ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહ સ્મારક ખાતે મહાત્મા ગાંધીજીને અપાઈ સુરીલી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Oct 2, 2021, 6:45 PM IST

Birth anniversary of Mahatma Gandhi at Historic Salt Satyagraha Memorial

નવસારીના દાંડી ખાતેના મીઠાના સત્યાગ્રહ સ્મારક ( Salt Satyagraha Memorial) ખાતે મહાત્મા ગાંધીજીની 152મી જન્મ જયંતી (Gandhi Birth Anniversary ) નિમિત્તે બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે પ્રસિદ્ધ પાર્શ્વ ગાયિકા અનુરાધા પૌડવાલ (Singer Anuradha Paudwal) દ્વારા સુરીલા ગાંધી ભજનો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલ (Food and Supplies Minister Naresh Patel) પણ હાજર રહ્યા હતા.

  • દાંડી ખાતે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી કરાઈ
  • રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલ રહ્યા હાજર
  • પ્રસિદ્ધ પાર્શ્વ ગાયિકા અનુરાધા પૌડવાલ દ્વારા ગાંધી ભજનોની હેલી

નવસારી : ભારતની આઝાદીમાં મહત્વપૂર્ણ સાબિત થયેલા મીઠાના સત્યાગ્રહ સ્મારક ( Salt Satyagraha Memorial)ખાતે મહાત્મા ગાંધીજીની 152મી જન્મ જયંતી (Gandhi Birth Anniversary )નિમિત્તે પ્રસિદ્ધ પાર્શ્વ ગાયિકા અનુરાધા પૌડવાલ (Singer Anuradha Paudwal) દ્વારા સુરીલા ગાંધી ભજનો દ્વારા મહાત્માને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ પૂર્વે રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલ (Food and Supplies Minister Naresh Patel) દ્વારા રાષ્ટ્રીય સ્વચ્છતા મિશન કાર્યક્રમનો આરંભ કરાવવામાં આવ્યો હતો.

મીઠાના સત્યાગ્રહ સ્મારક ખાતે મહાત્મા ગાંધીજીને અપાઈ સુરીલી શ્રદ્ધાંજલિ

ભારતની આઝાદીનો અમૃત મહોત્સવ

ભારતની આઝાદીમાં અમદાવાદના સાબરમતીથી નવસારીના દાંડી સુધી 241 માઇલની દાંડીકૂચ મહત્વનો ભાગ ભજવી ગઈ હતી. મહાત્મા ગાંધીજી દ્વારા નવસારીના દાંડીના દરિયા કિનારાથી ઉપાડેલા ચપટી મીઠાથી અંગ્રેજોના શાસનમાં લૂણો લગાડ્યો અને 17 વર્ષ બાદ ભારતની આઝાદીનો સુરજ ઉગ્યો હતો. જેને આજે 75 વર્ષ થયા છે અને ભારત સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે, ત્યારે આજે શનિવારે મહાત્મા ગાંધીજીની 152 મી જન્મ જયંતીના અવસરે નવસારીના ઐતિહાસિક દાંડી સ્થિત મીઠાના સત્યાગ્રહ સ્મારક ખાતે બાપુને તેમના પ્રિય ભજનો થકી સુરીલી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન રહ્યા હાજર

આ કાર્યક્રમમાં રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહીં પુરવઠા પ્રધાને આવતા એક મહિના સુધી ચાલનારા રાષ્ટ્રીય સ્વચ્છતા મિશનનો પ્રારંભ કરાવ્યો હતો, જ્યારે ગુજરાતીઓ પણ સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીજીના વિચારોને આત્મસાત કરે એવો સંદેશ આપ્યો હતો.

ગાંધી ભજનોથી બાપુને સુરીલી શ્રદ્ધાંજલિ

સ્મારક ખાતે આયોજિત ભજન કાર્યક્રમમાં પ્રસિદ્ધ પાર્શ્વ ગાયિકા અનુરાધા પૌડવાલ અને તેમના વૃંદ દ્વારા ગાંધી ભજનોની સુરાવલી વહાવવામાં આવી હતી. વૈષ્ણવ જન તો તેને રે કહીએ..., દેદી હમે આઝાદી બીના ખડગ બીના ઢાલ... જેવા દેશભક્તિની દાઝ સાથેના ગાંધી ભજનોમાં ઉપસ્થિત શ્રોતાઓને તરબોળ કર્યા હતા. આ સાથે અનુરાધા પૌડવાલે દાંડીની પુણ્ય ધરતી પર આવવાનો લાહ્વો મળ્યો એનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ ખાસ Etv Bharat ના દર્શકો માટે ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જન... પણ ગાયુ હતુ.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.