહ્યા હતા.

Body:ગોધરા ખાતે આવેલી સરકારી સેવા સદન ખાતે આજે જીલ્લાભરમાથી પ્લાસ્ટિકના ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને કામદારો પણ હાજર રહ્યા.જીલ્લા નાયબ કલેકટર એમ.એલ .નલવાયા ને આપેલા આવેદનપત્રમાં જણાવામા આવ્યુ હતુ કે" સેન્ટ્લ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડના પરિપત્ર મુજબ ૫૧માઇક્રોનથી વધૂ જાડાઈ ધરાવતી પ્લાસ્ટિક બેગનુ ઉત્પાદન,વેચાણ અને પ્રતિબંધિત યાદીમાં સમાવિષ્ટ નથી.અયોગ્ય અર્થ ઘટનને કારણે પાલિકાતંત્ર દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવાની જાહેરાતને લઇનેવેપારી વર્ગને મૂશ્કેલીમાં મૂકાયો છે. તંત્ર દ્રારા વેસ્ટ કલેકશનની પધ્ધતિ અપનાવામા આવે તો સમસ્યાનુ ઘણે અંશે નિરાકરણ શકય છે.ડેરી દ્રારા થતૂ દુધ પેકીંગ તેમજ ખાદ્યતેમજ તૈલી પદાર્થોનુ પેંકીંગ પ્લાસ્ટિકબેગમાં થઈ રહેલ છે.જેનુ રિ-સાયકલિંગ શકય નથી.તો પ્લાસ્ટિક બેગ કેમ? વધુમા આવેદનપત્રમાં જણાવામા આવ્યુ હતુ કે "આના કારણે ૬૦૦ જેટલા એકમો બંધ થશે.૧૦,૦૦૦ કામદારો બેકાર થશે. મશિનરી ઊદ્યોગ,ટ્રાન્સપોર્ટ અને એન્સિલરી ઉદ્યોગને વિપરીત અસર થશે.અને અને ઉદ્યોગોની લોન ભરવી એ પ્રશ્ન સર્જાશે સાથે સાથે વેપારીઓ સાથે પેમેન્ટ લેવા માટે કટોકટી સર્જાશે.સહિતના લેખિત મૂદાઓ આવેદનમાં જણાવામા આવ્યા હતા.

Conclusion:બાઇટ- કનુભાઇ- (પ્લાસ્ટિક
ઉદ્યોગકાર)


સ્ટોરી ડેસ્ક પર પુછીને મોકલી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.